માલધારીઓ Ahmedabad Mayorની ઓફિસનો ઘેરાવો કરશે,ઢોર નિયંત્રણ પોલીસીનો વિરોધ કરશે!


  • Published By :
  • Published Date : 2023-11-28 09:45:01

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી ઘાયલ થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. હાઈકોર્ટ રખડતા ઢોર મામલે એકદમ કડક દેખાઈ રહી છે. રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ હવે અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી આપી છે. 

મેયરની ઓફિસમાં હજારો પશુપાલકો એકત્ર થશે!

 હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું હતું. રખડતા ઢોરથી રાહદારીઓને, વાહનચાલકોને મુક્તિ મળે તે માટે એક્શન પણ લેવાયા. અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ઢોરને પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. નવી પોલીસીનો વિરોધ માલધારી સમાજના લોકો કરી રહ્યા હતા. ત્યારે માલધારી એકતા સમિતિ અમદાવાદ મેયર ઓફિસનો ઘેરાવો કરી શકે છે કારણ કે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માલધારીઓનું કહેવું છે અમે વર્ષોથી જ્યાં રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીયે છીએ એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે. આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે જેથી ઘર પાસે ઢોર બાંધીને રાખી શકે 


વિજય નહેરાને લઈ માલધારીઓએ કહી આ વાત

અમદાવાદમાં હજારો પશુપાલકો અમદાવાદ મેયરની ઓફિસે એકઠા થશે તેમનું કહેવું છે કે પશુ નોંધણીના નામે પરિવારદીઠ 200 રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. 


માલધારીઓને આપવામાં આવી અંતિમ નોટિસ 

પશુત્રાસ અટકાવ પોલીસી અંતર્ગત માલધારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર સુધીમાં માલધારીએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા ઢોર રાખવા પોતાના ભોગવટાની એટલે કે માલીકીની જમીન હોવી આવશ્યક છે. જે માલધારી પાસે માલીકીની જમીન ન હોય તેઓએ શહેરની હદ છોડી જવાની અંતિમ નોટીસ પણ ગઈકાલે આપવામાં આવતા માલધારીઓ સરકાર પાસે ગૌચર ફાળવવાની માગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી માટે અંતિમ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે જ આગામી સપ્તાહથી એટલે કે, 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડીને પશુમાલિક સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે માલધારી સમાજ પણ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી