મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ પાસ, 10% રિઝર્વેશન મંજુર, મનોજ જરાંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2024-02-20 16:03:22

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે.  


મંત્રી છગન ભુજબળ કર્યો હતો વિરોધ

 

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપી છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી. 


મરાઠા અનામતની મહત્વની વાતો


મરાઠા સમાજની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ભાગી દારી ઓછી છે, તેથી તેમને પુરતી ભાગીદારી આપવાની જરૂર છે.


મરાઠા સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત જાહેર કરવામાં આવે છે.


સર્વેની રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરાઠા સમાજ સામાજીક દ્રષ્ટીએ પછાત છે


રિપોર્ટની સ્ટડી કર્યા બાદ જાણવા મળ્યું છે કે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ મરાઠા સમાજની ઓળખ નિમ્ન સ્તરની છે.


મરાઠા સમાજની વસ્તી રાજ્યની કુલ જનસંખ્યાના 28 ટકા જેટલી છે. 


કુલ 52 ટકા અનામતમાં  અનેક મોટી જાતિઓ અને વર્ગના લોકો પહેલાથી જ સામેલ છે. આ સ્થિતીમાં 28 ટકા જનસંખ્યાવાળો સમાજ અન્ય પછાત વર્ગમાં રાખવો તે અસમાનતા હશે. એટલા માટે આ સમાજને અલગથી અનામતની જરૂરીયાત છે. 


મનોજ જરાંગે પાટીલ કેમ છે નારાજ?


મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange)એ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને ચેતવણી આપી છે. ભૂખ હડતાલ પર ઉતરેલા મનોજ જરાંગેએ કહ્યું કે અમારી સાથે ષડયંત્ર થયું છે. અમે મરાઠા માટે સ્વતંત્ર અનામત નહીં પણ ઓબીસી હેઠળ અનામતની માગ કરી હતી. જો સરકાર આ મામલે કોઈ સમાધાન નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.