માંજલપુર બેઠક: સીટીંગ MLA યોગેશ પટેલ જીદે ચઢતા ભાજપનું કોકડું ગુંચવાયું


  • Published By :
  • Published Date : 2022-11-16 17:20:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે તમામ પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે તેની પાંચમી યાદીમાં વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે માણસા, ખેરાલુ, અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ આ સીટોની જાહેરાત ક્યારે કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તરક-વિતર્કો થઈ રહ્યા હતા. જો કે હજું પણ એક વડોદરાની માંજલપુર સીટને લઈ કોકડું ગુંચવાયું છે.


માંજલપુર બેઠકને લઈ ભાજપની મૂંઝવણ શું છે?


વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. માંજલપુર બેઠકના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે પોતે ચૂંટણી લડશે અને ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાની તૈયારી દર્શાવી છે, તેના કારણે હાલ આ બેઠકનો નિર્ણય મુલત્વી રખાયો છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. જો કે યોગેશ પટેલની ઉંમરને કારણે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપ માટે હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


માંજલપુર બેઠક માટે કોણ છે દાવેદારો


માંજલપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. જો કે આ સીટ માટે કેટલાક દાવેદારો ભાજપમાંથી છે જેમ કે ભારતીય જનતા યુવા મોર્ચાના હિમાશું પટેલ, ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, સ્નેહલબેન પટેલ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પણ એક ઉમેદવાર તરીકે કુણાલ પટેલનું નામ સુચવ્યું છે. વળી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"