યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ અનેક એવા યુવાનો છે જેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી અનેક ગરબા આયોજકે સાવચેતીના પગલા લેવાની વાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટમાં ગરબા સંચાલકોએ નિર્ણય લીધો છે કે પોલીસની સાથે ડોક્ટરની ટીમ પણ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ રહેશે તૈનાત
છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાજા દેખાતા લોકો ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ હોતી નથી. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. થોડા દિવસ પહેલા જામનગરમાં ગરબાની પ્રેક્સિટસ કરી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું. તે પહેલા પણ આવો કિસ્સો સામે આવ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. ગરબાની રમઝટ ખેલૈયાઓ બોલાવશે. ત્યારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા ગરબા સંચાલકોએ આ નિર્ણય લીધો છે કે ગરબાના ગ્રાઉન્ડ પર ડોક્ટરો પણ હાજર રહેશે.
નવરાત્રી માટે લોકો હોય છે ઉત્સુક
નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે યુવાનો તત્પર હોય છે. ઘણા સમયથી નવરાત્રીની રાહ ખેલૈયાઓ જોતા હોય છે. લાંબા સમયથી પ્રેક્ટિસ પણ યુવાનોએ શરૂ કરી દીધી હોય છે. પરંતુ થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. યુવાનો હૃદયરોગના શિકાર બની રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ગરબા સંચાલકોએ અનોખી પહેલ કરી છે. ગરબાના ગ્રાઉન્ડ પર ડોક્ટની ટીમ પણ તૈનાત રહેશે. જો કોઈને ડોક્ટરની જરૂર છે તો તેને સારવાર તત્વરીત મળી રહે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓ અવાર-નવાર સામે આવી રહ્યા છે.
નવરાત્રીની પહેલાં હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હાર્ટ એટેકને લઈ સાંસદ રામ મોકરિયાએ યુવાનોને એક ખાસ સલાહ આપી.#navratri #HeartAttack #festival #sansad #advice #case #important #rammokariya #Youth #jamawat pic.twitter.com/fpR8oiluy4
— Jamawat (@Jamawat3) October 2, 2023
રામ મોકરિયાએ કરી આ અપીલ
નવરાત્રીની પહેલાં હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હાર્ટ એટેકને લઈ સાંસદ રામ મોકરિયાએ યુવાનોને એક ખાસ સલાહ આપી.#navratri #HeartAttack #festival #sansad #advice #case #important #rammokariya #Youth #jamawat pic.twitter.com/fpR8oiluy4
— Jamawat (@Jamawat3) October 2, 2023ગરબા દરમિયાન અનેક યુવાનો એવા સ્ટેપ કરતા હોય છે, લોકોમાં તાન ચઢી જતો હોય છે. હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોતા ખેલૈયાઓને રામ મોકરીયાએ એક અપીલ કરી છે. નવરાત્રીનો પર્વ છે માતાજીની પૂજા કરવાના દિવસો છે. કોમ્પીટિશનમાં એવા સ્ટેપ ના કરે જેને કારણે દિલને સ્ટ્રેસ રહે.