મનસુખ વસાવા ન બોલવાનું બોલી ગયા! કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ કહ્યું 'ખોટો રૂપિયો મને ન ખપે' તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-30 13:35:28

વસાવા vsવસાવાની લડાઈ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. વાત થઈ રહી છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની.મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘરફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરૂદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા. જ્યારે ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ ભાઈનો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે. 

આ રહ્યો એ નનામી પત્ર જેના કારણે મનસુખ વસાવા ભડક્યા.


નનામી પત્ર અંગે મનસુખ વસાવાએ કહી આ વાત!

નર્મદા જિલ્લાનું રાજકારણને હમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં વસાવા  vs વસાવાનો જંગ એટલો રસપ્રદ છે કે હમેશાંના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન હેડલાઈન્સ બની રહે છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ દેખાયા હતા.  સાંસદની હાજરીમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં સાંસદે કહ્યું કે બાઈલા લોકો સામે ના બોલી શકે એટલે નનામી પત્રો લખે છે.

કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે - મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કહ્યું કે  મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. એટલું જ નહીં એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.  


ચૈતર વસાવાએ જમાવટ સાથે કરી વાત 

આ અંગે ચૈતર વસાવા સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે મનસુખ વસાવાના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ ભાઈનો આખો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે એ ખોટા રાજા હરિશ્ચંદ્ર બને છે. મનસુખ વસાવાને સાંસદીય ભાષા ખબર પડતી નથી તો આવી બિનસાંસદીય ભાષાનો ઉપયોગ કરે છે. અમારે તેમન શીખવાડવાનું હોય કે સંસદીય ભાષા શું છે?    


નેતાઓએ બનાવ્યા હતા એપ્રિલફૂલ!

મહત્વનું છે કે જ્યારે નનામી પત્ર અંગે પત્ર ચર્ચા કરવામાં આવવાની હતી ત્યારે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમાવટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ છેલ્લા સમયે તેમણે કહ્યું કે અમે તો એપ્રિલફૂલ બનાવ્યા હતા. ચર્ચા થાય તે પહેલા જ કહી દીધું હતું કે આ તો રાજનેતાઓ છે ગમે ત્યારે કહી શકે છે કે અમે એપ્રિલફૂલ બનાવી રહ્યા હતા. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.