Manish Sisodiyaને Supreme Courtએ આપ્યો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી, પરંતુ તપાસ એજન્સીને આપ્યું આ અલ્ટિમેટમ


  • Published By :
  • Published Date : 2023-10-30 16:36:20

મનીષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દારૂ કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.  દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી મામલે કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જામીન માટે મનીષ સિસોદિયા તરફથી કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવવાને કારણે દિવાળી હવે મનીષ સિસોદિયાને જેલમાં ભોગવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ કેસમાં 338 કરોડ રુપિયાની લેવડદેવડને લઈ એવા અનેક એવી વસ્તુઓ છે જે શંકાસ્પદ છે. આ કારણોસર મનીષ સિસોદિયાની જામીન અરજીને ફગાવામાં આવે છે.     

જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો 

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. દારૂ કૌભાંડ મામલે મનીષ સિસોદિયા જેલવાસ ભોગવી રહ્યા છે. જામીન અરજી માટે તેમણે અનેક વખત અરજી કરી પરંતુ તેમની જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે! સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટમાં આ મામલે સુનાવણી 17 ઓક્ટોબરે હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે આ નિર્ણયને સુરક્ષિત કરી લીધો હતો અને આજે તેનો ચુકાદો આપ્યો છે. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

26 ફેબ્રુઆરીએ કરાઈ હતી મનીષ સિસોદિયાની ધરપકડ!

મનીષ સિસોદિયા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ તેમની લાંબી પૂછપરછ કરી હતી. તેમની ધરપકડ દિલ્હીમાં નવી આબકારી નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. 


સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

મનીષ સિસોદિયાએ બે અલગ-અલગ કેસોમાં જામીન માંગ્યા છે. જેમાંથી એક કેસ CBIમાં ચાલી રહ્યો છે અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે. મનીષ સિસોદિયાને ભલે જામીન નથી મળ્યા પરંતુ કોર્ટે એ વાતનો આદેશ આપ્યો છે કે, સિસોદિયા સામેના કેસને 6થી 8 મહિનામાં પૂર્ણ કરી દેવો જોઈએ. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો, સિસોદિયા 3 મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે? 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.