મણિપુર હિંસા: ‘આપ’નું બંધનું એલાન, ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં આજે સજ્જડ બંધ


  • Published By :
  • Published Date : 2023-07-23 15:31:41

આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આપેલા બંધના એલાન બાદ આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું હતું, મણિપુરની હિંસાને મુદ્દે આજે તમામ આદિવાસી વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યું. મણીપુરમાં અઢી મહિનાથી હિંસા ચાલી રહી છે, તેને રોકવા માટે સરકાર પગલા લે તે આશા સાથે બંધ પાડવામાં આવ્યો હતો. બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી સહિત અનેક સંગઠનોએ સમર્થન જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મણીપુરમાં બે મહિલાઓ સાથે જે બર્બરતા આચરવામાં આવી તેને જોઈને આખો દેશ હચમચી ગયો હતો.


14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ 


મણીપુરમાં થયેલી આ ઘટનાના વિરોધમાં અમે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે 14 જિલ્લા અને 52 તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આ બંધના એલાનને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, બિટીપી પાર્ટી સહિત અનેક પાર્ટી તથા રાજકીય લોકોએ સમર્થન આપ્યું હતું. આના સિવાય ખેડૂત સંગઠન, સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન, વેપારી સંગઠન સહિત તમામ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું. અમે આ સહુ સંગઠન અને તમામ લોકોનો આભાર માનીએ છીએ.


ચૈતર વસાવાએ શું કહ્યું?


આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુરની ઘટનાના પગલે આજે આદિવાસી વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું, તે બાબત પર મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે, મણિપુરમાં અઢી મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60,000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે. અને ગામેગામ આગમાં બાળી નાખવામાં આવ્યા છે. કૂકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યું હતું. 100થી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાને જોઈને આખો દેશ હચમચી ગયો છે. પરંતુ દેશના રાષ્ટ્રપ્રધાન એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. આ સિવાય દેશના વડાપ્રધાન, મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની અને ગૃહ મંત્રી પણ કંઈ બોલવા માટે તૈયાર નથી. મણીપુરના મુખ્યમંત્રીએ તો તેમ કહી દીધું કે "મણિપુરમાં આવી હજારો ઘટના ઘટી છે, એટલા માટે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે." તો મારે તેમને એટલું જ કહેવું છે કે જો તમે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. અમે મણીપુરના રાજ્યપાલને પણ કહીએ છીએ કે તમે પણ રાજીનામું આપી દો.


ભારત બંધના એલાનની ચિમકી


આપના નેતા ચૈતર વસાવાએ જાહેરાત કરી હતી કે અમને આશા છે કે સરકાર મણીપુરમાં હસ્તક્ષેપ કરી અને ત્યાં થઈ રહેલ હિંસાને અટકાવશે. જો સરકાર દ્વારા મણીપુર હિંસા બાબતે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અમે સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં બંધનું એલાન પણ આપી શકીશું અને રસ્તા પર ઉતરવાની જરૂરત પડી તો અમે રસ્તા પર પણ ઉતરીશું. અને જો દિલ્હીમાં જંતર મંતર પર ધરણા પર બેસવું પડ્યું તો લાખોની સંખ્યામાં જંતર મંતર પર આવીને વિરોધ પણ કરીશું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.