Loksabha Election પહેલા INDIA Allianceને Mamta Banerjeeએ આપ્યો ઝટકો! લોકસભા ચૂંટણી એકલા લડવાની કરી વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-24 13:50:22

લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. 

પશ્ચિમ બંગાળમાં છે 42 લોકસભા બેઠક 

મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તે બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતાના એલાનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે મમતા બેનર્જીએ પહેલા કોંગ્રેસને બે સીટો આપવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણુમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા ચાલોનો નારો આપ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભાની સીટો છે અને તમામ બેઠકો પર એકલા હાથે તૃણુમલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીટ શેરિંગ અંગે કોઈ પણ નેતા(કોંગ્રેસ) સાથે વાત નથી થઈ.  

મમતા બેનર્જીએ જણાવ્યું કે... 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કહે છે કે "મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં , અમે એકલા જ ભાજપને હરાવીશું. હું ભારત ગઠબંધનનો એક ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી..." 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.