વિકસીત ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ 14,191 દાહોદ જિલ્લામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:51:08

દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. ગુજરાત દેશના સૌથી વિકસીત અને સમૃધ્ધ રાજ્યોમાં અગ્રેસર છે. જો કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો આખો ખોલી નાખે તેવો છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં નવા જન્મેલા 18,819  જેટલા બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. અને  5,881 ઓછા વજનવાળા બાળકોની નોંધણી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો છેલ્લા એક મહિનામાં કુપોષણનો શિકાર બની જન્મ્યા છે.


રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો 


કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં  છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 છે. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે