સિસોદિયાને કોઈ રાહત નહીં, જામીન નામંજુર કરતા કોર્ટે કહ્યું "તે જ શરાબ કૌંભાડના માસ્ટર માઈન્ડ"


  • Published By :
  • Published Date : 2023-04-03 15:47:43

દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશીબત હજુ પણ યથાવત છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી દીધી છે, કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. જો કે કોર્ટે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરતા જે ટિપ્પણી કરી તે જાણીને સૌને આશ્ચર્ય થયું છે.


કોર્ટે કાઢી ઝાટકણી


દિલ્હી કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવીને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તેમને લાંચ તરીકે 90 થી 100 કરોડ રૂપિયા મળવાના હતા. પોતાના 34 પાનાના આદેશમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વિશેષ અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે તમામ પુરાવા આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધ છે. આ પુરાવા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સિસોદિયા ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા હતા.


પુરાવા સાથે ચેડાં કરી શકે


પોતાના 34 પાનાના ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને છોડી શકે નહીં. તેને લાગે છે કે જો સિસોદિયાને જામીન મળે તો તે બહાર જઈને તે રમત રમી શકે છે. તેઓ પુરાવા સાથે ચેડાં કરવા સાથે કેસ સાથે સંબંધિત મહત્વની કડીઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હજુ સુધી સીબીઆઈએ કેસની તપાસ પૂર્ણ કરી નથી. તેથી તેઓને છોડી શકાય નહીં.


સાઉથની લોબીના લાભ માટે કર્યો ખેલ


જજ એમકે નાગપાલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીનું દારૂ કૌભાંડ સામાન્ય લોકોને મોટા પાયે અસર કરે છે. દારૂની નીતિ ઘડતી વખતે સિસોદિયાએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે તે ઘણા લોકો સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આ કૌભાંડ આર્થિક અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે આ આખો ખેલ દક્ષિણની લોબીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમના લાભ માટે નિયમો તોડવામાં આવ્યા હતા. લાંચની રકમમાંથી 20-30 કરોડ રૂપિયા વિજય નાયર, અભિષેક બોઈલપલ્લી અને અભિષેક અરોરા દ્વારા ફરતા હતા. કોર્ટે કહ્યું કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અમુક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે રમત રમ્યા હતા. તેઓ દારૂના અમુક વેપારીઓને ફાયદો કરાવવા માંગતા હતા. આ માટે તેણે તમામ નિયમો તોડી નાખ્યા અને તેને ટ્વિસ્ટ કર્યા. દક્ષિણની લોબી સાથે તેમની સાંઠગાંઠ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.