Gujaratના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં! Arjun Modhwadiaએ વીડિયો શેર કર્યો અને ભાજપને પૂછ્યો આ સવાલ!


  • Published By :
  • Published Date : 2023-11-07 09:51:49

ગઈકાલે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં પુલ પર બનેલી રેલિંગને તોડી બસ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. સદનસીબે ટ્રેક પર જ્યારે બસ પડી ત્યારે કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ચાર જેટલા લોકોના મોત થયા હતા ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આવી દુર્ઘટના ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે કારણ કે અનેક પુલ એવા છે જે રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યા હોય અથવા તો નદી પર બનાવવામાં આવ્યા હોય. અનેક બ્રિજની દશા એવી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. 

Dilapidated bridge over Vadhawan Vastadi Bhogavo river | વઢવાણ વસ્તડી  ભોગાવો નદી પરનો પુલ જર્જરિત - Divya Bhaskar

The old dilapidated bridge over the Khari River in Mehsana will be  demolished and a new one will be constructed | મહેસાણામાં ખારી નદી પર જૂનો  જર્જરિત પુલ તોડી નવો બનાવાશે -

અનેક બ્રિજો-પુલો એવા છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે! 

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે જેમાં લોકોના મોત થયા છે. એવી ઘટનાઓ બની છે જેમાં લોકોને પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હોય. મોરબી દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા. જર્જરિત બિલ્ડિંગો, પુલ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું, લોકો ભૂલી ગયા એ ઘટનાને અને સરકાર પણ ભૂલી ગઈ એ વખતે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને! અનેક કાર્યરત બ્રિજો એવા છે જેની દશા જોઈને આપણને દયા આવે! એવી જર્જરિત હાલતમાં બ્રિજો જોવા મળે છે કે ગમે ત્યારે તેની સાથે દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જઈ શકે છે. 


એક પુલનો વીડિયો અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો અને પૂછ્યો પ્રશ્ન 

ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક જર્જરિત પુલનો વીડિયો શેર કર્યો છે અને ભાજપની સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું પુલ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ભાજપ સરકાર? અમરેલી-રાજકોટ હાઈવે પર નાના માચિયાલા ગાવ પાસે ઠેબી નદી પર બનેલા પુલની હાલત અત્યંત ખરાબ છે. ગમે ત્યારે આ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ શકે તેવી હાલતમાં પુલ છે. નવો પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી પરંતુ સરકાર અને પ્રશાસન દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે! જાન-માલના નુકસાનની તેમને કોઈ પરવાહ નથી! કોઈ મોટી દુર્ઘટના બને તેની પહેલા સરકાર આંખો ખોલે અને નવો પુલ બનાવે.

 

દુર્ઘટનામાંથી બોધપાઠ તો લઈએ છીએ પરંતુ થોડા સમય બાદ તેને ભૂલી જઈએ છીએ!

મહત્વનું છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તંત્ર એકદમ એક્ટિવ મોડમાં દેખાય છે. એ વખતે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને એક્શન લેવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ લોકો અને પ્રશાસન દુર્ઘટનાને ભૂલી જાય છે. દુર્ઘટનામાંથી થોડા સમય માટે બોધપાઠ લેવામાં આવે છે પરંતુ તે લાંબો સમય નથી ટકતું. મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય તેવું અનેક વખત લોકોને લાગતું હોય છે.!     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.