વિકસીત ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ 14,191 દાહોદ જિલ્લામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:51:08

દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. ગુજરાત દેશના સૌથી વિકસીત અને સમૃધ્ધ રાજ્યોમાં અગ્રેસર છે. જો કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા પર નજર કરીએ તો આ આંકડો આખો ખોલી નાખે તેવો છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં નવા જન્મેલા 18,819  જેટલા બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે. અને  5,881 ઓછા વજનવાળા બાળકોની નોંધણી કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1535 બાળકો નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી ઓછા 80 બાળકો તેનો શિકાર બન્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે એવા જિલ્લામાં અમદાવાદ કોર્પોરેશનમાં 1445, રાજકોટ કોર્પોરેશનમાં 1376, વડોદરા કોર્પોરેશનમાં 1153 એન જુનાગઢ કોર્પોરેશનમાં 1070 બાળકો છેલ્લા એક મહિનામાં કુપોષણનો શિકાર બની જન્મ્યા છે.


રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો 


કુપોષણના મુદ્દે સમગ્ર રાજ્યની જો વાત કરી તો ગુજરાતમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે જેમાં સૌથી વધુ 14 હજારની સંખ્યા દાહોદમાં  છે. ગુજરાતમાં હાલમાં 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા 24,101 છે જ્યારે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 1,18,041 છે. રાજ્યમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા 14,191 બાળકો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.