CBIને બેંક લોકરમાંથી કાંઈ ન મળ્યું, રાજકીય ષડયંત્રનો મનીષ સિસોદિયાનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 15:10:15

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી.  સીબીઆઈની તપાસ પુર્ણ થયા બાદ  મનીષ સિસોદિયાએ કહ્યું  કે સત્યની જીત થાય છે. સીબીઆઈની ટીમને લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. સીબીઆઈ પર પીએમ મોદીનું દબાણ છે, કોઈ પણ રીતે મનીષ સિસોદિયાને જેલમાં નાખો. એક રૂપિયાની પણ હેરાફેરી કરી નથી. સિસોદિયાએ વડા પ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું કે મને આનંદ છે કે તેમણે મારા ઘર પર દરોડો પડાવ્યો, જોકે મારા બેંક લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. આ બાબત પુરાવો છે કે પીએમની તપાસમાં હું અને મારો પરિવાર અણીશુધ્ધ સાબિત થયા.    


મનીષ સિસોદિયા એમને તેમની પત્ની ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં તપાસ માટે ગયા હતા. સીબીઆઈની ટીમ પણ અહીં હાજર હતી. તે જ સમયે, લોકરની તપાસ પૂર્ણ થયા પછી, તેમણે મીડિયાની સામે આવીને આ નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલને આગળ વધતા રોકવા માટે તેમને એક ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 


સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા  કહ્યું કે આ માત્ર તેમના દબાણથી થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.


અધિકારીઓ પણ સહમત છે કે અમે કંઈ ખોટું કર્યું નથીઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમના નોકર સિવાય સીબીઆઈએ ઘર અને અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. અંતે તેમણે એમ પણ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે CBI તપાસમાં સામેલ અધિકારીઓ પણ માને છે કે મનીષ સિસોદિયાએ કંઈ ખોટું કર્યું નથી. તેમણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે અને પોતાના વતી ક્લીનચીટ આપી હતી.


લીકર પોલીસી કેસમાં તપાસ 


નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ શરાબ નીતિમાં ગેરરીતિના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટમાં સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા પાસે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી