Mansukh Vasavaએ Isudan Gadhviને લલકાર્યા તો Radhika Rathvaએ Mansukh Vasavaને લઈ કહી દીધી આ વાત! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-09 15:28:14

વસાવા Vs વસાવાની જંગ વિશે તો આપણે જાણીએ છીએ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા હોય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘણા સમયથી ચૈતર વસાવા ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બધા વચ્ચે મનસુખ વસાવાનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. 

રાધિકા રાઠવાએ મનસુખ વસાવા અંગે કહી આ વાત! 

મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થતા રહે છે. ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવા અનેક વખત નિવેદન આપતા હોય છે. ન માત્ર ચૈતર વસાવા પર પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવીને લઈ નિવેદન આપ્યું હતું. ઉપરાંત રેશ્મા વસાવાએ તેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં રેશમા વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાનું નામ બદલી મનસુખ મોદી કરી દેવું જોઈએ. ત્યારે આજે રાધિકા રાઠવાએ પણ મનસુખ વસાવાને લઈ નિવેદન આપ્યું છે. તેમાં રાધિકા રાઠવાએ મહિલાઓને લઈ નિવેદન આપ્યું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે