Maldives : રાષ્ટ્રપતિ પર કાળો જાદુ કરવાના આરોપ સાથે પર્યાયવરણ મંત્રીની કરાઈ ધરપકડ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-29 16:40:37

માલદિવ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.. થોડા સમય પહેલા માલદિવના એક મંત્રીએ પર્યટનને લઈ નિવેદન આપ્યું હતું એ બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. આજે માલદિવની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી એક ઘટના આવી તેને લઈ.. પોલીસે માલદિવના પર્યાવરણ મંત્રીની ધરપકડ કરી છે.. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પર કાળા જાદુ કરતા આરોપને ધ્યાનમાં રાખી પર્યાવરણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેવો રિપોર્ટ સ્થાનિક મીડિયા દ્વારા આપવામાં આવ્યો છે.. મંત્રીની સાથે સાથે બીજા બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. 



માલદિવના રાષ્ટ્રપતિ પર કરવામાં આવ્યો કાળા જાદુ?

અલગ દેશમાં અલગ અલગ કાયદા હોય છે, અલગ અલગ માન્યતા હોય છે.. અનેક વખત આપણે 21મી સદીની વાત કરતા હોઈ છીએ.. કોઈ કાળા જાદુની વાત કરે તો આપણે કહીએ કે આવું તો થોડી બને.. પરંતુ માલદિવથી એક સમાચાર આવ્યા જે સાંભળ્યા બાદ તમે કહેશો કે આવું તો ના હોય... માલદિવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળા જાદુ કરવાના આરોપ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 



એક મંત્રી અને અન્ય બે વ્યક્તિની કરાઈ ધરપકડ!

સ્થાનિક મીડિયા અનુસાર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પર્યાયવરણ મંત્રી ફાતિમા છે. તેમની સાથે બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સ્થાનિક મીડિયા દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસે મંત્રીના ઘરે તપાસ કરી ત્યારે કાળા જાદુનો સામાન ત્યાંથી મળી આવ્યો હતો. મંત્રી પર આરોપ છે તે રાષ્ટ્રપતિને વશ કરવા માગતા હતા. ઉલ્લેખનિય છે કે માલદિવમાં આને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."