મલ્લિકાર્જુન ખડ઼ગેએ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને વળતાં જવાબ આપ્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-27 16:58:30


કોંગ્રેસ વિધાનસભા ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે  ડેડિયાપાડામાં કોંગ્રેસના નવી નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે સભાને સંબોધવામાં આવી હતી. અહીં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. અહીં રવિવારે બપોરે યોજાયેલી જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડ઼ગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે બંનેએ લોકોને સંબોધન કર્યું હતું.



મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું "હું ગરીબો કરતાં પણ ગરીબ છું"


મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું, ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ભાજપ 27 વર્ષથી અહીં સત્તા ભોગવે છે અને 27 વર્ષમાં જનતાની સમસ્યા જો હલ નથી કરી શકતી તો જનતાને બાબા સાહેબે જે અધિકાર આપ્યો છે તેમને નીકાળી ફેંકવાનો, તો તમને તે અધિકાર છે કે સારી સરકારને ચૂંટવાનો. ઠીક છે તમારું ડબલ એન્જિન બહુ ટાઈમથી ચાલે છે, જો ડબલ એન્જિન લગાવ્યા પછી પણ ગાડી નથી ચાલતી તો તે ગાડીને કાઢીને નવા એન્જિનની ગાડીને લાવવી જોઈએ. વચ્ચે ઘણા લોકો આવ્યા છે દિલ્હીથી આવીને વચ્ચે પગ નાખે છે. પણ તમારે વિચારવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ, વલ્લભભાઈએ, ગાંધીજીએ દેશને એક કર્યા અને તેને ચલાવ્યો તે પછી લોકતંત્ર પ્રમાણે દેશ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સમયમાં જે કામ થયા તે મજબૂતી સાથે રહ્યા. એવું નથી થયું કે આજે પુલ રિપેર કર્યો અને કાલે પડી ગયો. અમારું કામ મજબૂત છે, છતા અમને પુછે છે મોદીજી અને શાહ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, અરે ભાઈ 70 વર્ષમાં અમે કાંઈ ન કર્યું હોત તો તમને લોકતંત્ર ન મળ્યું હોત. તમે કહો છો હું ગરીબ છું, અમે તો ગરીબો કરતાં પણ ગરીબ છીએ. તમારી તો કોઈ ચા પણ પીવે છે અમારી તો ચા પણ પીતા નથી. અમે અછૂત છીએ.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.