Surat : દીકરાને Canada મોકલવા પિતાએ કર્યું દેવું, વિદેશ ગયા બાદ પુત્રએ તરછોડ્યા! માતા પિતા પુત્રના બદલાયેલા વર્તનને સહન ના કરી શક્યા અને....


  • Published By :
  • Published Date : 2024-05-09 14:10:59

વિદેશ જવાનો શોખ અનેક યુવાનોને હોય છે.. વિદેશ જઈ સેટલ થવાના સપના, પોતાનું કરિયર બનાવવાના સપના અનેક યુવાનોને હોય છે.. અનેક એવા પરિવારોના ઉદાહરણો આપણી સામે છે જે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પોતાના સંતાનને વિદેશ મોકલે છે માત્ર તેમના સપનાને પૂર્ણ કરવા માટે.. સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...     


સંતાનના સપના પૂરા કરવા માટે માતા પિતા કરતા હોય છે દેવું

આપણા શાસ્ત્રોમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી છે... આપણે ત્યાં કહેવાય છે કે માતા પિતાને ખુશ રાખીએ તો ઈશ્વર પણ ખુશ થઈ જાય છે... સંતાનના સપના પૂરા કરવા પાછળ માતા પિતા કોઈ પણ હદને વટાવી શકે છે.. મોટામાં મોટું જોખમ પણ તે ઉઠાવી લેતા હોય છે માત્ર એટલા માટે કારણ કે તેમના સંતાન ખુશ રહે... અનેક એવા પરિવારો છે જેમણે દેવું કરીને પોતાના સંતાનને વિદેશ મોકલ્યા હોય છે.. એવી આશા હોય છે કે તે દેવું ચૂક્તે કરવામાં મદદ કરશે.. 



દીકરાનું દેવું ચૂકવવા માટે ચુનીભાઈએ....  

સુરતના સરથાણાથી એક ઘટના સામે આવી જેમાં  પોતાના સંતાન પિયુષને કેનેડા મોકલવા માટે ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે લાખો રૂપિયા ભેગા કર્યા....પિયુષની ઉપર થઈ ગયેલા દેવાને ચૂકવવા માટે પોતાની પાસે રહેલાના દાગીના તેમજ કેશ આપ્યા પરંતુ પિયુષને મદદ કરવા માટે સગાસંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા હતા. વૃદ્ધ દંપતીને લાગતું હતું કે દીકરો કેનેડા જશે અને કમાઈને આ દેવું ચૂકવશે. 



માતા પિતાને મળવા ના આવ્યો પિયુષ 

પૈસા ચૂકવવાની તો દૂરની વાત રહી પરંતુ પિયુષ તો ત્યાં જઈને માતા પિતાને જ ભૂલી ગયો.. સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ સુરત આવ્યા હતા ત્યારે પણ માતા-પિતાને મળવા તે ના આવ્યા.. જે દીકરા માટે માતા પિતાએ પોતાનું સર્વસ્ય ન્યોછાવર કરી દીધું તે દીકરો જ્યારે મોઢું ફેરવી લે ત્યારે તે વાલીઓની શું દશા થતી હશે?



માતા પિતાએ આત્મહત્યા કરી પસંદ!

સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમની પાસેથી તેમણે પૈસા લીધા હતા તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી નથી કરી.. પુત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને તે સહન ના કરી શક્યા... અને અંતે આ પ્રકારનું પગલું તેમણે ભર્યું. મોતને વ્હાલું કરવાનું તેમણે પસંદ કર્યું.. 


માતા પિતાને આશા હોય છે કે... 

સંતાનોને માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો માનવામાં આવે છે... માતા પિતા જ્યારે ઘરડા થશે ત્યારે તે તેમની સંભાળ લેશે તેવા સપના તે જોતા હોય છે... આખી જીંદગી બાળકો પાછળ માતા પિતા ખર્ચી નાખે છે અને અંતે તેમને સાંભળવું પડે છે કે તમે અમારા માટે કર્યું શું છે? આપણે પરિવારમાં માનનારા લોકો છે.. પરિવારથી હૂંફ મળે છે અને એટલા માટે જ લોકો એકસાથે રહેવાનું પસંદ કરે છે.. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ અનેક થાય છે... 



માત્ર સ્મૃતિઓમાં રહે તે પહેલા તેની...  

વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓ સાથે પણ મુખ્યત્વે આવી જ કંઈક ઘટનાઓ બની હોય છે... કહેવાની વાત એટલી જ કે જ્યાં સુધી માતા પિતા જીવે છે ત્યાં સુધી સમય પસાર કરી લો કારણ કે જ્યારે તે નહીં હોય ત્યારે આપણને જ તેમની સૌથી વધારે યાદ આવશે...  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.