Indiaમાં ચાઈનીઝ ન્યુમોનિયાના ઘણા કેસો જોવા મળ્યા! AIIMS એ જણાવ્યું કે આ રોગ કેટલો ગંભીર છે


  • Published By :
  • Published Date : 2023-12-07 16:08:48

કોરોના મહામારીથી દેશ તેમજ વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તે આપણે નહીં ભૂલી શકીયે. કોરોના સંક્રમિત થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. લાખો લોકો કોરોના સંક્રમિત પણ થયા. ચીનથી ફેલાયેલી બિમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ચીનમાં ફરી એક રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. ન્યુમોનિયાની અસર બાળકો પર થઈ રહી છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા કેસ ભારતમાં પણ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 


 

હોસ્પિટલને વ્યવસ્થા કરવા અપાયા આદેશ!

ચીનમાં ફરી એક વખત રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. બાળકો ન્યુમોનિયાના શિકાર બની રહ્યા છે. બાળકો પર આ બિમારીની ગંભીર અસર દેખાઈ રહી છે. ચીનમાં કેસ નોંધાતા ભારતનું આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું. બિમારીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગએ ગાઈડલાઈન્સ બહાર પાડી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહિતની વસ્તુઓનો સ્ટોક રાખવો તેવી માહિતી તેવા આદેશ આપવામાં આવ્યા હતા! 



ચીનમાં બાળકોમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણ

ચીનમાં ફેલાયેલી બિમારીને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી! ત્યારે ચીનમાં ફેલાયેલી બિમારીની ચપેટમાં દિલ્હીના અનેક બાળકો આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઆઈઆઈએમએસે જણાવ્યું કે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે સાત બાળકોમાં આ બિમારીના જીવાણું મળી આવ્યા છે એવી માહિતી સામે આવી છે.    

 


દિલ્હીના અનેક બાળકોમાં મળી આવ્યા બિમારીના લક્ષણ

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જે બિમારી ફેલાઈ રહી છે, બાળકોમાં એક પ્રકારનો ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ શ્વાસ સંબંધી રોગ છે, જે માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તે આપણા ફેફસાને અસર કરે છે. દિલ્હી AIIMSને અહીંના બાળકોમાં પણ આ જ બેક્ટેરિયાના સેમ્પલ મળ્યા છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.