'INDIA' મહા ગઠબંધનના સાંસદો 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જશે


  • Published By :
  • Published Date : 2023-07-27 16:40:51

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અને મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષો આ મામલે એકજુથ થઈને સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે I.N.D.I.A. ગઠબંધન સાથે સંકળાયેલા વિપક્ષી સાંસદોની એક ટીમ 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જવાની છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચુક્યો છે.


 20 થી વધુ સાંસદો જશે મણિપુર


વિપક્ષી મહા ગઠબંધન I.N.D.I.A.ના 26 રાજકીય પક્ષોના સાંસદો આગામી 29-30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે માહિતી આપી હતી કે, 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. ટાગોરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા ઇચ્છતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી ન આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગત દિવસોમાં મણિપુરની મુલાકાત લીધી હતી.


મણિપુર મુદ્દે વિપક્ષ અડગ


મણિપુર હિંસા અને વડા પ્રધાનના નિવેદન પર વિસ્તૃત ચર્ચાની માગણી સાથે વિરોધ પક્ષો રાજ્યસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે વડાપ્રધાન ગૃહમાં આવીને નિવેદન આપે પરંતુ તેઓ રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને રાજસ્થાનમાં પ્રચારમાં વ્યસ્ત છે. મતલબ કે તેઓ લોકશાહીમાં માનતા નથી. તે લોકશાહી અને બંધારણને બચાવવા માંગતા નથી. તે સંસદનું અપમાન કરી રહ્યા છે. 20 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી જ વિપક્ષી દળો તેમની માંગણીઓ માટે હોબાળો કરી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.