Loksabha Election પહેલા INDIA Allianceને Mamta Banerjeeએ આપ્યો ઝટકો! લોકસભા ચૂંટણી એકલા લડવાની કરી વાત, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-24 13:50:22

લોકસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષો દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું. પરંતુ ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. 

પશ્ચિમ બંગાળમાં છે 42 લોકસભા બેઠક 

મમતા બેનર્જીએ જણાવ્યું છે કે તે બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. મમતાના એલાનથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે મમતા બેનર્જીએ પહેલા કોંગ્રેસને બે સીટો આપવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણુમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા ચાલોનો નારો આપ્યો છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભાની સીટો છે અને તમામ બેઠકો પર એકલા હાથે તૃણુમલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. સીટ શેરિંગ અંગે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે સીટ શેરિંગ અંગે કોઈ પણ નેતા(કોંગ્રેસ) સાથે વાત નથી થઈ.  

મમતા બેનર્જીએ જણાવ્યું કે... 

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કહે છે કે "મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં , અમે એકલા જ ભાજપને હરાવીશું. હું ભારત ગઠબંધનનો એક ભાગ છું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી નથી..." 



ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત T-20 વર્લ્ડ કપ માટે કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ રોહિત શર્માને આપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.

જમાવટની ટીમે સાબરકાંઠા લોકસભા બેઠકના બંને ઉમેદવાર શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરીને ફોન કર્યો હતો અને જાણવાની કોશિશ કરી હતી કે આગામી પાંચ વર્ષનું તેમનું વિઝન શું છે.

પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે.. અનેક સ્થળો પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. આ બધા વચ્ચે જમાવટની ટીમ હિંમતનગરના દેધરોટા ગામમાં પહોંચી હતી અને ભાજપ માટે ત્યાંના લોકો શું વિચારે છે, વિવાદને લઈ લોકો શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી..