Uttar Pradeshમાં મોટી ટ્રેન દુર્ઘટના. ચંડીગઢથી ગોરખપુર જતી દિબ્રૂગઢ એક્સપ્રેસના ડબ્બા નીચે ઉતરી ગયા.


  • Published By :
  • Published Date : 2024-07-18 17:52:58

ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાની ઘટના અવાર નવાર બની રહી છે.. થોડા મહિનાઓ પહેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ આવી અનેક દુર્ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ઉત્તર પ્રદેશથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.. દિબ્રુગઢ એક્સપ્રેસના ઘણાબધા કોચએ પાટા પરથી ઉતરી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે..

ટ્રેનના અનેક ડબ્બા પાટા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા

ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટા અધિકારીઓને અકસ્માતની જગ્યા પર પહોંચવા આદેશ આપી દીધા છે. હાલમાં પ્રાથમિક માહિતી એ આવી રહી છે, આ પેસેન્જર ટ્રેનના ઓછામાં ઓછા ૧૨ ડબ્બા પ્રભાવિત થયા છે એટલેકે પાટા પરથી ઉતરી ગયા છે. આ આખો એકસિડન્ટ ગોંડા - માનકપુરમાં થયો છે.



અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ 

આ અકસ્માતમાં 2થી 3 લોકોના મોત અને લગભગ ૨૫ જણા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટ્રેને ચંદીગઢથી આવી રહી હતી . રેલ્વે મિનિસ્ટ્રીએ તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો પણ શરુ કરી દીધા છે. તો આ તરફ આસામના MC હિમંતા બિસ્વા શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓ પણ આ આખી બચાવ કામગીરીને નજીકથી જોઈ રહ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે.

  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.