મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા બાદ 'INDIA' ગઠબંધનના 21 સાંસદો દિલ્હી પહોંચ્યા, રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપી કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-07-30 17:30:18

'INDIA'ના ગઠબંધનના સાંસદો રવિવારે મણિપુરથી આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારતના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવન ખાતે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું હતું અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે વાતચીત દરમિયાન સૂચન કર્યું કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવે.


હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત


વિપક્ષી મહાગઠબંધનનું 21-સાંસદોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં 4 મેથી ચાલી રહેલી જાતિય હિંસાનો ભોગ બન્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ 21 સાંસદોએ તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. મણિપુરની પરિસ્થિતિ પર અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પીડા વ્યક્ત કરી હતી.


ભાજપે વિપક્ષ પર લગાવ્યો દેખાડાનો આરોપ


ભાજપે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના સાંસદોની મણિપુરની મુલાકાતને દેખાડો અને રાજકીય પ્રવાસ ગણાવ્યો હતો. ભાજપના નેતા અજય આલોક પર નિશાન સાધ્યું હતું. આલોકે મીડિયાને જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ પ્રવાસન માટે મણિપુર ગયું હતું. તેઓ સંસદમાં ચર્ચા કરી શકતા નથી, મણિપુરમાં તેઓ શું આંકલન કરશે? તેમણે માત્ર પોતાના રાજકીય લાભ માટે મણિપુરની મુલાકાત લીધી છે. સંસદમાં મણિપુર પરની ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, વિપક્ષને ગમે ત્યાં જવાનો અધિકાર છે. પરંતુ, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેઓ શા માટે મણિપુર દોડી રહ્યા છે?



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.