Loksabha Election પહેલા INDIA Allianceને Mamta Banerjeeએ આપ્યો ઝટકો! લોકસભા ચૂંટણી એકલા લડવાની કરી વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-24 13:50:22

લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. 

પશ્ચિમ બંગાળમાં છે 42 લોકસભા બેઠક 

મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તે બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતાના એલાનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે મમતા બેનર્જીએ પહેલા કોંગ્રેસને બે સીટો આપવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણુમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા ચાલોનો નારો આપ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભાની સીટો છે અને તમામ બેઠકો પર એકલા હાથે તૃણુમલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીટ શેરિંગ અંગે કોઈ પણ નેતા(કોંગ્રેસ) સાથે વાત નથી થઈ.  

મમતા બેનર્જીએ જણાવ્યું કે... 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કહે છે કે "મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં , અમે એકલા જ ભાજપને હરાવીશું. હું ભારત ગઠબંધનનો એક ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી..." 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.