Manish Sisodiyaને Supreme Courtએ આપ્યો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી, પરંતુ તપાસ એજન્સીને આપ્યું આ અલ્ટિમેટમ


  • Published By :
  • Published Date : 2023-10-30 16:36:20

મનીષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દારૂ કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.  દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી મામલે કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જામીન માટે મનીષ સિસોદિયા તરફથી કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવવાને કારણે દિવાળી હવે મનીષ સિસોદિયાને જેલમાં ભોગવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ કેસમાં 338 કરોડ રુપિયાની લેવડદેવડને લઈ એવા અનેક એવી વસ્તુઓ છે જે શંકાસ્પદ છે. આ કારણોસર મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવામાં આવે છે.     

જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો 

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. દારૂ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન અરજી માટે તેમણે અનેક વખત અરજી કરી પરંતુ તેમની જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે! સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટમાં આ મામલે સુનાવણી 17 ઓક્ટોબરે હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે આ નિર્ણયને સુરક્ષિત કરી લીધો હતો અને આજે તેનો ચુકાદો આપ્યો છે. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

26 ફેબ્રુઆરીએ કરાઈ હતી મનીષ સિસોદિયાની ધરપકડ!

મનીષ સિસોદિયા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ તેમની લાંબી પૂછપરછ કરી હતી. તેમની ધરપકડ દિલ્હીમાં નવી આબકારી નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. 


સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

મનીષ સિસોદિયાએ બે અલગ-અલગ કેસોમાં જામીન માંગ્યા છે. જેમાંથી એક કેસ CBIમાં ચાલી રહ્યો છે અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે. મનીષ સિસોદિયાને ભલે જામીન નથી મળ્યા પરંતુ કોર્ટે એ વાતનો આદેશ આપ્યો છે કે, સિસોદિયા સામેના કેસને 6થી 8 મહિનામાં પૂર્ણ કરી દેવો જોઈએ. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો, સિસોદિયા 3 મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.