બેવડી ઋતુમાં બીમાર પડતા અનેક લોકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:23:02

હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે તો રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. ડબલ ઋતુને કારણે વાઈરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણેે દિવસ અને રાતના તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો અંતર જોવા મળે છે. જેને કારણે તાવ અને શર્દીના દર્દીઓ પણ જોવા મળે છે. વાઈરલની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના દર્દીમાં વધારો થયો છે.

ભાદરવામાં વધતી દર્દીઓની સંખ્યા

બેવડી ઋતુને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે તો પછી બપોરના સમયે પંખા નીચે બેસવાની જરૂરત ઉભી થાય છે. ડબલ ઋતુને કારણે અનેક લોકો બીમારીનો શિકાર થઈ રહ્યા છે. તાવ અને શર્દી ઉધરસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિને જો વાઈરલ થાય તો પરિવારના બધા સભ્યો ધીમે ધીમે તેની જપેટમાં આવી જતા હોય છે.   

The Common Cold: Symptoms, Prevention & Treatment | Ausmed

ભાદરવા મહિનામાં અનેક લોકો બીમાર પડતા હોય છે. એક તરફ વરસાદને કારણે તો બીજી તરફ ગરમી તેમજ ઠંડીને કારણે લોકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનિયમિત વાતાવરણને કારણે તાવ અને શર્દીના કેસમાં વધારો થયો છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છેતો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવ થાય છે. કોઈક વખત વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવે છે. અનેક લોકો વાઈરલથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઘેર ઘેર વાઈરલ બીમારીઓ ઘર કરી રહી છે. 150 દર્દીઓ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. વાઈરલથી સુરક્ષિત રહેવા ડોક્ટરો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.