Maldives : રાષ્ટ્રપતિ પર કાળો જાદુ કરવાના આરોપ સાથે પર્યાયવરણ મંત્રીની કરાઈ ધરપકડ! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-29 16:40:37

માલદિવ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.. થોડા સમય પહેલા માલદિવના એક મંત્રીએ પર્યટનને લઈ નિવેદન આપ્યું હતું એ બાદ જે થયું તે આપણે જાણીએ છીએ. આજે માલદિવની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી એક ઘટના આવી તેને લઈ.. પોલીસે માલદિવના પર્યાવરણ મંત્રીની ધરપકડ કરી છે.. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પર કાળા જાદુ કરતા આરોપને ધ્યાનમાં રાખી પર્યાવરણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેવો રિપોર્ટ સ્થાનિક મીડિયા દ્વારા આપવામાં આવ્યો છે.. મંત્રીની સાથે સાથે બીજા બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. 



માલદિવના રાષ્ટ્રપતિ પર કરવામાં આવ્યો કાળા જાદુ?

અલગ દેશમાં અલગ અલગ કાયદા હોય છે, અલગ અલગ માન્યતા હોય છે.. અનેક વખત આપણે 21મી સદીની વાત કરતા હોઈ છીએ.. કોઈ કાળા જાદુની વાત કરે તો આપણે કહીએ કે આવું તો થોડી બને.. પરંતુ માલદિવથી એક સમાચાર આવ્યા જે સાંભળ્યા બાદ તમે કહેશો કે આવું તો ના હોય... માલદિવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કાળા જાદુ કરવાના આરોપ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 



એક મંત્રી અને અન્ય બે વ્યક્તિની કરાઈ ધરપકડ!

સ્થાનિક મીડિયા અનુસાર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પર્યાયવરણ મંત્રી ફાતિમા છે. તેમની સાથે બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. સ્થાનિક મીડિયા દ્વારા એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે કે જ્યારે પોલીસે મંત્રીના ઘરે તપાસ કરી ત્યારે કાળા જાદુનો સામાન ત્યાંથી મળી આવ્યો હતો. મંત્રી પર આરોપ છે તે રાષ્ટ્રપતિને વશ કરવા માગતા હતા. ઉલ્લેખનિય છે કે માલદિવમાં આને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.