મનસુખ વસાવા ન બોલવાનું બોલી ગયા! કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ કહ્યું 'ખોટો રૂપિયો મને ન ખપે' તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-30 13:35:28

વસાવા vsવસાવાની લડાઈ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. વાત થઈ રહી છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની.મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘરફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરૂદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા. જ્યારે ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ ભાઈનો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે. 

આ રહ્યો એ નનામી પત્ર જેના કારણે મનસુખ વસાવા ભડક્યા.


નનામી પત્ર અંગે મનસુખ વસાવાએ કહી આ વાત!

નર્મદા જિલ્લાનું રાજકારણને હમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં વસાવા  vs વસાવાનો જંગ એટલો રસપ્રદ છે કે હમેશાંના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન હેડલાઈન્સ બની રહે છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ દેખાયા હતા.  સાંસદની હાજરીમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં સાંસદે કહ્યું કે બાઈલા લોકો સામે ના બોલી શકે એટલે નનામી પત્રો લખે છે.

કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે - મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કહ્યું કે  મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. એટલું જ નહીં એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.  


ચૈતર વસાવાએ જમાવટ સાથે કરી વાત 

આ અંગે ચૈતર વસાવા સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે મનસુખ વસાવાના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ ભાઈનો આખો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે એ ખોટા રાજા હરિશ્ચંદ્ર બને છે. મનસુખ વસાવાને સાંસદીય ભાષા ખબર પડતી નથી તો આવી બિનસાંસદીય ભાષાનો ઉપયોગ કરે છે. અમારે તેમન શીખવાડવાનું હોય કે સંસદીય ભાષા શું છે?    


નેતાઓએ બનાવ્યા હતા એપ્રિલફૂલ!

મહત્વનું છે કે જ્યારે નનામી પત્ર અંગે પત્ર ચર્ચા કરવામાં આવવાની હતી ત્યારે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમાવટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ છેલ્લા સમયે તેમણે કહ્યું કે અમે તો એપ્રિલફૂલ બનાવ્યા હતા. ચર્ચા થાય તે પહેલા જ કહી દીધું હતું કે આ તો રાજનેતાઓ છે ગમે ત્યારે કહી શકે છે કે અમે એપ્રિલફૂલ બનાવી રહ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.