મલ્લિકાર્જુન ખડ઼ગેએ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને વળતાં જવાબ આપ્યા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-27 16:58:30


કોંગ્રેસ વિધાનસભા ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે  ડેડિયાપાડામાં કોંગ્રેસના નવી નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે સભાને સંબોધવામાં આવી હતી. અહીં પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા આદિવાસી મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. અહીં રવિવારે બપોરે યોજાયેલી જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડ઼ગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે બંનેએ લોકોને સંબોધન કર્યું હતું.



મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું "હું ગરીબો કરતાં પણ ગરીબ છું"


મલ્લિકાર્જુન ખડ઼ગેએ કહ્યું, ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ભાજપ 27 વર્ષથી અહીં સત્તા ભોગવે છે અને 27 વર્ષમાં જનતાની સમસ્યા જો હલ નથી કરી શકતી તો જનતાને બાબા સાહેબે જે અધિકાર આપ્યો છે તેમને નીકાળી ફેંકવાનો, તો તમને તે અધિકાર છે કે સારી સરકારને ચૂંટવાનો. ઠીક છે તમારું ડબલ એન્જિન બહુ ટાઈમથી ચાલે છે, જો ડબલ એન્જિન લગાવ્યા પછી પણ ગાડી નથી ચાલતી તો તે ગાડીને કાઢીને નવા એન્જિનની ગાડીને લાવવી જોઈએ. વચ્ચે ઘણા લોકો આવ્યા છે દિલ્હીથી આવીને વચ્ચે પગ નાખે છે. પણ તમારે વિચારવાનું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ, વલ્લભભાઈએ, ગાંધીજીએ દેશને એક કર્યા અને તેને ચલાવ્યો તે પછી લોકતંત્ર પ્રમાણે દેશ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સમયમાં જે કામ થયા તે મજબૂતી સાથે રહ્યા. એવું નથી થયું કે આજે પુલ રિપેર કર્યો અને કાલે પડી ગયો. અમારું કામ મજબૂત છે, છતા અમને પુછે છે મોદીજી અને શાહ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, અરે ભાઈ 70 વર્ષમાં અમે કાંઈ ન કર્યું હોત તો તમને લોકતંત્ર ન મળ્યું હોત. તમે કહો છો હું ગરીબ છું, અમે તો ગરીબો કરતાં પણ ગરીબ છીએ. તમારી તો કોઈ ચા પણ પીવે છે અમારી તો ચા પણ પીતા નથી. અમે અછૂત છીએ.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.