સિસોદિયાને કોઈ રાહત નહીં, જામીન નામંજુર કરતા કોર્ટે કહ્યું "તે જ શરાબ કૌંભાડના માસ્ટર માઈન્ડ"


  • Published By :
  • Published Date : 2023-04-03 15:47:43

દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશીબત હજુ પણ યથાવત છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી દીધી છે, કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. જો કે કોર્ટે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરતા જે ટિપ્પણી કરી તે જાણીને સૌને આશ્ચર્ય થયું છે.


કોર્ટે કાઢી ઝાટકણી


દિલ્હી કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવીને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તેમને લાંચ તરીકે 90 થી 100 કરોડ રૂપિયા મળવાના હતા. પોતાના 34 પાનાના આદેશમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વિશેષ અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે તમામ પુરાવા આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધ છે. આ પુરાવા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સિસોદિયા ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા હતા.


પુરાવા સાથે ચેડાં કરી શકે


પોતાના 34 પાનાના ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને છોડી શકે નહીં. તેને લાગે છે કે જો સિસોદિયાને જામીન મળે તો તે બહાર જઈને તે રમત રમી શકે છે. તેઓ પુરાવા સાથે ચેડાં કરવા સાથે કેસ સાથે સંબંધિત મહત્વની કડીઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હજુ સુધી સીબીઆઈએ કેસની તપાસ પૂર્ણ કરી નથી. તેથી તેઓને છોડી શકાય નહીં.


સાઉથની લોબીના લાભ માટે કર્યો ખેલ


જજ એમકે નાગપાલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીનું દારૂ કૌભાંડ સામાન્ય લોકોને મોટા પાયે અસર કરે છે. દારૂની નીતિ ઘડતી વખતે સિસોદિયાએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે તે ઘણા લોકો સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આ કૌભાંડ આર્થિક અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે આ આખો ખેલ દક્ષિણની લોબીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમના લાભ માટે નિયમો તોડવામાં આવ્યા હતા. લાંચની રકમમાંથી 20-30 કરોડ રૂપિયા વિજય નાયર, અભિષેક બોઈલપલ્લી અને અભિષેક અરોરા દ્વારા ફરતા હતા. કોર્ટે કહ્યું કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અમુક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે રમત રમ્યા હતા. તેઓ દારૂના અમુક વેપારીઓને ફાયદો કરાવવા માંગતા હતા. આ માટે તેણે તમામ નિયમો તોડી નાખ્યા અને તેને ટ્વિસ્ટ કર્યા. દક્ષિણની લોબી સાથે તેમની સાંઠગાંઠ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.