માગોનો સ્વીકાર નહીં થતાં ગુજરાતના માલધારીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ફતવો


  • Published By :
  • Published Date : 2022-11-22 17:38:18

ચૂંટણી અગાઉ માલધારી સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો હતો તેવી રીતે અત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતે ભાજપ સામે ફતવો બહાર પાડ્યો છે. ગુજરાતના માલધારીઓને ફતવામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ માલધારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે માટે સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ છે. 

જો માલધારી સમાજનો ઉમેદવાર હોય તો મત આપો બાકી ના આપો

આ પરિપત્રમાં વિચિત્ર નિર્ણય પણ લીધો છે કે ગુજરાતમાં ભલે ભાજપ સામે મતદાન કરે પણ જ્યાં માલધારી સમાજના ઉમેદવારો છે ત્યાં મત આપવાનો નિર્ણય માલધારી સમાજના લોકો જ કરશે. ચૂંટણી જીત્યા બાદ માલધારી સમાજના ધારાસભ્યએ પણ સમાજ સાથે રહેવા વિનંદી કરાઈ છે. 


શું છે માલધારી સમાજની માગણી?

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નોનો ન થયો નિકાલ 
  • માલધારી વસાહતો ન બનાવી જેથી લોકો અકસ્માતોના ભોગ બન્યા 
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો 
  • દૂધની ડેરીઓમાંથી માલધારી સમાજનો એકડોકાઢી નાખ્યો 
  • માલધારી સમાજના પશુપાલકો પર ખોટા કેસ કરી જેલમાં પૂર્યાં 
  • 70 લાખથી વધુ માલધારીઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર

ગુજરાતમાં અગાઉ પણ માલધારી સમાજનું ગાંધીનગરના શેરથા ગામ ખાતે ભાજપ વિરોધી સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોથી માલધારી લોકો પહોંચ્યા હતા. ભાજપે આ સંમેલન મામલે નિવેદન આપ્યું હતું કે આ સંમેલન કોંગ્રેસ સમર્થિત છે જ્યારે માલધારી સમાજે આ સંમેલનને ગુજરાતના 61 લાખ માલધારીઓની એકતા જણાવી હતી. ત્યાર બાદ ચૂંટણીનો સમય હોવાના કારણે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આજે ફરીવાર માલધારી સમાજના લોકોએ ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મત આપવાનો ફતવો બહાર પાડ્યો છે ત્યારે ભાજપ આ વિરોધને કેવી રીતે શાંત પાડશે તે જોવાનું રહેશે. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.