'INDIA' મહા ગઠબંધનના સાંસદો 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જશે


  • Published By :
  • Published Date : 2023-07-27 16:40:51

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અને મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષો આ મામલે એકજુથ થઈને સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે I.N.D.I.A. ગઠબંધન સાથે સંકળાયેલા વિપક્ષી સાંસદોની એક ટીમ 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જવાની છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચુક્યો છે.


 20 થી વધુ સાંસદો જશે મણિપુર


વિપક્ષી મહા ગઠબંધન I.N.D.I.A.ના 26 રાજકીય પક્ષોના સાંસદો આગામી 29-30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે માહિતી આપી હતી કે, 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. ટાગોરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા ઇચ્છતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી ન આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગત દિવસોમાં મણિપુરની મુલાકાત લીધી હતી.


મણિપુર મુદ્દે વિપક્ષ અડગ


મણિપુર હિંસા અને વડા પ્રધાનના નિવેદન પર વિસ્તૃત ચર્ચાની માગણી સાથે વિરોધ પક્ષો રાજ્યસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે વડાપ્રધાન ગૃહમાં આવીને નિવેદન આપે પરંતુ તેઓ રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને રાજસ્થાનમાં પ્રચારમાં વ્યસ્ત છે. મતલબ કે તેઓ લોકશાહીમાં માનતા નથી. તે લોકશાહી અને બંધારણને બચાવવા માંગતા નથી. તે સંસદનું અપમાન કરી રહ્યા છે. 20 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી જ વિપક્ષી દળો તેમની માંગણીઓ માટે હોબાળો કરી રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .