Indiaમાં ચાઈનીઝ ન્યુમોનિયાના ઘણા કેસો જોવા મળ્યા! AIIMS એ જણાવ્યું કે આ રોગ કેટલો ગંભીર છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 16:08:48

કોરોના મહામારીથી દેશ તેમજ વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તે આપણે નહીં ભૂલી શકીયે. કોરોના સંક્રમિત થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. લાખો લોકો કોરોના સંક્રમિત પણ થયા. ચીનથી ફેલાયેલી બિમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ચીનમાં ફરી એક રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. ન્યુમોનિયાની અસર બાળકો પર થઈ રહી છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા કેસ ભારતમાં પણ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 


 

હોસ્પિટલને વ્યવસ્થા કરવા અપાયા આદેશ!

ચીનમાં ફરી એક વખત રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. બાળકો ન્યુમોનિયાના શિકાર બની રહ્યા છે. બાળકો પર આ બિમારીની ગંભીર અસર દેખાઈ રહી છે. ચીનમાં કેસ નોંધાતા ભારતનું આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું. બિમારીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગએ ગાઈડલાઈન્સ બહાર પાડી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહિતની વસ્તુઓનો સ્ટોક રાખવો તેવી માહિતી તેવા આદેશ આપવામાં આવ્યા હતા! 



ચીનમાં બાળકોમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણ

ચીનમાં ફેલાયેલી બિમારીને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી! ત્યારે ચીનમાં ફેલાયેલી બિમારીની ચપેટમાં દિલ્હીના અનેક બાળકો આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઆઈઆઈએમએસે જણાવ્યું કે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે સાત બાળકોમાં આ બિમારીના જીવાણું મળી આવ્યા છે એવી માહિતી સામે આવી છે.    

 


દિલ્હીના અનેક બાળકોમાં મળી આવ્યા બિમારીના લક્ષણ

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જે બિમારી ફેલાઈ રહી છે, બાળકોમાં એક પ્રકારનો ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ શ્વાસ સંબંધી રોગ છે, જે માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તે આપણા ફેફસાને અસર કરે છે. દિલ્હી AIIMSને અહીંના બાળકોમાં પણ આ જ બેક્ટેરિયાના સેમ્પલ મળ્યા છે. 



ભરૂચ લોકસભા બેઠક સામાન્ય રીતે ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા.

મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા