ગુજરાતમાં ચૂંટણી પહેલા 23 IPS અધિકારીઓની કરાઈ બદલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 09:48:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા 23 IPS અધિકારીઓની બદલીનો આદેશ ગૃહવિભાગે બહાર પાડ્યો છે. રાજ્યમાં પોલીસ અધિકારાઓની ફેરબદલી ઉપરાંત અનેક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. ભાવનગરના એએસપી હસન સફીનને પ્રમોશન આપી અમદાવાદના ટ્રાફિક વિભાગના ડીસીપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. ઉપરાંત એડિશનલ DGP આર.બી.બ્રહ્યભટ્ટને CIDમાં જવાબદારી સોંપવામાં આવી છે. સુધા પાંડેની બદલી SRPF ગ્રુપ-13માં કરવામાં આવી છે. ઉષા રાડાને સુરત ઝોન-3ના DCP તરીકે બદલી કરવામાં આવી છે. આણંદના પોલીસ વડા તરીકે પ્રવિણકુમારની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત 82 DySpની પણ બદલી કરવામાં આવી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે