મનસુખ વસાવા ન બોલવાનું બોલી ગયા! કાર્યક્રમમાં હાજર મનસુખ વસાવાએ કહ્યું 'ખોટો રૂપિયો મને ન ખપે' તો આ મામલે ચૈતર વસાવાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-30 13:35:28

વસાવા vsવસાવાની લડાઈ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. વાત થઈ રહી છે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની.મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તેમનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે. પણ ઘરફૂટે ઘર જાય એમાં કોઈ એક બે વ્યક્તિ પર ના ઢોળાય કહી દેડિયાપાડા બેઠક વિરૂદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા. જ્યારે ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ ભાઈનો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે. 

આ રહ્યો એ નનામી પત્ર જેના કારણે મનસુખ વસાવા ભડક્યા.


નનામી પત્ર અંગે મનસુખ વસાવાએ કહી આ વાત!

નર્મદા જિલ્લાનું રાજકારણને હમેશાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાં વસાવા  vs વસાવાનો જંગ એટલો રસપ્રદ છે કે હમેશાંના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન હેડલાઈન્સ બની રહે છે. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ દેખાયા હતા.  સાંસદની હાજરીમાં લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં સાંસદે કહ્યું કે બાઈલા લોકો સામે ના બોલી શકે એટલે નનામી પત્રો લખે છે.

કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે - મનસુખ વસાવા

મનસુખ વસાવાએ કહ્યું કે  મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે. પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. એટલું જ નહીં એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.  


ચૈતર વસાવાએ જમાવટ સાથે કરી વાત 

આ અંગે ચૈતર વસાવા સાથે જ્યારે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે મનસુખ વસાવાના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મનસુખ ભાઈનો આખો પરિવાર ભ્રષ્ટાચારથી ભરેલો છે એ ખોટા રાજા હરિશ્ચંદ્ર બને છે. મનસુખ વસાવાને સાંસદીય ભાષા ખબર પડતી નથી તો આવી બિનસાંસદીય ભાષાનો ઉપયોગ કરે છે. અમારે તેમન શીખવાડવાનું હોય કે સંસદીય ભાષા શું છે?    


નેતાઓએ બનાવ્યા હતા એપ્રિલફૂલ!

મહત્વનું છે કે જ્યારે નનામી પત્ર અંગે પત્ર ચર્ચા કરવામાં આવવાની હતી ત્યારે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમાવટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પરંતુ છેલ્લા સમયે તેમણે કહ્યું કે અમે તો એપ્રિલફૂલ બનાવ્યા હતા. ચર્ચા થાય તે પહેલા જ કહી દીધું હતું કે આ તો રાજનેતાઓ છે ગમે ત્યારે કહી શકે છે કે અમે એપ્રિલફૂલ બનાવી રહ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.