Indiaમાં ચાઈનીઝ ન્યુમોનિયાના ઘણા કેસો જોવા મળ્યા! AIIMS એ જણાવ્યું કે આ રોગ કેટલો ગંભીર છે


  • Published By :
  • Published Date : 2023-12-07 16:08:48

કોરોના મહામારીથી દેશ તેમજ વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તે આપણે નહીં ભૂલી શકીયે. કોરોના સંક્રમિત થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. લાખો લોકો કોરોના સંક્રમિત પણ થયા. ચીનથી ફેલાયેલી બિમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ચીનમાં ફરી એક રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. ન્યુમોનિયાની અસર બાળકો પર થઈ રહી છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા કેસ ભારતમાં પણ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 


 

હોસ્પિટલને વ્યવસ્થા કરવા અપાયા આદેશ!

ચીનમાં ફરી એક વખત રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. બાળકો ન્યુમોનિયાના શિકાર બની રહ્યા છે. બાળકો પર આ બિમારીની ગંભીર અસર દેખાઈ રહી છે. ચીનમાં કેસ નોંધાતા ભારતનું આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું. બિમારીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગએ ગાઈડલાઈન્સ બહાર પાડી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહિતની વસ્તુઓનો સ્ટોક રાખવો તેવી માહિતી તેવા આદેશ આપવામાં આવ્યા હતા! 



ચીનમાં બાળકોમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણ

ચીનમાં ફેલાયેલી બિમારીને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી! ત્યારે ચીનમાં ફેલાયેલી બિમારીની ચપેટમાં દિલ્હીના અનેક બાળકો આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઆઈઆઈએમએસે જણાવ્યું કે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે સાત બાળકોમાં આ બિમારીના જીવાણું મળી આવ્યા છે એવી માહિતી સામે આવી છે.    

 


દિલ્હીના અનેક બાળકોમાં મળી આવ્યા બિમારીના લક્ષણ

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જે બિમારી ફેલાઈ રહી છે, બાળકોમાં એક પ્રકારનો ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ શ્વાસ સંબંધી રોગ છે, જે માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તે આપણા ફેફસાને અસર કરે છે. દિલ્હી AIIMSને અહીંના બાળકોમાં પણ આ જ બેક્ટેરિયાના સેમ્પલ મળ્યા છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.