Mansukh Vasavaએ Isudan Gadhviને લલકાર્યા તો Radhika Rathvaએ Mansukh Vasavaને લઈ કહી દીધી આ વાત! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-09 15:28:14

વસાવા Vs વસાવાની જંગ વિશે તો આપણે જાણીએ છીએ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા હોય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘણા સમયથી ચૈતર વસાવા ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બધા વચ્ચે મનસુખ વસાવાનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. 

રાધિકા રાઠવાએ મનસુખ વસાવા અંગે કહી આ વાત! 

મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થતા રહે છે. ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવા અનેક વખત નિવેદન આપતા હોય છે. ન માત્ર ચૈતર વસાવા પર પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવીને લઈ નિવેદન આપ્યું હતું. ઉપરાંત રેશ્મા વસાવાએ તેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં રેશમા વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાનું નામ બદલી મનસુખ મોદી કરી દેવું જોઈએ. ત્યારે આજે રાધિકા રાઠવાએ પણ મનસુખ વસાવાને લઈ નિવેદન આપ્યું છે. તેમાં રાધિકા રાઠવાએ મહિલાઓને લઈ નિવેદન આપ્યું છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.