વરસાદના તાંડવ વચ્ચે જૂનાગઢમાં સર્જાઈ દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં અંદર ફસાયા અનેક લોકો, જુઓ તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 15:42:36

રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માટે વરસાદ આફત લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢથી પણ મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડીંગ પડી જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા છે. ભારે ભીડ વાળા વિસ્તારમાં આવી ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બિલ્ડીંગની કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ઘટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 

  

કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

તંત્રની સાથે સાથે સ્થાનિકો પણ રાહત કામગીરીમાં જોડાયા

JCB સહિતના સાધનો વડે બચાવ કામગીરી હાથ ધરાય


કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની ચાલી રહ્યો છે પ્રયાસ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢથી વરસાદના અનેક વીડિયો સામે આવ્યા હતા જે ડરાવી દે તેવા છે. પાણીનું વહેણ એટલું બધું હતું કે જો કોઈ તણાઈ ગયું હોય તો તેનું બચવું અસંભવ માનવામાં આવે છે. પરંતુ પોલીસ તેમજ બચાવની ટીમ દ્વારા લોકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. હમણા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેકશનનું કામ ચાલુ હતું ત્યારે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, પછી ફરી વરસાદ પડ્યો ત્યારે પણ એવું થયું હમણા પરમ દીવસે તો ખબર નહીં કુદરતે શું કોપ વરસાવ્યો કે લોકોના ઘર કાદવ કિચડથી લિંપી દીધા, અનેક ગાડીઓ તણાઈ, પશુઓ પણ તણાયા, માણસો પણ તણાયા અને હજુ પણ લોકોના ઘરોમાં પૂરવાળી ગંદગી ભરાયેલી જ છે. જૂનાગઢના કડિયાવાસ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ પડવાની સાથે જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આશંકા છે કે અનેક લોકો દટાયા હોઈ શકે છે. દાતાર રોડ પર બે માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે તો તેમાં બચાવકામગીરી કરવા માટે 108ની ટીમ પણ આવી ગઈ છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે