Iskconને લઈ Maneka Gandhiએ કહી આ વાત, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-27 14:45:40

સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે. 

ISKCON GEV Goshala - Feed Cows

સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેનકા ગાંધીનો વીડિયો 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા થાય છે. ત્યારે અનેક વખત ગૌ તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. કસાઈને ત્યાંથી અનેક વખત ગાયોને છોડાવાતી હોય છે. અનેક મંદિરો એવા છે જ્યાં ગૌશાળા ચાલતી હોય છે. ગાયોને રાખવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના નેતા અને સાંસદ મેનકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈસ્કોન પર તે વીડિયોમાં સાંસદ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી આંધ્ર પ્રદેશમાં અનંતપુર સ્થિત ગૌશાળાની વાત કરી રહ્યા છે. 


Adopt a Cow for a Month | ISKCON Medchal

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેનકા ગાંધી કહી રહ્યા છે : 

“હું તમને કહું...દેશના સૌથી મોટા ગદ્દારો ઇસ્કોન છે. તેઓ ગૌશાળા બનાવે છે અને ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી વિશ્વવ્યાપી લાભ મેળવે છે. મોટી જમીન ઉપલબ્ધ છે. હું હમણાં જ તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી. એક પણ સૂકી ગાય ન હતી, એક સંપૂર્ણ ડેરી હતી. એક વાછરડું પણ નહીં. આનો અર્થ એ કે બધું વેચાઈ ગયું. ઈસ્કોન તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેઓ જેટલી ગાયો વેચે છે તેટલી અન્ય કોઈ નથી. જે લોકો રસ્તા પર જઈને હરે રામ, હરે કૃષ્ણ કહે છે અને દૂધ... દૂધ... કહે છે તેમનું આખું જીવન દૂધ પર આધારિત છે. તેણે કસાઈઓને જેટલી ગાયો વેચી છે તેટલી ગાયો ભાગ્યે જ કોઈએ વેચી હશે.”


શું છે વીડિયોની હકીકત?

મેનકા ગાંધીનો જે વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો એક મહિનો જૂનો છે. 18 ઓગસ્ટ 2023માં તેમણે ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં મેનકા ગાંધીએ આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યું ડો. હર્ષા આત્મકુરીએ લીધો હતો. આત્મકુરીએ પોતાની ડોક્યુમેન્ટરી માટે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો. આ ડોક્યુમેન્ટરીમાં ડેરી ફાર્મિંગ દરમિયાન થતી ક્રૂરતા પર આધારીત છે. મેનકા ગાંધીનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સામે એક વીડિયો આવ્યો જેમાં મેનકા ગાંધી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે ખોટો છે. દેશભરમાં ઈસ્કોન કેટલી ગૌશાળા ચલાવે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 


 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.