Indiaમાં ચાઈનીઝ ન્યુમોનિયાના ઘણા કેસો જોવા મળ્યા! AIIMS એ જણાવ્યું કે આ રોગ કેટલો ગંભીર છે


  • Published By :
  • Published Date : 2023-12-07 16:08:48

કોરોના મહામારીથી દેશ તેમજ વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તે આપણે નહીં ભૂલી શકીયે. કોરોના સંક્રમિત થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. લાખો લોકો કોરોના સંક્રમિત પણ થયા. ચીનથી ફેલાયેલી બિમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ચીનમાં ફરી એક રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. ન્યુમોનિયાની અસર બાળકો પર થઈ રહી છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા કેસ ભારતમાં પણ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 


 

હોસ્પિટલને વ્યવસ્થા કરવા અપાયા આદેશ!

ચીનમાં ફરી એક વખત રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. બાળકો ન્યુમોનિયાના શિકાર બની રહ્યા છે. બાળકો પર આ બિમારીની ગંભીર અસર દેખાઈ રહી છે. ચીનમાં કેસ નોંધાતા ભારતનું આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું. બિમારીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગએ ગાઈડલાઈન્સ બહાર પાડી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહિતની વસ્તુઓનો સ્ટોક રાખવો તેવી માહિતી તેવા આદેશ આપવામાં આવ્યા હતા! 



ચીનમાં બાળકોમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણ

ચીનમાં ફેલાયેલી બિમારીને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી! ત્યારે ચીનમાં ફેલાયેલી બિમારીની ચપેટમાં દિલ્હીના અનેક બાળકો આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઆઈઆઈએમએસે જણાવ્યું કે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે સાત બાળકોમાં આ બિમારીના જીવાણું મળી આવ્યા છે એવી માહિતી સામે આવી છે.    

 


દિલ્હીના અનેક બાળકોમાં મળી આવ્યા બિમારીના લક્ષણ

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જે બિમારી ફેલાઈ રહી છે, બાળકોમાં એક પ્રકારનો ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ શ્વાસ સંબંધી રોગ છે, જે માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તે આપણા ફેફસાને અસર કરે છે. દિલ્હી AIIMSને અહીંના બાળકોમાં પણ આ જ બેક્ટેરિયાના સેમ્પલ મળ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.