મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં BJPને ઘેરવા કોંગ્રેસ OBC અને દલિત કાર્ડ ખેલશે


  • Published By :
  • Published Date : 2023-12-22 17:46:53

દેશની રાજનિતીમાં ઓબીસી અને પછાત વર્ગની સર્કિયતા ઘણી વધી ગઈ છે. જેમ-જેમ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ બંને સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો વિવિધ માર્ગો અપનાવી રહ્યા છે. આ લિસ્ટમાં કોંગ્રેસને ટોચ પર રાખવામાં આવે છે, કેમ  કે લોકસભા ચૂંટણી માટે તેની રણનિતી સ્પષ્ટ થઈ ચૂકી છે. આ રણનિતીમાં ઓબીસીની સાથે-સાથે દલિત સમુદાયને પણ પોતાની તરફેણમાં લાવવાની છે.   


એક દલિત તરીકે મારૂં પણ અપમાન 


કોંગ્રેસની આ રણનીતી અંગે ચર્ચા કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર એક નિવેદનમાં કહ્યું કે મારી જાતિના કારણે મારૂ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમજવું જરૂરી છે કે મિમિક્રી કાંડનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું માનવું હતું કે જગદીપ ધનખડે તેમના અપમાનને જાટ અપમાન સાથે જોડ્યું હતું. તેમનો તર્ક એવો છે કે તે પણ દલિત સમાજમાંથી આવે છે અને તેમને સંસદમાં બોલવાની તક મળી નથી. આ સ્થિતીમાં શું  તેમણે પણ બોલવું જોઈએ કે એક દલિતનું અપમાન કરવામાં આવ્યું છે. 


કર્ણાટક ચૂંટણીની રણનિતી પર ફોકસ

 

કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. માત્ર તે જ કેમ, આખું ભારત ઈન્ડિયા ગઠબંધનના મુદ્દે તેના સમર્થનમાં ઉભો હતો. આ જ કારણે બિજેપીના વિજય રથને રોકવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આસામમાં કોંગ્રેસ અને વિપક્ષોને લાગે છે કે બિજેપીની હિંદુત્વવાળી પીચ પર રમવું મુશ્કેલ છે. આ સ્થિતીમાં ઓબીસી અને દલિત કાર્ડ દ્વારા ઘેરવાની તૈયારી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.