મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત, લોકસભા ચૂંટણીમાં BJPને ઘેરવા કોંગ્રેસ OBC અને દલિત કાર્ડ ખેલશે


  • Published By :
  • Published Date : 2023-12-22 17:46:53

દેશની રાજનિતીમાં ઓબીસી અને પછાત વર્ગની સર્કિયતા ઘણી વધી ગઈ છે. જેમ-જેમ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે આ બંને સમુદાયના લોકોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો વિવિધ માર્ગો અપનાવી રહ્યા છે. આ લિસ્ટમાં કોંગ્રેસને ટોચ પર રાખવામાં આવે છે, કેમ  કે લોકસભા ચૂંટણી માટે તેની રણનિતી સ્પષ્ટ થઈ ચૂકી છે. આ રણનિતીમાં ઓબીસીની સાથે-સાથે દલિત સમુદાયને પણ પોતાની તરફેણમાં લાવવાની છે.   


એક દલિત તરીકે મારૂં પણ અપમાન 


કોંગ્રેસની આ રણનીતી અંગે ચર્ચા કરતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પર એક નિવેદનમાં કહ્યું કે મારી જાતિના કારણે મારૂ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સમજવું જરૂરી છે કે મિમિક્રી કાંડનો ઉલ્લેખ કર્યો હતો કે તેમનું માનવું હતું કે જગદીપ ધનખડે તેમના અપમાનને જાટ અપમાન સાથે જોડ્યું હતું. તેમનો તર્ક એવો છે કે તે પણ દલિત સમાજમાંથી આવે છે અને તેમને સંસદમાં બોલવાની તક મળી નથી. આ સ્થિતીમાં શું  તેમણે પણ બોલવું જોઈએ કે એક દલિતનું અપમાન કરવામાં આવ્યું છે. 


કર્ણાટક ચૂંટણીની રણનિતી પર ફોકસ

 

કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી દરમિયાન જ જાહેરાત કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. માત્ર તે જ કેમ, આખું ભારત ઈન્ડિયા ગઠબંધનના મુદ્દે તેના સમર્થનમાં ઉભો હતો. આ જ કારણે બિજેપીના વિજય રથને રોકવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. આસામમાં કોંગ્રેસ અને વિપક્ષોને લાગે છે કે બિજેપીની હિંદુત્વવાળી પીચ પર રમવું મુશ્કેલ છે. આ સ્થિતીમાં ઓબીસી અને દલિત કાર્ડ દ્વારા ઘેરવાની તૈયારી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે