મુસાફરો બેસી જવાના મામલામાં મોટી કાર્યવાહી, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને 2 કરોડથી વધુનો દંડ


  • Published By :
  • Published Date : 2024-01-18 14:10:12

મુંબઈ એરપોર્ટના 'ટાર્મેક' પર બેઠેલા મુસાફરો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મુંબઈ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે. મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનની પાસે બેસીને પેસેન્જરો ભોજન ખાઈ રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મુંબઈ એરપોર્ટ અને ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. 


પેસેન્જરોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી


ગત રવિવારે ગોવા-દિલ્હીની ફ્લાઈટને લાંબા વિલંબ અને પ્લેનના ડાયવર્ઝન બાદ મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પછી યાત્રીઓ પ્લેનમાંથી બહાર આવીને ટાર્મેક પર બેસી ગયા અને ઘણા મુસાફરો ત્યાં બેસીને ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એવિએશન રેગ્યુલેટરે મુંબઈ એરપોર્ટ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ રીતે મુંબઈ એરપોર્ટ પર કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાર્મેક પર બેઠેલા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ગંભીરતાથી લીધો હતો. સોમવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે તેમણે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંગળવારે સવારે, BCAS એ IndiGo અને MIALને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ બનાવવા માટે સક્રિય ન હતા.


DGCAએ શું કહ્યું?


આ સમગ્ર મામલે DGCAએ કહ્યું કે મુંબઈ એરપોર્ટે 17 જાન્યુઆરીએ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો હતો પરંતુ તે સંતોષકારક જણાયો નહોંતો. એરપોર્ટના જવાબ પરથી એ સ્પષ્ટ થાય છે કે તે એર સેફ્ટી સરક્યુલરનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીઆઈએસએફની ક્વિક રિસ્પોન્સ ટીમની સાથે મુસાફરોને સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિગોનું કહેવું છે કે તેણે આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે અને પ્રોટોકોલ મુજબ નોટિસનો જવાબ આપશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.