NRC મુદ્દે મમતાએ PM મોદીને લખ્યો પત્ર, 'લોહી આપીશું પણ NRCનો અમલ નહીં કરીએ'


  • Published By :
  • Published Date : 2024-02-19 21:38:34

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે NRC લાવવા માટે પશ્ચિમ બંગાળમાં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મતુઆ સમુદાયના મોટાભાગના લોકોના આધાર કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે.


લોહી આપીશું પણ NRCનો અમલ નહીં કરીએ- મમતા બેનર્જી


ભાજપ પર આરોપ લગાવતા મમતા બેનર્જીએ કહ્યું, “હું ભાજપને પૂછવા માંગુ છું કે તેઓ આ ગંદી રમત કેમ રમી રહી છે? તેઓ લોકોના લોકતાંત્રિક અધિકારો, લાભાર્થીઓના અધિકારો છીનવી રહ્યા છે. અમે બંગાળમાં NRC લાગુ કરવાના નથી. યાદ રાખો, અમે અમારું લોહી આપવા માટે તૈયાર છીએ પરંતુ અમે પશ્ચિમ બંગાળમાંથી કોઈ વ્યક્તિને બાકાત રાખવાના નથી.


CM મમતા બેનર્જીએ કહ્યું કે જેમના નામ હટાવવામાં આવી રહ્યા છે તેમને અમે અલગ કાર્ડ આપીશું અને અમે કોઈ ગરીબ સાથે ખોટું નહીં થવા દઈએ. મમતાએ કહ્યું, “અમે પશ્ચિમ બંગાળ સરકારનું આધાર ફરિયાદ પોર્ટલ નામનું પોર્ટલ તૈયાર કર્યું છે." (Aadhaar Grievance Portal of West Bengal Government) જે લોકોના આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે તેઓએ અમને શક્ય તેટલી વહેલી તકે જણાવવું જોઈએ જેથી તેઓ તેમના લોકશાહી, સામાજિક અને આર્થિક અધિકારોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે."

 

PM મોદીને લખ્યો પત્ર


મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પીએમ મોદીને લખેલા પત્રમાં તેણીએ કહ્યું કે હું પશ્ચિમ બંગાળમાં આધાર કાર્ડને બેદરકારીથી નિષ્ક્રિય કરવાની સખત નિંદા કરું છું, ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી સમુદાયોને નિશાન બનાવીને. મમતાએ કહ્યું કે આપણે બધા ભારતના નાગરિક છીએ અને દરેક નાગરિક પશ્ચિમ બંગાળ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે, પછી ભલે તેની પાસે આધાર કાર્ડ હોય કે ન હોય.


દરમિયાન, બંગાળ ભાજપના પ્રમુખ ડૉ. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે, “આધાર કાર્ડ નિષ્ક્રિય કરવા અંગે કેટલીક સમસ્યા જોવા મળી હતી. આ સંદર્ભે હું આજે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યો હતો. ટેકનિકલ ભૂલને કારણે નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં લગભગ 54 હજાર લોકોના આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે