મેનકા ગાંધીને વિવાદાસ્પદ નિવેદન ભારે પડ્યું, ઈસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો, ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-09-29 17:19:16

ઈસ્કોન અંગે વિવાદાસ્પાદ નિવેદન કરનારા ભાજપના નેતા મેનકા ગાંધીની મુશ્કેલી વધી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ઈસ્કોનના કોલકાત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. દાસે કહ્યું કે 'કોઈ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્યો વગર આવા આરોપ કઈ રીતે આરોપ લગાવી શકે છે? રાધારમણ દાસે કહ્યું કે મેનકા ગાંધીનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમના આવા નિવેદનથી દુનિયાભરમાં ફેલાયેલા અમારા અનુયાયીને દુ:ખ થયું છે. અમે મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ. અમે તેમના પર નોટિસ મોકલી છે. કોઈ સાંસદ, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, તે કોઈ પણ તથ્ય વગર આટલા મોટા વર્ગ સામે જુઠ્ઠું કઈ રીતે બોલી શકે છે.' 


 મેનકા ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?


પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના એક નિવેદનને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ નિવેદનમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ની ગૌશાળાઓમાં રાખવામાં આવેલી ગાયોને કસાઈઓને વેચવામાં આવે છે. ગાંધીએ કહ્યું કે 'ઇસ્કોને ગૌશાળાઓ બનાવીને ઘણો ફાયદો ઉઠાવ્યો છે અને તેના આધારે તેણે સરકાર પાસેથી જમીનના રૂપમાં મોટો ફાયદો પણ લીધો છે. ઈસ્કોન તેની બધી ગાયો કસાઈઓને વેચી રહી છે અને તેમનાથી વધુ આવું કોઈ કરી રહ્યું નથી. ઉલ્લેખનિય છે કે મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા રહ્યા છે.


ઇસ્કોન સોસાયટીએ મેનકા ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મેનકા ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા. ઇસ્કોને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇસ્કોન ગાય અને બળદની સુરક્ષા માટે એક ચોકીદાર છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાયોની સેવા માટે સમર્પિત રહ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .