Loksabha Election પહેલા INDIA Allianceને Mamta Banerjeeએ આપ્યો ઝટકો! લોકસભા ચૂંટણી એકલા લડવાની કરી વાત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-24 13:50:22

લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. 

પશ્ચિમ બંગાળમાં છે 42 લોકસભા બેઠક 

મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તે બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતાના એલાનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે મમતા બેનર્જીએ પહેલા કોંગ્રેસને બે સીટો આપવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણુમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા ચાલોનો નારો આપ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભાની સીટો છે અને તમામ બેઠકો પર એકલા હાથે તૃણુમલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીટ શેરિંગ અંગે કોઈ પણ નેતા(કોંગ્રેસ) સાથે વાત નથી થઈ.  

મમતા બેનર્જીએ જણાવ્યું કે... 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કહે છે કે "મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં , અમે એકલા જ ભાજપને હરાવીશું. હું ભારત ગઠબંધનનો એક ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી..." 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.