Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ મતદાન બાદ આપી પ્રતિક્રિયા, ભાજપને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-09 12:29:41

રાજકોટ લોકસભા બેઠક આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી.. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ ઉપરાંત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતી ટ્વિટ તેમજ કવિતાઓ ચર્ચામાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે. પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગી છે જ્યારે પરેશ ધાનાણીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે...  

પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો માટે મતદાન થયું છે.. ઓવરઓલ 60.13 ટકા મતદાન થયું છે.. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અનેક એવી બેઠકો જ્યાં ધારાસભ્યો લડ્યા હતા ત્યાં સારા પ્રમાણમાં મતદાન થયું છે.. એ બનાસકાંઠા હોય, વલસાડ હોય કે ભરૂચ હોય... આ બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે.. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીની મતદાન પૂર્ણ થયા બાદની પ્રતિક્રિયા સામે આવી છે...  


ભાજપ પર કર્યા પ્રહાર!

ગઈ કાલે ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાનને લઈને ખાસ વાતચીત કરી જે દરમિયાન તેમણે કહ્યું કે  મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે  ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. 



રાજકોટ લોકસભા બેઠક રહી હતી ચર્ચામાં!

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે કોની જીત થાય છે અને કયા ઉમેદવારને હારનો સામનો કરવો પડે છે. પરિણામ ચોથી તારીખે આવવાનું છે..   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે