ગુજરાતમાં મનીષ સિસોદિયા કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:08:18

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બાદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  6 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બસ હવે પરિવર્તન જોઈએની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાના છે. ઉત્તર ગુજરાતમાં તેઓ પ્રચાર કરવાના છે.

'બસ હવે પરિવર્તન જોઈએ' થીમ પર સિસોદિયા કરશે યાત્રા

અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. મનીષ સિસોદિયા ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએની ટીમ પર પ્રચાર કરવાની છે. 21 સપ્ટેમ્બરથી નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરવાના છે. સાબરમતી આશ્રમ ખાતેથી તેમની યાત્રાનો પ્રારંભ થવાનો છે.

What next for Manish Sisodia, raided over Delhi liquor policy? - India News

વડોદરામાં અરવિંદ કેજરીવાલે કર્યો પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રચાર દરમિયાન અનેક વાયદા કર્યા છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.  આ અગાઉ તેમણે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કહી હતી. ઉપરાંત બેરોજગારોને બેરાડગારી ભથ્થું આપવામાં આવશે તેવી અનેક જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .