મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ પાસ, 10% રિઝર્વેશન મંજુર, મનોજ જરાંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2024-02-20 16:03:22

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે.  


મંત્રી છગન ભુજબળ કર્યો હતો વિરોધ

 

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપી છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી. 


મરાઠા અનામતની મહત્વની વાતો


મરાઠા સમાજની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ભાગી દારી ઓછી છે, તેથી તેમને પુરતી ભાગીદારી આપવાની જરૂર છે.


મરાઠા સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત જાહેર કરવામાં આવે છે.


સર્વેની રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરાઠા સમાજ સામાજીક દ્રષ્ટીએ પછાત છે


રિપોર્ટની સ્ટડી કર્યા બાદ જાણવા મળ્યું છે કે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ મરાઠા સમાજની ઓળખ નિમ્ન સ્તરની છે.


મરાઠા સમાજની વસ્તી રાજ્યની કુલ જનસંખ્યાના 28 ટકા જેટલી છે. 


કુલ 52 ટકા અનામતમાં  અનેક મોટી જાતિઓ અને વર્ગના લોકો પહેલાથી જ સામેલ છે. આ સ્થિતીમાં 28 ટકા જનસંખ્યાવાળો સમાજ અન્ય પછાત વર્ગમાં રાખવો તે અસમાનતા હશે. એટલા માટે આ સમાજને અલગથી અનામતની જરૂરીયાત છે. 


મનોજ જરાંગે પાટીલ કેમ છે નારાજ?


મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange)એ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને ચેતવણી આપી છે. ભૂખ હડતાલ પર ઉતરેલા મનોજ જરાંગેએ કહ્યું કે અમારી સાથે ષડયંત્ર થયું છે. અમે મરાઠા માટે સ્વતંત્ર અનામત નહીં પણ ઓબીસી હેઠળ અનામતની માગ કરી હતી. જો સરકાર આ મામલે કોઈ સમાધાન નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.