Maldives : રાષ્ટ્રપતિ પર કાળો જાદુ કરવાના આરોપ સાથે પર્યાયવરણ મંત્રીની કરાઈ ધરપકડ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-29 16:40:37

માલદિવ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.. થોડા સમય પહેલા માલદિવના એક મંત્રીએ પર્યટનને લઈ નિવેદન આપ્યું હતું એ બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. આજે માલદિવની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી એક ઘટના આવી તેને લઈ.. પોલીસે માલદિવના પર્યાવરણ મંત્રીની ધરપકડ કરી છે.. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પર કાળા જાદુ કરતા આરોપને ધ્યાનમાં રાખી પર્યાવરણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેવો રિપોર્ટ સ્થાનિક મીડિયા દ્વારા આપવામાં આવ્યો છે.. મંત્રીની સાથે સાથે બીજા બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. 



માલદિવના રાષ્ટ્રપતિ પર કરવામાં આવ્યો કાળા જાદુ?

અલગ દેશમાં અલગ અલગ કાયદા હોય છે, અલગ અલગ માન્યતા હોય છે.. અનેક વખત આપણે 21મી સદીની વાત કરતા હોઈ છીએ.. કોઈ કાળા જાદુની વાત કરે તો આપણે કહીએ કે આવું તો થોડી બને.. પરંતુ માલદિવથી એક સમાચાર આવ્યા જે સાંભળ્યા બાદ તમે કહેશો કે આવું તો ના હોય... માલદિવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળા જાદુ કરવાના આરોપ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 



એક મંત્રી અને અન્ય બે વ્યક્તિની કરાઈ ધરપકડ!

સ્થાનિક મીડિયા અનુસાર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પર્યાયવરણ મંત્રી ફાતિમા છે. તેમની સાથે બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સ્થાનિક મીડિયા દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસે મંત્રીના ઘરે તપાસ કરી ત્યારે કાળા જાદુનો સામાન ત્યાંથી મળી આવ્યો હતો. મંત્રી પર આરોપ છે તે રાષ્ટ્રપતિને વશ કરવા માગતા હતા. ઉલ્લેખનિય છે કે માલદિવમાં આને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.