મલ્લિકાર્જુન ખડ઼ગેએ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને વળતાં જવાબ આપ્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-27 16:58:30


કોંગ્રેસ વિધાનસભા ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે  ડેડિયાપાડામાં કોંગ્રેસના નવી નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે સભાને સંબોધવામાં આવી હતી. અહીં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. અહીં રવિવારે બપોરે યોજાયેલી જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડ઼ગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે બંનેએ લોકોને સંબોધન કર્યું હતું.



મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું "હું ગરીબો કરતાં પણ ગરીબ છું"


મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું, ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ભાજપ 27 વર્ષથી અહીં સત્તા ભોગવે છે અને 27 વર્ષમાં જનતાની સમસ્યા જો હલ નથી કરી શકતી તો જનતાને બાબા સાહેબે જે અધિકાર આપ્યો છે તેમને નીકાળી ફેંકવાનો, તો તમને તે અધિકાર છે કે સારી સરકારને ચૂંટવાનો. ઠીક છે તમારું ડબલ એન્જિન બહુ ટાઈમથી ચાલે છે, જો ડબલ એન્જિન લગાવ્યા પછી પણ ગાડી નથી ચાલતી તો તે ગાડીને કાઢીને નવા એન્જિનની ગાડીને લાવવી જોઈએ. વચ્ચે ઘણા લોકો આવ્યા છે દિલ્હીથી આવીને વચ્ચે પગ નાખે છે. પણ તમારે વિચારવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ, વલ્લભભાઈએ, ગાંધીજીએ દેશને એક કર્યા અને તેને ચલાવ્યો તે પછી લોકતંત્ર પ્રમાણે દેશ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સમયમાં જે કામ થયા તે મજબૂતી સાથે રહ્યા. એવું નથી થયું કે આજે પુલ રિપેર કર્યો અને કાલે પડી ગયો. અમારું કામ મજબૂત છે, છતા અમને પુછે છે મોદીજી અને શાહ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, અરે ભાઈ 70 વર્ષમાં અમે કાંઈ ન કર્યું હોત તો તમને લોકતંત્ર ન મળ્યું હોત. તમે કહો છો હું ગરીબ છું, અમે તો ગરીબો કરતાં પણ ગરીબ છીએ. તમારી તો કોઈ ચા પણ પીવે છે અમારી તો ચા પણ પીતા નથી. અમે અછૂત છીએ.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.