Uttar Pradeshમાં મોટી ટ્રેન દુર્ઘટના. ચંડીગઢથી ગોરખપુર જતી દિબ્રૂગઢ એક્સપ્રેસના ડબ્બા નીચે ઉતરી ગયા.


  • Published By :
  • Published Date : 2024-07-18 17:52:58

ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના અવાર નવાર બની રહી છે.. થોડા મહિનાઓ પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ આવી અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.. દિબ્રુગઢ એક્સપ્રેસના ઘણાબધા કોચએ પાટા પરથી ઉતરી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..

ટ્રેનના અનેક ડબ્બા પાટા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા

ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા અધિકારીઓને અકસ્માતની જગ્યા પર પહોંચવા આદેશ આપી દીધા છે. હાલમાં પ્રાથમિક માહિતી એ આવી રહી છે, આ પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા ૧૨ ડબ્બા પ્રભાવિત થયા છે એટલેકે પાટા પરથી ઉતરી ગયા છે. આ આખો એકસિડન્ટ ગોંડા - માનકપુરમાં થયો છે.



અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ 

આ અકસ્માતમાં 2થી 3 લોકોના મોત અને લગભગ ૨૫ જણા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટ્રેને ચંદીગઢથી આવી રહી હતી . રેલ્વે મિનિસ્ટ્રીએ તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો પણ શરુ કરી દીધા છે. તો આ તરફ આસામના MC હિમંતા બિસ્વા શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ પણ આ આખી બચાવ કામગીરીને નજીકથી જોઈ રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે.

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.