અમદાવાદમાં મેલેરિયા અને ડેન્ગ્યૂનાં કેસ વધ્યા, તંત્ર દ્વારા ફોગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 10:38:13

અમદાવાદમાં  વરસાદ બાદ રોગચાળો સામાન્ય છે. જો  કે આ  વર્ષે  મેલેરિયા અને ડેન્ગ્યૂનાં કેસ ખુબ વધતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના તમામ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી વધારવાની તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત મેલેરિયા વિભાગ દ્વારા કોન્ટ્રાકટથી લેવામાં આવેલા કર્મચારીઓ પાસે અસરકારક કામગીરી કરાવવા પણ સુચના અપાઈ હતી.

ફોગિંગ અને દવા છંટકાવ અભિયાનનો પ્રારંભ


શહેરમાં મેલેરિયા વિભાગ તરફથી યોગ્ય રીતે ફોગીંગ કરવામાં આવતુ ન હોવાની ફરિયાદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો દ્વારા જ બેઠકમાં કરવામાં આવી હતી. વરસાદ બાદ ગંદકી અને ઠેરઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના એડિસ મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. શહેરમાં ફોગિંગની અને દવા છટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો છે.


મેડિકલ કેમ્પ ઉભા કરાશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને રોકવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 9 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન થઈ ચૂક્યું છે. હજી 11 જેટલા મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આમ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.


પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી સપ્ટેમ્બર મહિનામાં 147 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 12 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે, ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .