પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની કારનો અકસ્માત, મમતા ઘાયલ થયા, જાણો કઈ રીતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2024-01-24 17:24:46

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની કારનો અકસ્માત થતા તેઓ ઘાયલ થયા છે. મમતા બેનર્જીને માથાના ભાગે ઈજા પહોંચી છે. મમતા બેનર્જીનો મોટર કાફલો વર્ધમાનથી કોલકાત્તા પરત થઈ રહ્યો હતો તે વખતે અન્ય એક વાહન તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન ગાઢ ધુમ્મસ હોવાના કારણે માર્ગ પર વિઝિબિવિટી પણ ઓછી હતી જેથી કારના ડ્રાઈવરે બ્રેક લગાવતા મમતાના માથા પર ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી ખરાબ હવામાન હોવાના કારણે હેલિકોપ્ટરથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.


સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી રોડ માર્ગે આવી રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ-પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તે વાત કરી રહ્યા છે, તેમને જે ઈજા થઈ છે તે બહુ ગંભીર નથી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.