સુરત જિલ્લાની માંગરોળ GIDCમાં ગેસ ગળતર, 4 કામદારોના મોત, નીલમ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-08-02 21:13:13

સુરત જિલ્લાના માંગરોળથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ GIDCમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. માંગરોળમાં આવેલા બોરસરા ગામે ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે કેમિકલ ભરેલુ ડ્રમ ખોલ્યું હતુ, જેમાં આ ચારેય કામદારોનો શ્વાસ રૂંધાઈ જતા મોત થયા હતા. ઘટનાના સમાચાર આવતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. આ બનાવને લઈને 4 મૃતક લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કીમની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ માંગરોળ મામલતદાર અને GPCBની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 


કંપનીના માલિકની ધરપકડ 

 

આ સમગ્ર ઘટના અંગે માંગરોળના મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં 5 લોકો બેભાન થયા હતા. જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 4ના મોત થયા છે. મૃત્યુ પામેલા કામદારોમાં 45 વર્ષીય ઈમતિયાઝ અબ્દુલ શેખ, 22 વર્ષીય અમિન પટેલ, 22 વર્ષીય અરુણ અને 54 વર્ષીય રઘાજીનો સમાવેશ થાય છે. ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.