રાજકોટ અગ્નિકાંડ મામલે સામે આવી મોટી અપડેટ, SITએ 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, પ્રતિક્રિયા આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-06-21 18:34:48

ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઘટનાને લઈ અનેક વાતો સામે આવી જેને લઈ અનેક સવાલો થયા. આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. એસઆઈટી પર પણ અનેક સવાલો થયા છે. આ બધા વચ્ચે SIT દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.




નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ... 

આપણે ત્યાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવતી હોય છે.. વર્ષો સુધી તેની તપાસ થાય છે, પરંતુ અંતે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. કાર્યવાહીના રૂપમાં નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટા માછલા રહી જાય છે.. 




એસઆઈટીએ સરકારને સોંપ્યો 100 પાનાનો રિપોર્ટ 

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને પગલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કાર્યવાહી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ મામલે સુનાવણી થઈ છે ત્યારે ત્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે કોર્ટ દ્વારા. સુભાષ ત્રિવેદી આ એસઆઈટીના વડા છે. એસઆઈટી દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. SITના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. 



શું કહ્યું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ? 

આ બેઠક બાદ સુભાષ ત્રિવેદી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે રાજકોટ બંધનું એલાન 

મહત્વનું છે કે રાજકોટ દુર્ઘટનાને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો હતો.. પીડિત પરિવારની સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ  હાજર રહ્યા હતા. તે બાદ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે બાપુના શરણે આવ્યો હતો. 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બધાની નજર એ પર રહેલી છે કે આ વખતે પીડિત પરિવારને ન્યાય મળે છે કે માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે તેમાં?    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .