મનસુખ વસાવા ન બોલવાનું બોલી ગયા! કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ કહ્યું 'ખોટો રૂપિયો મને ન ખપે' તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-30 13:35:28

વસાવા vsવસાવાની લડાઈ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. વાત થઈ રહી છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની.મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘરફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરૂદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા. જ્યારે ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ ભાઈનો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે. 

આ રહ્યો એ નનામી પત્ર જેના કારણે મનસુખ વસાવા ભડક્યા.


નનામી પત્ર અંગે મનસુખ વસાવાએ કહી આ વાત!

નર્મદા જિલ્લાનું રાજકારણને હમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં વસાવા  vs વસાવાનો જંગ એટલો રસપ્રદ છે કે હમેશાંના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન હેડલાઈન્સ બની રહે છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ દેખાયા હતા.  સાંસદની હાજરીમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં સાંસદે કહ્યું કે બાઈલા લોકો સામે ના બોલી શકે એટલે નનામી પત્રો લખે છે.

કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે - મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કહ્યું કે  મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. એટલું જ નહીં એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.  


ચૈતર વસાવાએ જમાવટ સાથે કરી વાત 

આ અંગે ચૈતર વસાવા સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે મનસુખ વસાવાના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ ભાઈનો આખો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે એ ખોટા રાજા હરિશ્ચંદ્ર બને છે. મનસુખ વસાવાને સાંસદીય ભાષા ખબર પડતી નથી તો આવી બિનસાંસદીય ભાષાનો ઉપયોગ કરે છે. અમારે તેમન શીખવાડવાનું હોય કે સંસદીય ભાષા શું છે?    


નેતાઓએ બનાવ્યા હતા એપ્રિલફૂલ!

મહત્વનું છે કે જ્યારે નનામી પત્ર અંગે પત્ર ચર્ચા કરવામાં આવવાની હતી ત્યારે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમાવટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ છેલ્લા સમયે તેમણે કહ્યું કે અમે તો એપ્રિલફૂલ બનાવ્યા હતા. ચર્ચા થાય તે પહેલા જ કહી દીધું હતું કે આ તો રાજનેતાઓ છે ગમે ત્યારે કહી શકે છે કે અમે એપ્રિલફૂલ બનાવી રહ્યા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.