મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ પાસ, 10% રિઝર્વેશન મંજુર, મનોજ જરાંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2024-02-20 16:03:22

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે.  


મંત્રી છગન ભુજબળ કર્યો હતો વિરોધ

 

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપી છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી. 


મરાઠા અનામતની મહત્વની વાતો


મરાઠા સમાજની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ભાગી દારી ઓછી છે, તેથી તેમને પુરતી ભાગીદારી આપવાની જરૂર છે.


મરાઠા સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત જાહેર કરવામાં આવે છે.


સર્વેની રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરાઠા સમાજ સામાજીક દ્રષ્ટીએ પછાત છે


રિપોર્ટની સ્ટડી કર્યા બાદ જાણવા મળ્યું છે કે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ મરાઠા સમાજની ઓળખ નિમ્ન સ્તરની છે.


મરાઠા સમાજની વસ્તી રાજ્યની કુલ જનસંખ્યાના 28 ટકા જેટલી છે. 


કુલ 52 ટકા અનામતમાં  અનેક મોટી જાતિઓ અને વર્ગના લોકો પહેલાથી જ સામેલ છે. આ સ્થિતીમાં 28 ટકા જનસંખ્યાવાળો સમાજ અન્ય પછાત વર્ગમાં રાખવો તે અસમાનતા હશે. એટલા માટે આ સમાજને અલગથી અનામતની જરૂરીયાત છે. 


મનોજ જરાંગે પાટીલ કેમ છે નારાજ?


મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange)એ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને ચેતવણી આપી છે. ભૂખ હડતાલ પર ઉતરેલા મનોજ જરાંગેએ કહ્યું કે અમારી સાથે ષડયંત્ર થયું છે. અમે મરાઠા માટે સ્વતંત્ર અનામત નહીં પણ ઓબીસી હેઠળ અનામતની માગ કરી હતી. જો સરકાર આ મામલે કોઈ સમાધાન નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.