સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક થતાં ભાવ ગગડ્યા, 10 કિલો કેરીની આ કિંમતે થાય છે હરાજી


  • Published By :
  • Published Date : 2023-05-31 16:24:24

કેસર કેરીના શોખિનો માટે સારા સમાચાર આવ્યા છે, સૌરાષ્ટ્રની જગવિખ્યાત કેસર કેરીનો સ્વાદ હવે સામાન્ય માણસ પણ માણી શકશે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ધૂમ આવક શરુ થઇ છે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીથી જુનાગઢ યાર્ડ ઉભરાઈ ગયું છે. માર્કેટ યાર્ડમાં દરરોજ 15થી 20 હજાર બોક્સ ઉતરી રહ્યા છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે. 


કેરીના મબલખ ઉત્પાદનના કારણે ભાવ ગગડ્યા


સૌરાષ્ટ્રમાં પાછોતરી કેરી એક સાથે આવી છે અને મબલક કેરી માર્કેટ યાર્ડમાં આવી રહી છે, જેને કારણે ભાવ ગગડ્યા છે. કેરીના બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારોનું કહેવું છે કે, અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે. જેને લઇ અમારે પણ કેરી સસ્તી વેચવી પડે છે.

 

કમોસમી વરસાદને કેરીના ઉત્પાદનને ફટકો

 

ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર ગંભીર અસર થઇ હતી.ખાસ તો ભારે પવન, કમોસમી વરસાદને કારણે વર્ષમાં એક વાર આવતા કેરીના પાક પર વિપરીત અસર થઇ હતી. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા. કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.