CBIને બેંક લોકરમાંથી કાંઈ ન મળ્યું, રાજકીય ષડયંત્રનો મનીષ સિસોદિયાનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 15:10:15

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી.  સીબીઆઈની તપાસ પુર્ણ થયા બાદ  મનીષ સિસોદિયાએ કહ્યું  કે સત્યની જીત થાય છે. સીબીઆઈની ટીમને લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. સીબીઆઈ પર પીએમ મોદીનું દબાણ છે, કોઈ પણ રીતે મનીષ સિસોદિયાને જેલમાં નાખો. એક રૂપિયાની પણ હેરાફેરી કરી નથી. સિસોદિયાએ વડા પ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું કે મને આનંદ છે કે તેમણે મારા ઘર પર દરોડો પડાવ્યો, જોકે મારા બેંક લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. આ બાબત પુરાવો છે કે પીએમની તપાસમાં હું અને મારો પરિવાર અણીશુધ્ધ સાબિત થયા.    


મનીષ સિસોદિયા એમને તેમની પત્ની ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં તપાસ માટે ગયા હતા. સીબીઆઈની ટીમ પણ અહીં હાજર હતી. તે જ સમયે, લોકરની તપાસ પૂર્ણ થયા પછી, તેમણે મીડિયાની સામે આવીને આ નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલને આગળ વધતા રોકવા માટે તેમને એક ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 


સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા  કહ્યું કે આ માત્ર તેમના દબાણથી થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.


અધિકારીઓ પણ સહમત છે કે અમે કંઈ ખોટું કર્યું નથીઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમના નોકર સિવાય સીબીઆઈએ ઘર અને અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. અંતે તેમણે એમ પણ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે CBI તપાસમાં સામેલ અધિકારીઓ પણ માને છે કે મનીષ સિસોદિયાએ કંઈ ખોટું કર્યું નથી. તેમણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે અને પોતાના વતી ક્લીનચીટ આપી હતી.


લીકર પોલીસી કેસમાં તપાસ 


નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ શરાબ નીતિમાં ગેરરીતિના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટમાં સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા પાસે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .