Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ મતદાન બાદ આપી પ્રતિક્રિયા, ભાજપને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-09 12:29:41

રાજકોટ લોકસભા બેઠક આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી.. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ ઉપરાંત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતી ટ્વિટ તેમજ કવિતાઓ ચર્ચામાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે. પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગી છે જ્યારે પરેશ ધાનાણીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે...  

પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો માટે મતદાન થયું છે.. ઓવરઓલ 60.13 ટકા મતદાન થયું છે.. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અનેક એવી બેઠકો જ્યાં ધારાસભ્યો લડ્યા હતા ત્યાં સારા પ્રમાણમાં મતદાન થયું છે.. એ બનાસકાંઠા હોય, વલસાડ હોય કે ભરૂચ હોય... આ બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે.. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીની મતદાન પૂર્ણ થયા બાદની પ્રતિક્રિયા સામે આવી છે...  


ભાજપ પર કર્યા પ્રહાર!

ગઈ કાલે ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાનને લઈને ખાસ વાતચીત કરી જે દરમિયાન તેમણે કહ્યું કે  મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે  ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. 



રાજકોટ લોકસભા બેઠક રહી હતી ચર્ચામાં!

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે કોની જીત થાય છે અને કયા ઉમેદવારને હારનો સામનો કરવો પડે છે. પરિણામ ચોથી તારીખે આવવાનું છે..   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.