મુસાફરો બેસી જવાના મામલામાં મોટી કાર્યવાહી, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને 2 કરોડથી વધુનો દંડ


  • Published By :
  • Published Date : 2024-01-18 14:10:12

મુંબઈ એરપોર્ટના 'ટાર્મેક' પર બેઠેલા મુસાફરો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મુંબઈ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે. મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનની પાસે બેસીને પેસેન્જરો ભોજન ખાઈ રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મુંબઈ એરપોર્ટ અને ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. 


પેસેન્જરોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી


ગત રવિવારે ગોવા-દિલ્હીની ફ્લાઈટને લાંબા વિલંબ અને પ્લેનના ડાયવર્ઝન બાદ મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. આ પછી યાત્રીઓ પ્લેનમાંથી બહાર આવીને ટાર્મેક પર બેસી ગયા અને ઘણા મુસાફરો ત્યાં બેસીને ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એવિએશન રેગ્યુલેટરે મુંબઈ એરપોર્ટ પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ રીતે મુંબઈ એરપોર્ટ પર કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાર્મેક પર બેઠેલા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ગંભીરતાથી લીધો હતો. સોમવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે તેમણે મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મંગળવારે સવારે, BCAS એ IndiGo અને MIALને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ બનાવવા માટે સક્રિય ન હતા.


DGCAએ શું કહ્યું?


આ સમગ્ર મામલે DGCAએ કહ્યું કે મુંબઈ એરપોર્ટે 17 જાન્યુઆરીએ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો હતો પરંતુ તે સંતોષકારક જણાયો નહોંતો. એરપોર્ટના જવાબ પરથી એ સ્પષ્ટ થાય છે કે તે એર સેફ્ટી સરક્યુલરનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીઆઈએસએફની ક્વિક રિસ્પોન્સ ટીમની સાથે મુસાફરોને સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડિગોનું કહેવું છે કે તેણે આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે અને પ્રોટોકોલ મુજબ નોટિસનો જવાબ આપશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે