સુરત જિલ્લાની માંગરોળ GIDCમાં ગેસ ગળતર, 4 કામદારોના મોત, નીલમ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-08-02 21:13:13

સુરત જિલ્લાના માંગરોળથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ GIDCમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. માંગરોળમાં આવેલા બોરસરા ગામે ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે કેમિકલ ભરેલુ ડ્રમ ખોલ્યું હતુ, જેમાં આ ચારેય કામદારોનો શ્વાસ રૂંધાઈ જતા મોત થયા હતા. ઘટનાના સમાચાર આવતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. આ બનાવને લઈને 4 મૃતક લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કીમની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ માંગરોળ મામલતદાર અને GPCBની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 


કંપનીના માલિકની ધરપકડ 

 

આ સમગ્ર ઘટના અંગે માંગરોળના મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં 5 લોકો બેભાન થયા હતા. જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 4ના મોત થયા છે. મૃત્યુ પામેલા કામદારોમાં 45 વર્ષીય ઈમતિયાઝ અબ્દુલ શેખ, 22 વર્ષીય અમિન પટેલ, 22 વર્ષીય અરુણ અને 54 વર્ષીય રઘાજીનો સમાવેશ થાય છે. ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.