માગોનો સ્વીકાર નહીં થતાં ગુજરાતના માલધારીઓને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ફતવો


  • Published By :
  • Published Date : 2022-11-22 17:38:18

ચૂંટણી અગાઉ માલધારી સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો હતો તેવી રીતે અત્યારે ગુજરાત માલધારી મહાપંચાયતે ભાજપ સામે ફતવો બહાર પાડ્યો છે. ગુજરાતના માલધારીઓને ફતવામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ માલધારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે માટે સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાઈ છે. 

જો માલધારી સમાજનો ઉમેદવાર હોય તો મત આપો બાકી ના આપો

આ પરિપત્રમાં વિચિત્ર નિર્ણય પણ લીધો છે કે ગુજરાતમાં ભલે ભાજપ સામે મતદાન કરે પણ જ્યાં માલધારી સમાજના ઉમેદવારો છે ત્યાં મત આપવાનો નિર્ણય માલધારી સમાજના લોકો જ કરશે. ચૂંટણી જીત્યા બાદ માલધારી સમાજના ધારાસભ્યએ પણ સમાજ સાથે રહેવા વિનંદી કરાઈ છે. 


શું છે માલધારી સમાજની માગણી?

  • ગીર, બરડા અને આલેચના પ્રશ્નોનો ન થયો નિકાલ 
  • માલધારી વસાહતો ન બનાવી જેથી લોકો અકસ્માતોના ભોગ બન્યા 
  • માલધારી સમાજને ખેડૂત બનવાનો હક ના આપ્યો 
  • દૂધની ડેરીઓમાંથી માલધારી સમાજનો એકડોકાઢી નાખ્યો 
  • માલધારી સમાજના પશુપાલકો પર ખોટા કેસ કરી જેલમાં પૂર્યાં 
  • 70 લાખથી વધુ માલધારીઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર

ગુજરાતમાં અગાઉ પણ માલધારી સમાજનું ગાંધીનગરના શેરથા ગામ ખાતે ભાજપ વિરોધી સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોથી માલધારી લોકો પહોંચ્યા હતા. ભાજપે આ સંમેલન મામલે નિવેદન આપ્યું હતું કે આ સંમેલન કોંગ્રેસ સમર્થિત છે જ્યારે માલધારી સમાજે આ સંમેલનને ગુજરાતના 61 લાખ માલધારીઓની એકતા જણાવી હતી. ત્યાર બાદ ચૂંટણીનો સમય હોવાના કારણે ગુજરાત સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આજે ફરીવાર માલધારી સમાજના લોકોએ ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મત આપવાનો ફતવો બહાર પાડ્યો છે ત્યારે ભાજપ આ વિરોધને કેવી રીતે શાંત પાડશે તે જોવાનું રહેશે. 






પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.