Mansukh Vasava - Chaitar Vasava જાહેરમાં બાજી પડ્યા! ચૈતર વસાવાએ કહ્યું કે નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ન આવ્યા? તો મનસુખ વસાવાએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-05-18 12:38:50

સામાન્ય દિવસોમાં પણ ભરૂચ ચર્ચામાં રહેતું હોય છે.. મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારોને લીધે.. આ વખતે લોકસભા ચૂંટણી વખતે પણ આ બેઠકની ચર્ચા થઈ કારણ કે મનસુખ વસાવાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે ચૈતર વસાવાને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ સામે આવી ગયા હતા..

મનસુખ વસાવાએ પોસ્ટ કરી જેમાં લખ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી  કરાય. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેર-વર્તન થતાં ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે જે બાબત ની જાણ થતાં હું તાત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું.  જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તૂ તૂ મેં મેં... 

ચૈતર વસાવા પણ ત્યાં હાજર હતા. બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા જેને કારણે માહોલ ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો...

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી... 

પછી મનસુખ વસાવાએ કહ્યું  હું નહિ તું અહીંયા ખોફ ઉભો કરે છે. હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. તો ચૈતર વસાવાએ કહ્યું એ તો 4 જૂને ખબર પડશે. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું 'છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણાં તમારી સરકાર છે.' તે સિવાય દારૂબંધી વાળા રાજ્યમાં તેઓ દારૂની વાતો પણ કરતા સંભળાયા.. મહત્વનું છે કે ધારાસભ્ય અને સાંસદ આવી રીતે બાજતા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવો...  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.