Manipur Violence : હિંસા શાંત થવાને બદલે વધુ ભડકી, પ્રદર્શનકારીઓએ BJP કાર્યાલયને આગને હવાલે કરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-28 14:36:24

મણિપુરમાં હિંસા વધતી જઈ રહી છે. ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. ફોટો વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી છે. હાલત અતિશય ખરાબ થઈ રહ્યા છે. વિવાદ શાંત થવાની બદલીમાં વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરી એક વખત લગાવી દેવામાં આવ્યો છે. અશાંત રાજ્ય તરીકે મણિપુરને ઘોષિત કરવામાં આવ્યું છે. ફોટો વાયરલ થયા બાદ મણિપુરમાં સતત વિરોધ થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે 27 સપ્ટેમ્બરે પ્રદર્શનકારીઓએ બીજેપી કાર્યાલયને આગને હવાલે કરી દીધી છે.  


વિદ્યાર્થીઓના ફોટા વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી 

ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસાના સમાચાર તમે સાંભળતા હશો. મણિપુરથી જે સમાચાર સામે આવતા હોય છે તે ભડકેલી હિંસાના જ હોય છે. મૈતેઈ સમુદાયની માગ બાદ આ આખો મામલો ઉગ્ર બન્યો. અનેક મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. આ આખી ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મામલો હજી શાંત પણ પડ્યો ન હતો ત્યારે તો વાયરલ ફોટાએ બળતા ઘી હોંમવા જેવું કામ કર્યું. ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો વાયરલ થયા. આ વાતને કારણે ફરી એક વખત હિંસા ભડકી ઉઠી. 

Manipur, cm biren singh, Manipur violence

બીજેપી કાર્યાલયને પ્રદર્શનકારીઓ કરી આગને હવાલે 

રોષે ભરાયેલા લોકોએ, પ્રદર્શનકારીઓએ 27 સપ્ટેમ્બરે  થૌબલ જિલ્લા સ્થિત ભાજપના કાર્યાલયને આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષા બળો ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં સુધી આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ઓફિસમાં રાખેલા ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઓફિસને તો આગ લગાડી પરંતુ મેઈન ગેટ અને બારીઓને પણ તોડી દીધી. મહત્વનું છે કે જૂન મહિનામાં બીજેપીની ત્રણ ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આગને હવાલે ઓફિસને કરી દેવામાં આવી હતી. 


અશાંત ક્ષેત્ર તરીકે મણિપુરને કરાયું ઘોષિત

મણિપુરમાં ભડકેલી હિંસાને જોતા રાજ્ય સરકારે 27 સપ્ટેમ્બરે આખા રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી દીધું હતું. કાયદા કાનૂનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો વણસી રહેલી હિંસાને કાબુમાં લાવવા માટે સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. સરકારે અનેક વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યું છે. 


મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન 

વિદ્યાર્થીના ફોટો સામે આવ્યા બાદ હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મૃતદેહો ક્યાં છે તે જાણી શકાયું નથી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરક્ષા બળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેને કારણે અનેક લોકો ઈજાગસ્ત પણ થયા હતા. સારવાર માટે તેમને નજીકના હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વાળો મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. દોષિતોને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે તેવું આશ્વાસન મણિપુરના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વિપક્ષ દ્વારા અનેક વખત પીએમ મોદીના મૌનને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.  





૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.