Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ મતદાન બાદ આપી પ્રતિક્રિયા, ભાજપને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-09 12:29:41

રાજકોટ લોકસભા બેઠક આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી.. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ ઉપરાંત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતી ટ્વિટ તેમજ કવિતાઓ ચર્ચામાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે. પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગી છે જ્યારે પરેશ ધાનાણીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે...  

પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો માટે મતદાન થયું છે.. ઓવરઓલ 60.13 ટકા મતદાન થયું છે.. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અનેક એવી બેઠકો જ્યાં ધારાસભ્યો લડ્યા હતા ત્યાં સારા પ્રમાણમાં મતદાન થયું છે.. એ બનાસકાંઠા હોય, વલસાડ હોય કે ભરૂચ હોય... આ બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે.. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીની મતદાન પૂર્ણ થયા બાદની પ્રતિક્રિયા સામે આવી છે...  


ભાજપ પર કર્યા પ્રહાર!

ગઈ કાલે ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાનને લઈને ખાસ વાતચીત કરી જે દરમિયાન તેમણે કહ્યું કે  મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે  ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. 



રાજકોટ લોકસભા બેઠક રહી હતી ચર્ચામાં!

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે કોની જીત થાય છે અને કયા ઉમેદવારને હારનો સામનો કરવો પડે છે. પરિણામ ચોથી તારીખે આવવાનું છે..   




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."