મનસુખ વસાવા ફરી ભળક્યા, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાંથી કર્યું વોકઆઉટ, મીડિયા સમક્ષ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2023-09-10 16:31:41

દેશની સૌથી શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરીક વિખવાદ વધી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ ચૂપી તોડી ભાજપના કેટલાક હોદ્દેદારો સામે રોષ ઠાલવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનાથી નારાજ છે.  લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ભાજપઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાનું છે. 


મનસુખ વસાવાએ વોકઆઉટ કરતા રાજકારણ ગરમાયું


ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી વાર બની છે. આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.


પાટીલને મારા વિરુદ્ધ ગેરમાર્ગે દોરે છે


સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, હું સાચો છું, જો નહીં બોલું તો આ લોકો મારા વિષે પ્રદેશ કક્ષાએ વધુ ઝેર ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે, ન મળે એનાથી મને કોઈ નિસબત નથી. પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો,અને આગળ પણ ઉભો રહીશ. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ. પણ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવાનો સમય છે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે, પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. આ જે લોકો મારો વિરોધ કરે છે, તેમને કોન્ટ્રાક્ટ કરવો છે, રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું, અને લડતો રહીશ. પણ મારાથી નારાજ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ઉંધુ ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. આ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છે તેવી ખોટી વાત પણ પ્રદેશ અધ્યક્ષને કહીં ગેરમાર્ગે દોરે છે, જ્યારે મેં કોઈને ભાજપમાં જોડાવા માટે ના નથી કહ્યું. ફક્ત એટલું કહ્યું છે કે, સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને આવે એટલી મારી માંગ છે. પણ મને અંધારામાં રાખી મારા વિરુદ્ધ ચઢામણી કરે એ કહેતા નથી. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ મળીને પ્રદેશ અધ્યક્ષને તેમના વિરુદ્ધમાં ગેરમાર્ગે દોરે છે.


સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતો રહીશ


મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ ટોળકી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મારી પોઝિટિવ વાતને નેગેટિવ રીતે પ્રદેશ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે. આ સાથે જ મનસુખ વસાવાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળે કે ન મળે, તેઓ સાંસદ તરીકે રહે કે ન રહે પરંતુ સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતા રહેશે. સાથે જ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકશાન પહોંચાડનાર લોકોના શરણે નહીં થાઉ તેવો પણ તેમણે હુંકાર કર્યો હતો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.