પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની કારનો અકસ્માત, મમતા ઘાયલ થયા, જાણો કઈ રીતે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2024-01-24 17:24:46

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની કારનો અકસ્માત થતા તેઓ ઘાયલ થયા છે. મમતા બેનર્જીને માથાના ભાગે ઈજા પહોંચી છે. મમતા બેનર્જીનો મોટર કાફલો વર્ધમાનથી કોલકાત્તા પરત થઈ રહ્યો હતો તે વખતે અન્ય એક વાહન તેમના કાફલામાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન ગાઢ ધુમ્મસ હોવાના કારણે માર્ગ પર વિઝિબિવિટી પણ ઓછી હતી જેથી કારના ડ્રાઈવરે બ્રેક લગાવતા મમતાના માથા પર ઈજા થઈ હતી. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી ખરાબ હવામાન હોવાના કારણે હેલિકોપ્ટરથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.


સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ


તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી રોડ માર્ગે આવી રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ-પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી સ્વસ્થ છે. તે વાત કરી રહ્યા છે, તેમને જે ઈજા થઈ છે તે બહુ ગંભીર નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.