મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ પાસ, 10% રિઝર્વેશન મંજુર, મનોજ જરાંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2024-02-20 16:03:22

મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે.  


મંત્રી છગન ભુજબળ કર્યો હતો વિરોધ

 

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપી છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી. 


મરાઠા અનામતની મહત્વની વાતો


મરાઠા સમાજની સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ભાગી દારી ઓછી છે, તેથી તેમને પુરતી ભાગીદારી આપવાની જરૂર છે.


મરાઠા સમાજને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત જાહેર કરવામાં આવે છે.


સર્વેની રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મરાઠા સમાજ સામાજીક દ્રષ્ટીએ પછાત છે


રિપોર્ટની સ્ટડી કર્યા બાદ જાણવા મળ્યું છે કે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ મરાઠા સમાજની ઓળખ નિમ્ન સ્તરની છે.


મરાઠા સમાજની વસ્તી રાજ્યની કુલ જનસંખ્યાના 28 ટકા જેટલી છે. 


કુલ 52 ટકા અનામતમાં  અનેક મોટી જાતિઓ અને વર્ગના લોકો પહેલાથી જ સામેલ છે. આ સ્થિતીમાં 28 ટકા જનસંખ્યાવાળો સમાજ અન્ય પછાત વર્ગમાં રાખવો તે અસમાનતા હશે. એટલા માટે આ સમાજને અલગથી અનામતની જરૂરીયાત છે. 


મનોજ જરાંગે પાટીલ કેમ છે નારાજ?


મરાઠા અનામત માટે સંઘર્ષ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange)એ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને ચેતવણી આપી છે. ભૂખ હડતાલ પર ઉતરેલા મનોજ જરાંગેએ કહ્યું કે અમારી સાથે ષડયંત્ર થયું છે. અમે મરાઠા માટે સ્વતંત્ર અનામત નહીં પણ ઓબીસી હેઠળ અનામતની માગ કરી હતી. જો સરકાર આ મામલે કોઈ સમાધાન નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.