સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક થતાં ભાવ ગગડ્યા, 10 કિલો કેરીની આ કિંમતે થાય છે હરાજી


  • Published By :
  • Published Date : 2023-05-31 16:24:24

કેસર કેરીના શોખિનો માટે સારા સમાચાર આવ્યા છે, સૌરાષ્ટ્રની જગવિખ્યાત કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય માણસ પણ માણી શકશે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીથી જુનાગઢ યાર્ડ ઉભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 15થી 20 હજાર બોક્સ ઉતરી રહ્યા છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે. 


કેરીના મબલખ ઉત્પાદનના કારણે ભાવ ગગડ્યા


સૌરાષ્ટ્રમાં પાછોતરી કેરી એક સાથે આવી છે અને મબલક કેરી માર્કેટ યાર્ડમાં આવી રહી છે, જેને કારણે ભાવ ગગડ્યા છે. કેરીના બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારોનું કહેવું છે કે, અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે.

 

કમોસમી વરસાદને કેરીના ઉત્પાદનને ફટકો

 

ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ હતી.ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ હતી. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા. કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.