મહારાષ્ટ્રમાં ફરી ભડકી મરાઠા અનામત આંદોલનની આગ, ટોળાએ NCP અજિત પવાર જૂથના MLAના ઘરને આગ ચાપી


  • Published By :
  • Published Date : 2023-10-30 15:30:54

મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે, આ વર્ષે ઓગસ્ટથી શરૂ થેયેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. મરાઠા અનામતની માગ કરી રહેલા લોકોએ સોમવારે બિડ જિલ્લામાં માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસ પર પથ્થરમારો કર્યા બાદ આગ ચાંપી હતી. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી. હાલ ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


MLA પ્રકાશ સોલંકેએ શું કહ્યું?


ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે બપોરે દેખાવકારોએ મારા ઘરમાં આગ લગાવી હતી, જ્યારે પથ્થરમારો અને આંગ ચાંપી તે સમયે હું  મારા ઘરમાં પરિવારજનો સાથે જ હાજર હતો. જો કે મારા પરિવારજનો અને સુરક્ષાકર્મીઓને કોઈ નુકસાન થયું નથી. તમામ લોકો સુરક્ષિત છે. વિરોધ પ્રદર્શકોએ મારી ઓફિસ અને ગાડીઓેને પણ છોડી નથી. તેને પણ આગને હવાલે કરી હતી. મારી પ્રોપર્ટીને જબરદસ્ત નુકસાન થયું છે. 


શા માટે પ્રકાશ સોલંકેને નિશાન બનાવ્યા?


પ્રકાશ સોલંકે અજિત પવાર જુથના ધારાસભ્ય છે, તેઓ બીડની માંજલગાવ વિધાનસભા સીટથી એનસીપીની ટિકિટ પર ચૂંટાયા હતા. સોલંકેની તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેને લઈને ટિપ્પણી કરતા સાંભળવા મળે છે.  આ જ કારણે આદોલનકારીઓએ ધારાસભ્ય પ્રકાશ સોલંકેથી નારાજ હતા અને તેમણે ઘર અને ઓફિસને નિશાન બનાવી હતી. ઉલ્લેખનિય છે કે મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ પણ મનોજ જરાંગેને અપીલ છે કે "અમને થોડો સમય આપો, સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, તેમને દવા અને પાણી લેવા અપીલ છે."


શિવસેના સાંસદે આપ્યું રાજીનામું


મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (29 ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું લોકસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યું નથી, પરંતુ રાજીનામું પત્ર વાયરલ થઈ રહ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે