Mansukh Vasavaએ Isudan Gadhviને લલકાર્યા તો Radhika Rathvaએ Mansukh Vasavaને લઈ કહી દીધી આ વાત! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-09 15:28:14

વસાવા Vs વસાવાની જંગ વિશે તો આપણે જાણીએ છીએ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા હોય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘણા સમયથી ચૈતર વસાવા ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બધા વચ્ચે મનસુખ વસાવાનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. 

રાધિકા રાઠવાએ મનસુખ વસાવા અંગે કહી આ વાત! 

મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થતા રહે છે. ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવા અનેક વખત નિવેદન આપતા હોય છે. ન માત્ર ચૈતર વસાવા પર પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવીને લઈ નિવેદન આપ્યું હતું. ઉપરાંત રેશ્મા વસાવાએ તેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં રેશમા વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાનું નામ બદલી મનસુખ મોદી કરી દેવું જોઈએ. ત્યારે આજે રાધિકા રાઠવાએ પણ મનસુખ વસાવાને લઈ નિવેદન આપ્યું છે. તેમાં રાધિકા રાઠવાએ મહિલાઓને લઈ નિવેદન આપ્યું છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.