Mansukh Vasava - Chaitar Vasava જાહેરમાં બાજી પડ્યા! ચૈતર વસાવાએ કહ્યું કે નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ન આવ્યા? તો મનસુખ વસાવાએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-05-18 12:38:50

સામાન્ય દિવસોમાં પણ ભરૂચ ચર્ચામાં રહેતું હોય છે.. મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારોને લીધે.. આ વખતે લોકસભા ચૂંટણી વખતે પણ આ બેઠકની ચર્ચા થઈ કારણ કે મનસુખ વસાવાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે ચૈતર વસાવાને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ સામે આવી ગયા હતા..

મનસુખ વસાવાએ પોસ્ટ કરી જેમાં લખ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી  કરાય. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેર-વર્તન થતાં ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે જે બાબત ની જાણ થતાં હું તાત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું.  જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તૂ તૂ મેં મેં... 

ચૈતર વસાવા પણ ત્યાં હાજર હતા. બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા જેને કારણે માહોલ ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો...

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી... 

પછી મનસુખ વસાવાએ કહ્યું  હું નહિ તું અહીંયા ખોફ ઉભો કરે છે. હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. તો ચૈતર વસાવાએ કહ્યું એ તો 4 જૂને ખબર પડશે. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું 'છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણાં તમારી સરકાર છે.' તે સિવાય દારૂબંધી વાળા રાજ્યમાં તેઓ દારૂની વાતો પણ કરતા સંભળાયા.. મહત્વનું છે કે ધારાસભ્ય અને સાંસદ આવી રીતે બાજતા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવો...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે