વરસાદના તાંડવ વચ્ચે જૂનાગઢમાં સર્જાઈ દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં અંદર ફસાયા અનેક લોકો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-24 15:42:36

રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માટે વરસાદ આફત લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢથી પણ મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડીંગ પડી જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા છે. ભારે ભીડ વાળા વિસ્તારમાં આવી ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બિલ્ડીંગની કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ઘટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 

  

કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

તંત્રની સાથે સાથે સ્થાનિકો પણ રાહત કામગીરીમાં જોડાયા

JCB સહિતના સાધનો વડે બચાવ કામગીરી હાથ ધરાય


કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની ચાલી રહ્યો છે પ્રયાસ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢથી વરસાદના અનેક વીડિયો સામે આવ્યા હતા જે ડરાવી દે તેવા છે. પાણીનું વહેણ એટલું બધું હતું કે જો કોઈ તણાઈ ગયું હોય તો તેનું બચવું અસંભવ માનવામાં આવે છે. પરંતુ પોલીસ તેમજ બચાવની ટીમ દ્વારા લોકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. હમણા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેકશનનું કામ ચાલુ હતું ત્યારે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, પછી ફરી વરસાદ પડ્યો ત્યારે પણ એવું થયું હમણા પરમ દીવસે તો ખબર નહીં કુદરતે શું કોપ વરસાવ્યો કે લોકોના ઘર કાદવ કિચડથી લિંપી દીધા, અનેક ગાડીઓ તણાઈ, પશુઓ પણ તણાયા, માણસો પણ તણાયા અને હજુ પણ લોકોના ઘરોમાં પૂરવાળી ગંદગી ભરાયેલી જ છે. જૂનાગઢના કડિયાવાસ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ પડવાની સાથે જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આશંકા છે કે અનેક લોકો દટાયા હોઈ શકે છે. દાતાર રોડ પર બે માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે તો તેમાં બચાવકામગીરી કરવા માટે 108ની ટીમ પણ આવી ગઈ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.