મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા બાદ 'INDIA' ગઠબંધનના 21 સાંસદો દિલ્હી પહોંચ્યા, રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપી કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-07-30 17:30:18

'INDIA'ના ગઠબંધનના સાંસદો રવિવારે મણિપુરથી આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારતના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવન ખાતે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું હતું અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે વાતચીત દરમિયાન સૂચન કર્યું કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવે.


હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત


વિપક્ષી મહાગઠબંધનનું 21-સાંસદોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં 4 મેથી ચાલી રહેલી જાતિય હિંસાનો ભોગ બન્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ 21 સાંસદોએ તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. મણિપુરની પરિસ્થિતિ પર અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પીડા વ્યક્ત કરી હતી.


ભાજપે વિપક્ષ પર લગાવ્યો દેખાડાનો આરોપ


ભાજપે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના સાંસદોની મણિપુરની મુલાકાતને દેખાડો અને રાજકીય પ્રવાસ ગણાવ્યો હતો. ભાજપના નેતા અજય આલોક પર નિશાન સાધ્યું હતું. આલોકે મીડિયાને જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ પ્રવાસન માટે મણિપુર ગયું હતું. તેઓ સંસદમાં ચર્ચા કરી શકતા નથી, મણિપુરમાં તેઓ શું આંકલન કરશે? તેમણે માત્ર પોતાના રાજકીય લાભ માટે મણિપુરની મુલાકાત લીધી છે. સંસદમાં મણિપુર પરની ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, વિપક્ષને ગમે ત્યાં જવાનો અધિકાર છે. પરંતુ, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેઓ શા માટે મણિપુર દોડી રહ્યા છે?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.