ગુજરાત પોલીસને સો સો સલામ, પોલીસ તેમજ એનડીઆરએફની ટીમને કારણે અનેક લોકોને મળ્યું જીવનદાન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:16:55

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે કુદરત સર્જીત આફતોથી લડવાની વાત આવે ત્યારે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ લોકોનો બચાવ કરવા તત્પર હોય છે. રેસ્ક્યુના અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેને જોઈ આપણને લાગે કે ભગવાનના રૂપમાં આ લોકો તેમની રક્ષા કરવા આવ્યા છે. સોશિયલ મીડિયા પર બચાવ કામગીરી કરતા પોલીસકર્મીઓના તેમજ એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવતા હોય છે જેમાં તેમની કામગીરી ખુબ પ્રશંસનીય હોય છે. ન માત્ર પોલીસ તેમજ એનડીઆરએફની ટીમના પરંતુ ટ્રાફિક પોલીસની ટીમના પણ એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં તેઓ વરસાદ વેઠીને પણ પોતાની ફરજ બજાવતા હોય છે.

પોલીસની કામગીરી બિરદાવવા જેવી 

જ્યારે પોલીસની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા દિમાગમાં પોલીસ માટે બનેલી નેગેટિવ છબી મુખ્ત્વે સામે આવતી હોય છે. પરંતુ આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં આફતના સમયે પોલીસ દેવદૂત બની આપણા રક્ષણ માટે આવતી હોય છે. હાલ વરસાદે  ગુજરાતને ધમરોળ્યું છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. અનેક લોકોના ઘરોમાં પાણી ધૂસ્યા છે. વરસાદને કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો તો આપણે જોયા છે પરંતુ આજે એવા દ્રશ્યો બતાવવા છે જે તમારૂં દિલ ખુશ કરી દેશે. અનેક પોલીસ કર્મીઓનો વ્યવહાર આપણાથી સામે આવ્યો હશે જેમાં તે દાદાગીરી કરતા દેખાતા હશે. પોલીસના નેગેટિવ ચહેરા પર વાત નથી કરવી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોની વાત કરવી છે. 

મહિલાની સાથે માતાજીની મૂર્તિને પણ પોલીસ સાથે લઈને આવી  

જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દરેક જગ્યાઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના જીવનને બચાવવા માટે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમની કામગીરી બિરદાવવા લાયક છે. આ બધા વચ્ચે ટ્રાફિકને કંટ્રોલ કરતા પોલીસ જવાનોને પણ ભૂલવા ન જોઈ. ભલે તેમના આપણને ખરાબ અનુભવો થયા હશે પરંતુ અનેક એવા જવાનો પણ છે જેમની કામગીરી પ્રશંસનિય છે. મહત્વનું છે કે એક વ્યક્તિ ખોટો હોય તો બધા વ્યક્તિઓ ખોટા હોય તેવું જરૂરી નથી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પોલીસે મહિલાનું તો રેસ્ક્યુ કર્યું પરંતુ તેમની સાથે રહેલી માતાજીની મૂર્તિને પણ પોલીસ પોતાની સાથે લાવી હતી. તે સિવાય જૂનાગઢ પોલીસની વધુ એક પ્રશંસનિય કામગીરી જોવા મળી હતી જેમાં તણાયેલા વૃદ્ધને બચાવ્યા હતા. ન માત્ર પોલીસની કામગીરી પરંતુ એવા અનેક વીડિયો સામે આવતા રહી રહ્યા છે જેમાં સામાન્ય માણસ એકબીજાની મદદ કરતો દેખાય છે. ત્યારે માનવતાને જીવંત રાખતા દરેક વ્યક્તિને દિલથી સલામ કરવાની ઈચ્છા થાય છે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.