માંજલપુર બેઠક: સીટીંગ MLA યોગેશ પટેલ જીદે ચઢતા ભાજપનું કોકડું ગુંચવાયું


  • Published By :
  • Published Date : 2022-11-16 17:20:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે તમામ પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે તેની પાંચમી યાદીમાં વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે માણસા, ખેરાલુ, અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ આ સીટોની જાહેરાત ક્યારે કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તરક-વિતર્કો થઈ રહ્યા હતા. જો કે હજું પણ એક વડોદરાની માંજલપુર સીટને લઈ કોકડું ગુંચવાયું છે.


માંજલપુર બેઠકને લઈ ભાજપની મૂંઝવણ શું છે?


વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. માંજલપુર બેઠકના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે પોતે ચૂંટણી લડશે અને ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાની તૈયારી દર્શાવી છે, તેના કારણે હાલ આ બેઠકનો નિર્ણય મુલત્વી રખાયો છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. જો કે યોગેશ પટેલની ઉંમરને કારણે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપ માટે હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


માંજલપુર બેઠક માટે કોણ છે દાવેદારો


માંજલપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. જો કે આ સીટ માટે કેટલાક દાવેદારો ભાજપમાંથી છે જેમ કે ભારતીય જનતા યુવા મોર્ચાના હિમાશું પટેલ, ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, સ્નેહલબેન પટેલ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પણ એક ઉમેદવાર તરીકે કુણાલ પટેલનું નામ સુચવ્યું છે. વળી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.