માંજલપુર બેઠક: સીટીંગ MLA યોગેશ પટેલ જીદે ચઢતા ભાજપનું કોકડું ગુંચવાયું


  • Published By :
  • Published Date : 2022-11-16 17:20:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે તમામ પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે તેની પાંચમી યાદીમાં વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે માણસા, ખેરાલુ, અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ આ સીટોની જાહેરાત ક્યારે કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તરક-વિતર્કો થઈ રહ્યા હતા. જો કે હજું પણ એક વડોદરાની માંજલપુર સીટને લઈ કોકડું ગુંચવાયું છે.


માંજલપુર બેઠકને લઈ ભાજપની મૂંઝવણ શું છે?


વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. માંજલપુર બેઠકના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે પોતે ચૂંટણી લડશે અને ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાની તૈયારી દર્શાવી છે, તેના કારણે હાલ આ બેઠકનો નિર્ણય મુલત્વી રખાયો છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. જો કે યોગેશ પટેલની ઉંમરને કારણે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપ માટે હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


માંજલપુર બેઠક માટે કોણ છે દાવેદારો


માંજલપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. જો કે આ સીટ માટે કેટલાક દાવેદારો ભાજપમાંથી છે જેમ કે ભારતીય જનતા યુવા મોર્ચાના હિમાશું પટેલ, ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, સ્નેહલબેન પટેલ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પણ એક ઉમેદવાર તરીકે કુણાલ પટેલનું નામ સુચવ્યું છે. વળી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.