મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા બાદ 'INDIA' ગઠબંધનના 21 સાંસદો દિલ્હી પહોંચ્યા, રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપી કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-07-30 17:30:18

'INDIA'ના ગઠબંધનના સાંસદો રવિવારે મણિપુરથી આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારતના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવન ખાતે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું હતું અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે વાતચીત દરમિયાન સૂચન કર્યું કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવે.


હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત


વિપક્ષી મહાગઠબંધનનું 21-સાંસદોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં 4 મેથી ચાલી રહેલી જાતિય હિંસાનો ભોગ બન્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ 21 સાંસદોએ તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. મણિપુરની પરિસ્થિતિ પર અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પીડા વ્યક્ત કરી હતી.


ભાજપે વિપક્ષ પર લગાવ્યો દેખાડાનો આરોપ


ભાજપે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના સાંસદોની મણિપુરની મુલાકાતને દેખાડો અને રાજકીય પ્રવાસ ગણાવ્યો હતો. ભાજપના નેતા અજય આલોક પર નિશાન સાધ્યું હતું. આલોકે મીડિયાને જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ પ્રવાસન માટે મણિપુર ગયું હતું. તેઓ સંસદમાં ચર્ચા કરી શકતા નથી, મણિપુરમાં તેઓ શું આંકલન કરશે? તેમણે માત્ર પોતાના રાજકીય લાભ માટે મણિપુરની મુલાકાત લીધી છે. સંસદમાં મણિપુર પરની ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, વિપક્ષને ગમે ત્યાં જવાનો અધિકાર છે. પરંતુ, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેઓ શા માટે મણિપુર દોડી રહ્યા છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.