Mansukh Vasavaએ Isudan Gadhviને લલકાર્યા તો Radhika Rathvaએ Mansukh Vasavaને લઈ કહી દીધી આ વાત! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-09 15:28:14

વસાવા Vs વસાવાની જંગ વિશે તો આપણે જાણીએ છીએ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા હોય છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘણા સમયથી ચૈતર વસાવા ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બધા વચ્ચે મનસુખ વસાવાનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. 

રાધિકા રાઠવાએ મનસુખ વસાવા અંગે કહી આ વાત! 

મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ થતા રહે છે. ચૈતર વસાવા પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવા અનેક વખત નિવેદન આપતા હોય છે. ન માત્ર ચૈતર વસાવા પર પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હોય છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ ઈસુદાન ગઢવીને લઈ નિવેદન આપ્યું હતું. ઉપરાંત રેશ્મા વસાવાએ તેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં રેશમા વસાવાએ કહ્યું હતું કે મનસુખ વસાવાએ પોતાનું નામ બદલી મનસુખ મોદી કરી દેવું જોઈએ. ત્યારે આજે રાધિકા રાઠવાએ પણ મનસુખ વસાવાને લઈ નિવેદન આપ્યું છે. તેમાં રાધિકા રાઠવાએ મહિલાઓને લઈ નિવેદન આપ્યું છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .