માંજલપુર બેઠક: સીટીંગ MLA યોગેશ પટેલ જીદે ચઢતા ભાજપનું કોકડું ગુંચવાયું


  • Published By :
  • Published Date : 2022-11-16 17:20:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે તમામ પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે તેની પાંચમી યાદીમાં વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે માણસા, ખેરાલુ, અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ આ સીટોની જાહેરાત ક્યારે કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તરક-વિતર્કો થઈ રહ્યા હતા. જો કે હજું પણ એક વડોદરાની માંજલપુર સીટને લઈ કોકડું ગુંચવાયું છે.


માંજલપુર બેઠકને લઈ ભાજપની મૂંઝવણ શું છે?


વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. માંજલપુર બેઠકના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે પોતે ચૂંટણી લડશે અને ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાની તૈયારી દર્શાવી છે, તેના કારણે હાલ આ બેઠકનો નિર્ણય મુલત્વી રખાયો છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. જો કે યોગેશ પટેલની ઉંમરને કારણે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપ માટે હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


માંજલપુર બેઠક માટે કોણ છે દાવેદારો


માંજલપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. જો કે આ સીટ માટે કેટલાક દાવેદારો ભાજપમાંથી છે જેમ કે ભારતીય જનતા યુવા મોર્ચાના હિમાશું પટેલ, ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, સ્નેહલબેન પટેલ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પણ એક ઉમેદવાર તરીકે કુણાલ પટેલનું નામ સુચવ્યું છે. વળી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.