Uttar Pradeshમાં મોટી ટ્રેન દુર્ઘટના. ચંડીગઢથી ગોરખપુર જતી દિબ્રૂગઢ એક્સપ્રેસના ડબ્બા નીચે ઉતરી ગયા.


  • Published By :
  • Published Date : 2024-07-18 17:52:58

ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના અવાર નવાર બની રહી છે.. થોડા મહિનાઓ પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ આવી અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.. દિબ્રુગઢ એક્સપ્રેસના ઘણાબધા કોચએ પાટા પરથી ઉતરી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..

ટ્રેનના અનેક ડબ્બા પાટા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા

ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા અધિકારીઓને અકસ્માતની જગ્યા પર પહોંચવા આદેશ આપી દીધા છે. હાલમાં પ્રાથમિક માહિતી એ આવી રહી છે, આ પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા ૧૨ ડબ્બા પ્રભાવિત થયા છે એટલેકે પાટા પરથી ઉતરી ગયા છે. આ આખો એકસિડન્ટ ગોંડા - માનકપુરમાં થયો છે.



અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ 

આ અકસ્માતમાં 2થી 3 લોકોના મોત અને લગભગ ૨૫ જણા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટ્રેને ચંદીગઢથી આવી રહી હતી . રેલ્વે મિનિસ્ટ્રીએ તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો પણ શરુ કરી દીધા છે. તો આ તરફ આસામના MC હિમંતા બિસ્વા શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ પણ આ આખી બચાવ કામગીરીને નજીકથી જોઈ રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે.

  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.