Gujaratના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં! Arjun Modhwadiaએ વીડિયો શેર કર્યો અને ભાજપને પૂછ્યો આ સવાલ!


  • Published By :
  • Published Date : 2023-11-07 09:51:49

ગઈકાલે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં પુલ પર બનેલી રેલિંગને તોડી બસ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. સદનસીબે ટ્રેક પર જ્યારે બસ પડી ત્યારે કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ચાર જેટલા લોકોના મોત થયા હતા ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આવી દુર્ઘટના ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે કારણ કે અનેક પુલ એવા છે જે રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યા હોય અથવા તો નદી પર બનાવવામાં આવ્યા હોય. અનેક બ્રિજની દશા એવી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. 

Dilapidated bridge over Vadhawan Vastadi Bhogavo river | વઢવાણ વસ્તડી  ભોગાવો નદી પરનો પુલ જર્જરિત - Divya Bhaskar

The old dilapidated bridge over the Khari River in Mehsana will be  demolished and a new one will be constructed | મહેસાણામાં ખારી નદી પર જૂનો  જર્જરિત પુલ તોડી નવો બનાવાશે -

અનેક બ્રિજો-પુલો એવા છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે! 

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે જેમાં લોકોના મોત થયા છે. એવી ઘટનાઓ બની છે જેમાં લોકોને પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હોય. મોરબી દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા. જર્જરિત બિલ્ડિંગો, પુલ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું, લોકો ભૂલી ગયા એ ઘટનાને અને સરકાર પણ ભૂલી ગઈ એ વખતે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને! અનેક કાર્યરત બ્રિજો એવા છે જેની દશા જોઈને આપણને દયા આવે! એવી જર્જરિત હાલતમાં બ્રિજો જોવા મળે છે કે ગમે ત્યારે તેની સાથે દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જઈ શકે છે. 


એક પુલનો વીડિયો અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો અને પૂછ્યો પ્રશ્ન 

ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક જર્જરિત પુલનો વીડિયો શેર કર્યો છે અને ભાજપની સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું પુલ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ભાજપ સરકાર? અમરેલી-રાજકોટ હાઈવે પર નાના માચિયાલા ગાવ પાસે ઠેબી નદી પર બનેલા પુલની હાલત અત્યંત ખરાબ છે. ગમે ત્યારે આ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ શકે તેવી હાલતમાં પુલ છે. નવો પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી પરંતુ સરકાર અને પ્રશાસન દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે! જાન-માલના નુકસાનની તેમને કોઈ પરવાહ નથી! કોઈ મોટી દુર્ઘટના બને તેની પહેલા સરકાર આંખો ખોલે અને નવો પુલ બનાવે.

 

દુર્ઘટનામાંથી બોધપાઠ તો લઈએ છીએ પરંતુ થોડા સમય બાદ તેને ભૂલી જઈએ છીએ!

મહત્વનું છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તંત્ર એકદમ એક્ટિવ મોડમાં દેખાય છે. એ વખતે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને એક્શન લેવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ લોકો અને પ્રશાસન દુર્ઘટનાને ભૂલી જાય છે. દુર્ઘટનામાંથી થોડા સમય માટે બોધપાઠ લેવામાં આવે છે પરંતુ તે લાંબો સમય નથી ટકતું. મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય તેવું અનેક વખત લોકોને લાગતું હોય છે.!     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.