રાજકોટ અગ્નિકાંડ મામલે સામે આવી મોટી અપડેટ, SITએ 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, પ્રતિક્રિયા આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-06-21 18:34:48

ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઘટનાને લઈ અનેક વાતો સામે આવી જેને લઈ અનેક સવાલો થયા. આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. એસઆઈટી પર પણ અનેક સવાલો થયા છે. આ બધા વચ્ચે SIT દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.




નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ... 

આપણે ત્યાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવતી હોય છે.. વર્ષો સુધી તેની તપાસ થાય છે, પરંતુ અંતે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. કાર્યવાહીના રૂપમાં નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટા માછલા રહી જાય છે.. 




એસઆઈટીએ સરકારને સોંપ્યો 100 પાનાનો રિપોર્ટ 

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને પગલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કાર્યવાહી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ મામલે સુનાવણી થઈ છે ત્યારે ત્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે કોર્ટ દ્વારા. સુભાષ ત્રિવેદી આ એસઆઈટીના વડા છે. એસઆઈટી દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. SITના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. 



શું કહ્યું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ? 

આ બેઠક બાદ સુભાષ ત્રિવેદી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે રાજકોટ બંધનું એલાન 

મહત્વનું છે કે રાજકોટ દુર્ઘટનાને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો હતો.. પીડિત પરિવારની સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ  હાજર રહ્યા હતા. તે બાદ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે બાપુના શરણે આવ્યો હતો. 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બધાની નજર એ પર રહેલી છે કે આ વખતે પીડિત પરિવારને ન્યાય મળે છે કે માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે તેમાં?    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.