પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની કારનો અકસ્માત, મમતા ઘાયલ થયા, જાણો કઈ રીતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2024-01-24 17:24:46

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની કારનો અકસ્માત થતા તેઓ ઘાયલ થયા છે. મમતા બેનર્જીને માથાના ભાગે ઈજા પહોંચી છે. મમતા બેનર્જીનો મોટર કાફલો વર્ધમાનથી કોલકાત્તા પરત થઈ રહ્યો હતો તે વખતે અન્ય એક વાહન તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન ગાઢ ધુમ્મસ હોવાના કારણે માર્ગ પર વિઝિબિવિટી પણ ઓછી હતી જેથી કારના ડ્રાઈવરે બ્રેક લગાવતા મમતાના માથા પર ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી ખરાબ હવામાન હોવાના કારણે હેલિકોપ્ટરથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.


સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી રોડ માર્ગે આવી રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ-પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તે વાત કરી રહ્યા છે, તેમને જે ઈજા થઈ છે તે બહુ ગંભીર નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે