માંડલ અંધાપા કાંડ: હાઈકોર્ટની સુઓમોટો, હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ, આરોગ્ય મંત્રી પહોંચ્યા હોસ્પિટલ


  • Published By :
  • Published Date : 2024-01-17 21:08:37

અમદાવાદ જિલ્લાના વિરગામના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં અંધાપા કાંડથી મામલો ગરમાયો છે. માંડલની આ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી. આ સર્જરીના બે દિવસ બાદ 17 જેટલા વ્યક્તિએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાત સરકારે તપાસનો આદેશ આપ્યો છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી છે. 


હેલ્થ સેક્રેટરી અને ગ્રામ્ય એસપીને નોટિસ


માંડલ અંધાપા કાંડને લઈ હાઈકોર્ટના જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. તેમણે સવાલ કર્યો હતો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? સેવામાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી? કે પછી ખરેખર શું પરિસ્થિતિ થઇ હતી? આ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ અને સંબંધિત વિસ્તારના એસપીને એક નોટિસ પાઠવવામાં આવી છે. શા માટે આ પરિસ્થિતિ સર્જાય સહિતની વિગતો સાથેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ માગવામાં આવ્યો છે. તે જ રીતે અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી હતી. આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.


આરોગ્ય મંત્રીએ લીધી દર્દીઓની મુલાકાત


માંડલની રામાનંદ આઈ હોસ્પિટલમાં દ 17 જેટલા દર્દીઓને અંધારો આવ્યાના સમાચાર આવતા સરકાર પણ એક્શનમાં આવી છે. આ સમગ્ર મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલને આગળના આદેશો સુધી મોતિયાની વધુ સર્જરી ન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે અમદાવાદની એમ.એન્ડ જે આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 16મી જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જો કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે, તો કડકમાં કડક કાર્યવાહી કરાશે.


શું છે સમગ્ર મામલો?


વિરમગામ તાલુકાના માંડલમા આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીના રોજ 29 જેટલા મોતિયાના દર્દીઓની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરવામાં આવ્યા બાદ 17 જેટલા દર્દીઓને આંખમાં અંધાપોની અસર થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 દર્દીઓને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ્યારે 12 દર્દીઓને રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે 29 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં 12 દર્દી સુરેન્દ્રનગરના હતા, જ્યારે 9 દર્દી અમદાવાદ અને 8 દર્દી પાટણ જિલ્લાના હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.