Uttar Pradeshમાં મોટી ટ્રેન દુર્ઘટના. ચંડીગઢથી ગોરખપુર જતી દિબ્રૂગઢ એક્સપ્રેસના ડબ્બા નીચે ઉતરી ગયા.


  • Published By :
  • Published Date : 2024-07-18 17:52:58

ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના અવાર નવાર બની રહી છે.. થોડા મહિનાઓ પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ આવી અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.. દિબ્રુગઢ એક્સપ્રેસના ઘણાબધા કોચએ પાટા પરથી ઉતરી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..

ટ્રેનના અનેક ડબ્બા પાટા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા

ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા અધિકારીઓને અકસ્માતની જગ્યા પર પહોંચવા આદેશ આપી દીધા છે. હાલમાં પ્રાથમિક માહિતી એ આવી રહી છે, આ પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા ૧૨ ડબ્બા પ્રભાવિત થયા છે એટલેકે પાટા પરથી ઉતરી ગયા છે. આ આખો એકસિડન્ટ ગોંડા - માનકપુરમાં થયો છે.



અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ 

આ અકસ્માતમાં 2થી 3 લોકોના મોત અને લગભગ ૨૫ જણા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટ્રેને ચંદીગઢથી આવી રહી હતી . રેલ્વે મિનિસ્ટ્રીએ તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો પણ શરુ કરી દીધા છે. તો આ તરફ આસામના MC હિમંતા બિસ્વા શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ પણ આ આખી બચાવ કામગીરીને નજીકથી જોઈ રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે.

  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .