CBIને બેંક લોકરમાંથી કાંઈ ન મળ્યું, રાજકીય ષડયંત્રનો મનીષ સિસોદિયાનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 15:10:15

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી.  સીબીઆઈની તપાસ પુર્ણ થયા બાદ  મનીષ સિસોદિયાએ કહ્યું  કે સત્યની જીત થાય છે. સીબીઆઈની ટીમને લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. સીબીઆઈ પર પીએમ મોદીનું દબાણ છે, કોઈ પણ રીતે મનીષ સિસોદિયાને જેલમાં નાખો. એક રૂપિયાની પણ હેરાફેરી કરી નથી. સિસોદિયાએ વડા પ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું કે મને આનંદ છે કે તેમણે મારા ઘર પર દરોડો પડાવ્યો, જોકે મારા બેંક લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. આ બાબત પુરાવો છે કે પીએમની તપાસમાં હું અને મારો પરિવાર અણીશુધ્ધ સાબિત થયા.    


મનીષ સિસોદિયા એમને તેમની પત્ની ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં તપાસ માટે ગયા હતા. સીબીઆઈની ટીમ પણ અહીં હાજર હતી. તે જ સમયે, લોકરની તપાસ પૂર્ણ થયા પછી, તેમણે મીડિયાની સામે આવીને આ નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલને આગળ વધતા રોકવા માટે તેમને એક ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 


સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા  કહ્યું કે આ માત્ર તેમના દબાણથી થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.


અધિકારીઓ પણ સહમત છે કે અમે કંઈ ખોટું કર્યું નથીઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમના નોકર સિવાય સીબીઆઈએ ઘર અને અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. અંતે તેમણે એમ પણ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે CBI તપાસમાં સામેલ અધિકારીઓ પણ માને છે કે મનીષ સિસોદિયાએ કંઈ ખોટું કર્યું નથી. તેમણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે અને પોતાના વતી ક્લીનચીટ આપી હતી.


લીકર પોલીસી કેસમાં તપાસ 


નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ શરાબ નીતિમાં ગેરરીતિના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટમાં સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા પાસે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.