ગુજરાત પોલીસને સો સો સલામ, પોલીસ તેમજ એનડીઆરએફની ટીમને કારણે અનેક લોકોને મળ્યું જીવનદાન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:16:55

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે કુદરત સર્જીત આફતોથી લડવાની વાત આવે ત્યારે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ લોકોનો બચાવ કરવા તત્પર હોય છે. રેસ્ક્યુના અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેને જોઈ આપણને લાગે કે ભગવાનના રૂપમાં આ લોકો તેમની રક્ષા કરવા આવ્યા છે. સોશિયલ મીડિયા પર બચાવ કામગીરી કરતા પોલીસકર્મીઓના તેમજ એનડીઆરએફની ટીમના વીડિયો સામે આવતા હોય છે જેમાં તેમની કામગીરી ખુબ પ્રશંસનીય હોય છે. ન માત્ર પોલીસ તેમજ એનડીઆરએફની ટીમના પરંતુ ટ્રાફિક પોલીસની ટીમના પણ એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં તેઓ વરસાદ વેઠીને પણ પોતાની ફરજ બજાવતા હોય છે.

પોલીસની કામગીરી બિરદાવવા જેવી 

જ્યારે પોલીસની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા દિમાગમાં પોલીસ માટે બનેલી નેગેટિવ છબી મુખ્ત્વે સામે આવતી હોય છે. પરંતુ આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં આફતના સમયે પોલીસ દેવદૂત બની આપણા રક્ષણ માટે આવતી હોય છે. હાલ વરસાદે  ગુજરાતને ધમરોળ્યું છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. અનેક લોકોના ઘરોમાં પાણી ધૂસ્યા છે. વરસાદને કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો તો આપણે જોયા છે પરંતુ આજે એવા દ્રશ્યો બતાવવા છે જે તમારૂં દિલ ખુશ કરી દેશે. અનેક પોલીસ કર્મીઓનો વ્યવહાર આપણાથી સામે આવ્યો હશે જેમાં તે દાદાગીરી કરતા દેખાતા હશે. પોલીસના નેગેટિવ ચહેરા પર વાત નથી કરવી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોની વાત કરવી છે. 

મહિલાની સાથે માતાજીની મૂર્તિને પણ પોલીસ સાથે લઈને આવી  

જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દરેક જગ્યાઓનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના જીવનને બચાવવા માટે પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમની કામગીરી બિરદાવવા લાયક છે. આ બધા વચ્ચે ટ્રાફિકને કંટ્રોલ કરતા પોલીસ જવાનોને પણ ભૂલવા ન જોઈ. ભલે તેમના આપણને ખરાબ અનુભવો થયા હશે પરંતુ અનેક એવા જવાનો પણ છે જેમની કામગીરી પ્રશંસનિય છે. મહત્વનું છે કે એક વ્યક્તિ ખોટો હોય તો બધા વ્યક્તિઓ ખોટા હોય તેવું જરૂરી નથી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પોલીસે મહિલાનું તો રેસ્ક્યુ કર્યું પરંતુ તેમની સાથે રહેલી માતાજીની મૂર્તિને પણ પોલીસ પોતાની સાથે લાવી હતી. તે સિવાય જૂનાગઢ પોલીસની વધુ એક પ્રશંસનિય કામગીરી જોવા મળી હતી જેમાં તણાયેલા વૃદ્ધને બચાવ્યા હતા. ન માત્ર પોલીસની કામગીરી પરંતુ એવા અનેક વીડિયો સામે આવતા રહી રહ્યા છે જેમાં સામાન્ય માણસ એકબીજાની મદદ કરતો દેખાય છે. ત્યારે માનવતાને જીવંત રાખતા દરેક વ્યક્તિને દિલથી સલામ કરવાની ઈચ્છા થાય છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.