Iskconને લઈ Maneka Gandhiએ કહી આ વાત, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-27 14:45:40

સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે. 

ISKCON GEV Goshala - Feed Cows

સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેનકા ગાંધીનો વીડિયો 

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા થાય છે. ત્યારે અનેક વખત ગૌ તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. કસાઈને ત્યાંથી અનેક વખત ગાયોને છોડાવાતી હોય છે. અનેક મંદિરો એવા છે જ્યાં ગૌશાળા ચાલતી હોય છે. ગાયોને રાખવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના નેતા અને સાંસદ મેનકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈસ્કોન પર તે વીડિયોમાં સાંસદ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી આંધ્ર પ્રદેશમાં અનંતપુર સ્થિત ગૌશાળાની વાત કરી રહ્યા છે. 


Adopt a Cow for a Month | ISKCON Medchal

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેનકા ગાંધી કહી રહ્યા છે : 

“હું તમને કહું...દેશના સૌથી મોટા ગદ્દારો ઇસ્કોન છે. તેઓ ગૌશાળા બનાવે છે અને ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી વિશ્વવ્યાપી લાભ મેળવે છે. મોટી જમીન ઉપલબ્ધ છે. હું હમણાં જ તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી. એક પણ સૂકી ગાય ન હતી, એક સંપૂર્ણ ડેરી હતી. એક વાછરડું પણ નહીં. આનો અર્થ એ કે બધું વેચાઈ ગયું. ઈસ્કોન તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેઓ જેટલી ગાયો વેચે છે તેટલી અન્ય કોઈ નથી. જે લોકો રસ્તા પર જઈને હરે રામ, હરે કૃષ્ણ કહે છે અને દૂધ... દૂધ... કહે છે તેમનું આખું જીવન દૂધ પર આધારિત છે. તેણે કસાઈઓને જેટલી ગાયો વેચી છે તેટલી ગાયો ભાગ્યે જ કોઈએ વેચી હશે.”


શું છે વીડિયોની હકીકત?

મેનકા ગાંધીનો જે વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો એક મહિનો જૂનો છે. 18 ઓગસ્ટ 2023માં તેમણે ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં મેનકા ગાંધીએ આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યું ડો. હર્ષા આત્મકુરીએ લીધો હતો. આત્મકુરીએ પોતાની ડોક્યુમેન્ટરી માટે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો. આ ડોક્યુમેન્ટરીમાં ડેરી ફાર્મિંગ દરમિયાન થતી ક્રૂરતા પર આધારીત છે. મેનકા ગાંધીનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સામે એક વીડિયો આવ્યો જેમાં મેનકા ગાંધી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે ખોટો છે. દેશભરમાં ઈસ્કોન કેટલી ગૌશાળા ચલાવે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. 


 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .