માગોનો સ્વીકાર નહીં થતાં ગુજરાતના માલધારીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ફતવો


  • Published By :
  • Published Date : 2022-11-22 17:38:18

ચૂંટણી અગાઉ માલધારી સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો હતો તેવી રીતે અત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતે ભાજપ સામે ફતવો બહાર પાડ્યો છે. ગુજરાતના માલધારીઓને ફતવામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ માલધારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે માટે સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ છે. 

જો માલધારી સમાજનો ઉમેદવાર હોય તો મત આપો બાકી ના આપો

આ પરિપત્રમાં વિચિત્ર નિર્ણય પણ લીધો છે કે ગુજરાતમાં ભલે ભાજપ સામે મતદાન કરે પણ જ્યાં માલધારી સમાજના ઉમેદવારો છે ત્યાં મત આપવાનો નિર્ણય માલધારી સમાજના લોકો જ કરશે. ચૂંટણી જીત્યા બાદ માલધારી સમાજના ધારાસભ્યએ પણ સમાજ સાથે રહેવા વિનંદી કરાઈ છે. 


શું છે માલધારી સમાજની માગણી?

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નોનો ન થયો નિકાલ 
  • માલધારી વસાહતો ન બનાવી જેથી લોકો અકસ્માતોના ભોગ બન્યા 
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો 
  • દૂધની ડેરીઓમાંથી માલધારી સમાજનો એકડોકાઢી નાખ્યો 
  • માલધારી સમાજના પશુપાલકો પર ખોટા કેસ કરી જેલમાં પૂર્યાં 
  • 70 લાખથી વધુ માલધારીઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર

ગુજરાતમાં અગાઉ પણ માલધારી સમાજનું ગાંધીનગરના શેરથા ગામ ખાતે ભાજપ વિરોધી સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોથી માલધારી લોકો પહોંચ્યા હતા. ભાજપે આ સંમેલન મામલે નિવેદન આપ્યું હતું કે આ સંમેલન કોંગ્રેસ સમર્થિત છે જ્યારે માલધારી સમાજે આ સંમેલનને ગુજરાતના 61 લાખ માલધારીઓની એકતા જણાવી હતી. ત્યાર બાદ ચૂંટણીનો સમય હોવાના કારણે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આજે ફરીવાર માલધારી સમાજના લોકોએ ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મત આપવાનો ફતવો બહાર પાડ્યો છે ત્યારે ભાજપ આ વિરોધને કેવી રીતે શાંત પાડશે તે જોવાનું રહેશે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.