Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ મતદાન બાદ આપી પ્રતિક્રિયા, ભાજપને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 12:29:41

રાજકોટ લોકસભા બેઠક આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી.. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ ઉપરાંત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતી ટ્વિટ તેમજ કવિતાઓ ચર્ચામાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે. પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગી છે જ્યારે પરેશ ધાનાણીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે...  

પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો માટે મતદાન થયું છે.. ઓવરઓલ 60.13 ટકા મતદાન થયું છે.. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અનેક એવી બેઠકો જ્યાં ધારાસભ્યો લડ્યા હતા ત્યાં સારા પ્રમાણમાં મતદાન થયું છે.. એ બનાસકાંઠા હોય, વલસાડ હોય કે ભરૂચ હોય... આ બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે.. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીની મતદાન પૂર્ણ થયા બાદની પ્રતિક્રિયા સામે આવી છે...  


ભાજપ પર કર્યા પ્રહાર!

ગઈ કાલે ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાનને લઈને ખાસ વાતચીત કરી જે દરમિયાન તેમણે કહ્યું કે  મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે  ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. 



રાજકોટ લોકસભા બેઠક રહી હતી ચર્ચામાં!

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે કોની જીત થાય છે અને કયા ઉમેદવારને હારનો સામનો કરવો પડે છે. પરિણામ ચોથી તારીખે આવવાનું છે..   




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે