રાજકોટ અગ્નિકાંડ મામલે સામે આવી મોટી અપડેટ, SITએ 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપ્યો, પ્રતિક્રિયા આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-06-21 18:34:48

ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઘટનાને લઈ અનેક વાતો સામે આવી જેને લઈ અનેક સવાલો થયા. આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. એસઆઈટી પર પણ અનેક સવાલો થયા છે. આ બધા વચ્ચે SIT દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.




નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ... 

આપણે ત્યાં અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે, અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે. દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવતી હોય છે.. વર્ષો સુધી તેની તપાસ થાય છે, પરંતુ અંતે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. કાર્યવાહીના રૂપમાં નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટા માછલા રહી જાય છે.. 




એસઆઈટીએ સરકારને સોંપ્યો 100 પાનાનો રિપોર્ટ 

રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને પગલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કાર્યવાહી પર પણ સવાલ થઈ રહ્યા છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે આ મામલે સુનાવણી થઈ છે ત્યારે ત્યારે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે કોર્ટ દ્વારા. સુભાષ ત્રિવેદી આ એસઆઈટીના વડા છે. એસઆઈટી દ્વારા 100 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. SITના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી સાથે પણ બેઠક કરી હતી. 



શું કહ્યું એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ? 

આ બેઠક બાદ સુભાષ ત્રિવેદી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે રાજકોટ બંધનું એલાન 

મહત્વનું છે કે રાજકોટ દુર્ઘટનાને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો હતો.. પીડિત પરિવારની સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ  હાજર રહ્યા હતા. તે બાદ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પણ પીડિત પરિવાર ન્યાયની આશા સાથે બાપુના શરણે આવ્યો હતો. 25 જૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બધાની નજર એ પર રહેલી છે કે આ વખતે પીડિત પરિવારને ન્યાય મળે છે કે માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે તેમાં?    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.