વિકસીત ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ 14,191 દાહોદ જિલ્લામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:51:08

દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. ગુજરાત દેશના સૌથી વિકસીત અને સમૃધ્ધ રાજ્યોમાં અગ્રેસર છે. જો કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો આખો ખોલી નાખે તેવો છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં નવા જન્મેલા 18,819  જેટલા બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. અને  5,881 ઓછા વજનવાળા બાળકોની નોંધણી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો છેલ્લા એક મહિનામાં કુપોષણનો શિકાર બની જન્મ્યા છે.


રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો 


કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં  છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 છે. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે