આંદોલનની આંધી વચ્ચે શનિવારે સરકારનો શનિ ભારે રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:47:59



ગુજરાતનો ઈતિહાસ સાક્ષી છે કે ચૂંટણીઓ આવવાની સાથે જ લોકો શાસનમાં બેઠેલી સરકારને ઘેરવાનું ચાલુ કરી દે છે. આજ શનિવાર છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના માથે શનિ મંડરાઈ રહ્યો છે. ગાંધીનગરમાં અનેક લોકોએ આંદોલનની આંધી ચલાવી છે. અનેક સરકારી અને બિન સરકારી લોકો પોતાની માગણી સાથે ગાંધીનગર પહોંચી ગયા છે. સત્યાગ્રહ છાવણી હોય કે વિધાનસભા ગૃહ તમામ જગ્યાઓ પર આજે મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તમામ લોકોની માગણી સ્વિકારવા માટે ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે જે પોતાની વોટબેંકની તાકાતના આધારે લોકોને સાંભળવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. 


કેટલા લોકો-સંઘો મેદાને? 

લોકોની દબાયેલી માગો ચૂંટણી પહેલા અચાનક ઉછળતા રોષનો મારો ગુજરાત સરકાર સામે ચલાવાયો છે. વિદ્યાર્થીઓની માગણી તો સ્વિકારાય પરંતુ હાલ ખેડૂતો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, આંગણવાડીની બહેનો એસટી કર્મચારીઓ, શિક્ષક સંઘો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પંચાયત હસ્તકના કર્મચારીઓ, માજી સૈનિકો સહિતના અનેક ગ્રુપ પોતાની માગણી સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. ખુદ ભાજપની ભગીની સંસ્થા કિસાન મહાસંઘ પણ આંદોલન કરી પોતાના હકો માગી રહી છે. 


ગાંધીનગર સચિવાલય પર સુરક્ષાનો કાફલો 

તમામ વર્ગના લોકો વિરોધ નોંધાવવાના કારણે ગુજરાત સરકારે પોલીસ સહિત એપિડ એક્શન ફોર્સ(RAF)ની ટુકડી વિધાનસભા ગેટ પર ખડકી દીધી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે મંત્રીઓના નિવાસસ્થાનો પર પણ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.  


સરકાર ભરાતા માગો સ્વીકારાઈ

ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સામે આજે પણ ઘણા પડકાર છે અને ચૂંટણી પહેલાના સમયમાં તો અનેક સમસ્યાઓનો ધોધ વહેતો જ રહેશે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની અમુક માગ સ્વીકારી પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ રાખી છે, આંગણવાડી બહેનોની માગ પણ સરકારે સ્વિકારી છે,  


     



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"