વરસાદના તાંડવ વચ્ચે જૂનાગઢમાં સર્જાઈ દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં અંદર ફસાયા અનેક લોકો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-24 15:42:36

રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માટે વરસાદ આફત લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢથી પણ મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડીંગ પડી જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા છે. ભારે ભીડ વાળા વિસ્તારમાં આવી ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બિલ્ડીંગની કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ઘટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 

  

કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

તંત્રની સાથે સાથે સ્થાનિકો પણ રાહત કામગીરીમાં જોડાયા

JCB સહિતના સાધનો વડે બચાવ કામગીરી હાથ ધરાય


કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની ચાલી રહ્યો છે પ્રયાસ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢથી વરસાદના અનેક વીડિયો સામે આવ્યા હતા જે ડરાવી દે તેવા છે. પાણીનું વહેણ એટલું બધું હતું કે જો કોઈ તણાઈ ગયું હોય તો તેનું બચવું અસંભવ માનવામાં આવે છે. પરંતુ પોલીસ તેમજ બચાવની ટીમ દ્વારા લોકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. હમણા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેકશનનું કામ ચાલુ હતું ત્યારે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, પછી ફરી વરસાદ પડ્યો ત્યારે પણ એવું થયું હમણા પરમ દીવસે તો ખબર નહીં કુદરતે શું કોપ વરસાવ્યો કે લોકોના ઘર કાદવ કિચડથી લિંપી દીધા, અનેક ગાડીઓ તણાઈ, પશુઓ પણ તણાયા, માણસો પણ તણાયા અને હજુ પણ લોકોના ઘરોમાં પૂરવાળી ગંદગી ભરાયેલી જ છે. જૂનાગઢના કડિયાવાસ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ પડવાની સાથે જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આશંકા છે કે અનેક લોકો દટાયા હોઈ શકે છે. દાતાર રોડ પર બે માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે તો તેમાં બચાવકામગીરી કરવા માટે 108ની ટીમ પણ આવી ગઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.