મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા બાદ 'INDIA' ગઠબંધનના 21 સાંસદો દિલ્હી પહોંચ્યા, રાજ્યપાલને મેમોરેન્ડમ સોંપી કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-07-30 17:30:18

'INDIA'ના ગઠબંધનના સાંસદો રવિવારે મણિપુરથી આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારતના વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે રાજભવન ખાતે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યું હતું અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે વાતચીત દરમિયાન સૂચન કર્યું કે હિંસાગ્રસ્ત મણિપુરમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવે.


હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત


વિપક્ષી મહાગઠબંધનનું 21-સાંસદોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચ્યું હતું, જ્યાં 4 મેથી ચાલી રહેલી જાતિય હિંસાનો ભોગ બન્યું છે. રાજ્યપાલને મળ્યા બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ 21 સાંસદોએ તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. મણિપુરની પરિસ્થિતિ પર અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે તેમની પીડા વ્યક્ત કરી હતી.


ભાજપે વિપક્ષ પર લગાવ્યો દેખાડાનો આરોપ


ભાજપે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના સાંસદોની મણિપુરની મુલાકાતને દેખાડો અને રાજકીય પ્રવાસ ગણાવ્યો હતો. ભાજપના નેતા અજય આલોક પર નિશાન સાધ્યું હતું. આલોકે મીડિયાને જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું પ્રતિનિધિમંડળ પ્રવાસન માટે મણિપુર ગયું હતું. તેઓ સંસદમાં ચર્ચા કરી શકતા નથી, મણિપુરમાં તેઓ શું આંકલન કરશે? તેમણે માત્ર પોતાના રાજકીય લાભ માટે મણિપુરની મુલાકાત લીધી છે. સંસદમાં મણિપુર પરની ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો હોવાનો આરોપ લગાવતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, વિપક્ષને ગમે ત્યાં જવાનો અધિકાર છે. પરંતુ, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેઓ શા માટે મણિપુર દોડી રહ્યા છે?



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .