ગુજરાતમાં મનીષ સિસોદિયા કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:08:18

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બાદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  6 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બસ હવે પરિવર્તન જોઈએની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાના છે. ઉત્તર ગુજરાતમાં તેઓ પ્રચાર કરવાના છે.

'બસ હવે પરિવર્તન જોઈએ' થીમ પર સિસોદિયા કરશે યાત્રા

અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. મનીષ સિસોદિયા ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએની ટીમ પર પ્રચાર કરવાની છે. 21 સપ્ટેમ્બરથી નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરવાના છે. સાબરમતી આશ્રમ ખાતેથી તેમની યાત્રાનો પ્રારંભ થવાનો છે.

What next for Manish Sisodia, raided over Delhi liquor policy? - India News

વડોદરામાં અરવિંદ કેજરીવાલે કર્યો પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રચાર દરમિયાન અનેક વાયદા કર્યા છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.  આ અગાઉ તેમણે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કહી હતી. ઉપરાંત બેરોજગારોને બેરાડગારી ભથ્થું આપવામાં આવશે તેવી અનેક જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.