મરાઠા આરક્ષણ: મહારાષ્ટ્ર સરકારે જરાંગેની આ મુખ્ય માંગ સ્વીકારી, મરાઠા નેતા આંદોલનના નિર્ણય પર અડગ


  • Published By :
  • Published Date : 2024-01-26 22:31:32

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે મનોજ જરાંગે પાટીલની માંગણી સ્વીકારી છે. કુણબી પ્રમાણપત્રમાં નજીકના સંબંધીનું નામ ઉમેરવા અંગે આજે જ વટહુકમ બહાર પાડવામાં આવશે. મનોજ જરાંગે પાટીલની મુખ્ય માંગ એ હતી કે જેમની પાસે કુણબી પ્રમાણપત્ર છે તેમના જીવનસાથીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે નવી મુંબઈમાં જ મહારાષ્ટ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું હતું અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તેમને ફોન પર વાત કરાવી હતી.


જરાંગેની માંગણી અંગે મંત્રીએ કર્યો દાવો


રાજ્યના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે જરાંગેની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને તે સરકારી પ્રક્રિયા મુજબ પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 37 લાખ કુણબી પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 50 લાખ થઈ જશે.


જરાંગેએ શું કહ્યું?


સરકારી પ્રતિનિધિમંડળ સાથેની બેઠક બાદ નવી મુંબઈના વાશી વિસ્તારમાં શિવાજી ચોક ખાતે લોકોને સંબોધિત કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારના આ પ્રતિનિધિમંડળ બેઠક બાદ જરાંગેએ કહ્યું કે રાજ્ય સરકારે મને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો આપ્યા છે. અનામત જોઈતી હોય તો લડતા શીખવું પડશે, આપણે અનામત લઈને જ રહેવાનું છે. અમે અમારી માંગણીઓ માટે મુંબઈ આવ્યા છીએ.સરકારના નિર્ણયની જાણ કરવા માટે જ સરકારી અધિકારીઓ આવ્યા હતા, સરકારના કોઈ મંત્રી આવ્યા ન હતા. જરાંગે વધુમાં કહ્યું કે પ્રતિનિધિમંડળે તેમને કેટલાક દસ્તાવેજો આપ્યા છે જેના આધારે તેઓ તેમના સમર્થકો સાથે ચર્ચા કરશે અને તેમની ભાવિ રણનીતિ જાહેર કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અમે આંદોલનમાંથી પાછા હટવાના નથી. 


કાલે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન 


મનોજ જરાંગ પાટીલે મરાઠા સમુદાયના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ. અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100% હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું. સરકારે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવો પડશે. સરકાર આજે સાંજ સુધીમાં શિક્ષણ અંગે નિર્ણય કરે. અમે અમારા સંઘર્ષને કારણે કોઈ મુંબઈકરને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. ઉલ્લેખનિય છે કે મનોજ જરાંગે 20 જાન્યુઆરીએ  અનામતની માંગ સાથે પોતાના હજારો સમર્થકો સાથે જાલનાથી નીકળ્યા હતા. તેમની કૂચ 26 જાન્યુઆરીએ વાશી પહોંચી હતી. અહીં તેમણે પોતાની માંગણીઓ માટે ફરી ભૂખ હડતાળ શરૂ કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મરાઠા લોકો એકઠા થવાની આશા છે. જો કે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પ્રશાસન તરફથી પરવાનગી મળી નથી. તેમણે બુધવારે કહ્યું હતું કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે અને આરક્ષણ વિના અહીંથી પાછા નહીં જાય.


શું છે મનોજ જરાંગેની માંગ?


મનોજ જરાંગેની માંગ છે કે મરાઠા સમાજના લોકો OBC હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


મનોજ જરાંગેની પહેલી માંગ છે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.


અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ.


જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે.


મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.