આંદોલનની આંધી વચ્ચે શનિવારે સરકારનો શનિ ભારે રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:47:59



ગુજરાતનો ઈતિહાસ સાક્ષી છે કે ચૂંટણીઓ આવવાની સાથે જ લોકો શાસનમાં બેઠેલી સરકારને ઘેરવાનું ચાલુ કરી દે છે. આજ શનિવાર છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના માથે શનિ મંડરાઈ રહ્યો છે. ગાંધીનગરમાં અનેક લોકોએ આંદોલનની આંધી ચલાવી છે. અનેક સરકારી અને બિન સરકારી લોકો પોતાની માગણી સાથે ગાંધીનગર પહોંચી ગયા છે. સત્યાગ્રહ છાવણી હોય કે વિધાનસભા ગૃહ તમામ જગ્યાઓ પર આજે મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તમામ લોકોની માગણી સ્વિકારવા માટે ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે જે પોતાની વોટબેંકની તાકાતના આધારે લોકોને સાંભળવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. 


કેટલા લોકો-સંઘો મેદાને? 

લોકોની દબાયેલી માગો ચૂંટણી પહેલા અચાનક ઉછળતા રોષનો મારો ગુજરાત સરકાર સામે ચલાવાયો છે. વિદ્યાર્થીઓની માગણી તો સ્વિકારાય પરંતુ હાલ ખેડૂતો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, આંગણવાડીની બહેનો એસટી કર્મચારીઓ, શિક્ષક સંઘો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પંચાયત હસ્તકના કર્મચારીઓ, માજી સૈનિકો સહિતના અનેક ગ્રુપ પોતાની માગણી સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. ખુદ ભાજપની ભગીની સંસ્થા કિસાન મહાસંઘ પણ આંદોલન કરી પોતાના હકો માગી રહી છે. 


ગાંધીનગર સચિવાલય પર સુરક્ષાનો કાફલો 

તમામ વર્ગના લોકો વિરોધ નોંધાવવાના કારણે ગુજરાત સરકારે પોલીસ સહિત એપિડ એક્શન ફોર્સ(RAF)ની ટુકડી વિધાનસભા ગેટ પર ખડકી દીધી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે મંત્રીઓના નિવાસસ્થાનો પર પણ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.  


સરકાર ભરાતા માગો સ્વીકારાઈ

ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સામે આજે પણ ઘણા પડકાર છે અને ચૂંટણી પહેલાના સમયમાં તો અનેક સમસ્યાઓનો ધોધ વહેતો જ રહેશે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની અમુક માગ સ્વીકારી પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ રાખી છે, આંગણવાડી બહેનોની માગ પણ સરકારે સ્વિકારી છે,  


     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.