સુરત જિલ્લાની માંગરોળ GIDCમાં ગેસ ગળતર, 4 કામદારોના મોત, નીલમ ઈન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-08-02 21:13:13

સુરત જિલ્લાના માંગરોળથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ GIDCમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. માંગરોળમાં આવેલા બોરસરા ગામે ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે કેમિકલ ભરેલુ ડ્રમ ખોલ્યું હતુ, જેમાં આ ચારેય કામદારોનો શ્વાસ રૂંધાઈ જતા મોત થયા હતા. ઘટનાના સમાચાર આવતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. આ બનાવને લઈને 4 મૃતક લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કીમની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ માંગરોળ મામલતદાર અને GPCBની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 


કંપનીના માલિકની ધરપકડ 

 

આ સમગ્ર ઘટના અંગે માંગરોળના મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ગેસનું ગળતર થયું હતું. જેમાં 5 લોકો બેભાન થયા હતા. જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 4ના મોત થયા છે. મૃત્યુ પામેલા કામદારોમાં 45 વર્ષીય ઈમતિયાઝ અબ્દુલ શેખ, 22 વર્ષીય અમિન પટેલ, 22 વર્ષીય અરુણ અને 54 વર્ષીય રઘાજીનો સમાવેશ થાય છે. ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.