Manipur Violence : હિંસા શાંત થવાને બદલે વધુ ભડકી, પ્રદર્શનકારીઓએ BJP કાર્યાલયને આગને હવાલે કરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-28 14:36:24

મણિપુરમાં હિંસા વધતી જઈ રહી છે. ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. ફોટો વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી છે. હાલત અતિશય ખરાબ થઈ રહ્યા છે. વિવાદ શાંત થવાની બદલીમાં વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરી એક વખત લગાવી દેવામાં આવ્યો છે. અશાંત રાજ્ય તરીકે મણિપુરને ઘોષિત કરવામાં આવ્યું છે. ફોટો વાયરલ થયા બાદ મણિપુરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે 27 સપ્ટેમ્બરે પ્રદર્શનકારીઓએ બીજેપી કાર્યાલયને આગને હવાલે કરી દીધી છે.  


વિદ્યાર્થીઓના ફોટા વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી 

ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસાના સમાચાર તમે સાંભળતા હશો. મણિપુરથી જે સમાચાર સામે આવતા હોય છે તે ભડકેલી હિંસાના જ હોય છે. મૈતેઈ સમુદાયની માગ બાદ આ આખો મામલો ઉગ્ર બન્યો. અનેક મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. આ આખી ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મામલો હજી શાંત પણ પડ્યો ન હતો ત્યારે તો વાયરલ ફોટાએ બળતા ઘી હોંમવા જેવું કામ કર્યું. ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો વાયરલ થયા. આ વાતને કારણે ફરી એક વખત હિંસા ભડકી ઉઠી. 

Manipur, cm biren singh, Manipur violence

બીજેપી કાર્યાલયને પ્રદર્શનકારીઓ કરી આગને હવાલે 

રોષે ભરાયેલા લોકોએ, પ્રદર્શનકારીઓએ 27 સપ્ટેમ્બરે  થૌબલ જિલ્લા સ્થિત ભાજપના કાર્યાલયને આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષા બળો ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં સુધી આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ઓફિસમાં રાખેલા ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઓફિસને તો આગ લગાડી પરંતુ મેઈન ગેટ અને બારીઓને પણ તોડી દીધી. મહત્વનું છે કે જૂન મહિનામાં બીજેપીની ત્રણ ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આગને હવાલે ઓફિસને કરી દેવામાં આવી હતી. 


અશાંત ક્ષેત્ર તરીકે મણિપુરને કરાયું ઘોષિત

મણિપુરમાં ભડકેલી હિંસાને જોતા રાજ્ય સરકારે 27 સપ્ટેમ્બરે આખા રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી દીધું હતું. કાયદા કાનૂનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો વણસી રહેલી હિંસાને કાબુમાં લાવવા માટે સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. સરકારે અનેક વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યું છે. 


મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન 

વિદ્યાર્થીના ફોટો સામે આવ્યા બાદ હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મૃતદેહો ક્યાં છે તે જાણી શકાયું નથી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરક્ષા બળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેને કારણે અનેક લોકો ઈજાગસ્ત પણ થયા હતા. સારવાર માટે તેમને નજીકના હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વાળો મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. દોષિતોને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે તેવું આશ્વાસન મણિપુરના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વિપક્ષ દ્વારા અનેક વખત પીએમ મોદીના મૌનને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.  





IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .