બેવડી ઋતુમાં બીમાર પડતા અનેક લોકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:23:02

હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે તો રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. ડબલ ઋતુને કારણે વાઈરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણેે દિવસ અને રાતના તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો અંતર જોવા મળે છે. જેને કારણે તાવ અને શર્દીના દર્દીઓ પણ જોવા મળે છે. વાઈરલની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના દર્દીમાં વધારો થયો છે.

ભાદરવામાં વધતી દર્દીઓની સંખ્યા

બેવડી ઋતુને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે તો પછી બપોરના સમયે પંખા નીચે બેસવાની જરૂરત ઉભી થાય છે. ડબલ ઋતુને કારણે અનેક લોકો બીમારીનો શિકાર થઈ રહ્યા છે. તાવ અને શર્દી ઉધરસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિને જો વાઈરલ થાય તો પરિવારના બધા સભ્યો ધીમે ધીમે તેની જપેટમાં આવી જતા હોય છે.   

The Common Cold: Symptoms, Prevention & Treatment | Ausmed

ભાદરવા મહિનામાં અનેક લોકો બીમાર પડતા હોય છે. એક તરફ વરસાદને કારણે તો બીજી તરફ ગરમી તેમજ ઠંડીને કારણે લોકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનિયમિત વાતાવરણને કારણે તાવ અને શર્દીના કેસમાં વધારો થયો છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છેતો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવ થાય છે. કોઈક વખત વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવે છે. અનેક લોકો વાઈરલથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઘેર ઘેર વાઈરલ બીમારીઓ ઘર કરી રહી છે. 150 દર્દીઓ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. વાઈરલથી સુરક્ષિત રહેવા ડોક્ટરો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે