સિસોદિયાને કોઈ રાહત નહીં, જામીન નામંજુર કરતા કોર્ટે કહ્યું "તે જ શરાબ કૌંભાડના માસ્ટર માઈન્ડ"


  • Published By :
  • Published Date : 2023-04-03 15:47:43

દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશીબત હજુ પણ યથાવત છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી દીધી છે, કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. જો કે કોર્ટે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરતા જે ટિપ્પણી કરી તે જાણીને સૌને આશ્ચર્ય થયું છે.


કોર્ટે કાઢી ઝાટકણી


દિલ્હી કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવીને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તેમને લાંચ તરીકે 90 થી 100 કરોડ રૂપિયા મળવાના હતા. પોતાના 34 પાનાના આદેશમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વિશેષ અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે તમામ પુરાવા આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધ છે. આ પુરાવા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સિસોદિયા ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા હતા.


પુરાવા સાથે ચેડાં કરી શકે


પોતાના 34 પાનાના ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને છોડી શકે નહીં. તેને લાગે છે કે જો સિસોદિયાને જામીન મળે તો તે બહાર જઈને તે રમત રમી શકે છે. તેઓ પુરાવા સાથે ચેડાં કરવા સાથે કેસ સાથે સંબંધિત મહત્વની કડીઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હજુ સુધી સીબીઆઈએ કેસની તપાસ પૂર્ણ કરી નથી. તેથી તેઓને છોડી શકાય નહીં.


સાઉથની લોબીના લાભ માટે કર્યો ખેલ


જજ એમકે નાગપાલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીનું દારૂ કૌભાંડ સામાન્ય લોકોને મોટા પાયે અસર કરે છે. દારૂની નીતિ ઘડતી વખતે સિસોદિયાએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે તે ઘણા લોકો સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આ કૌભાંડ આર્થિક અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે આ આખો ખેલ દક્ષિણની લોબીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમના લાભ માટે નિયમો તોડવામાં આવ્યા હતા. લાંચની રકમમાંથી 20-30 કરોડ રૂપિયા વિજય નાયર, અભિષેક બોઈલપલ્લી અને અભિષેક અરોરા દ્વારા ફરતા હતા. કોર્ટે કહ્યું કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અમુક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે રમત રમ્યા હતા. તેઓ દારૂના અમુક વેપારીઓને ફાયદો કરાવવા માંગતા હતા. આ માટે તેણે તમામ નિયમો તોડી નાખ્યા અને તેને ટ્વિસ્ટ કર્યા. દક્ષિણની લોબી સાથે તેમની સાંઠગાંઠ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.