એકલા Tata Groupનું માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્રથી પણ વધુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:04:45

ભારતના સૌથી મોટા બિઝનેશ હાઉસ તાતા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ હવે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાથી પણ મોટું થઈ ગયું છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ (Tata Group Mcap) 365 અબજ ડોલર હતું, જ્યારે IMFએ પાકિસ્તાનની જીડીપી લગભગ 341 અબજ ડોલર જેટલું  હોવાનું અનુમાન લગાવ્યું છે. ટાટા ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો આકાર પાકિસ્તાનના અર્થતંત્રથી લગભગ અડધો છે. TCSનું માર્કેટ કેપ 170 બિલિયન ડોલર છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓનું કેવું રહ્યું છે પર્ફોરમન્સ?

ટાટા મોટર્સ અને ટ્રેન્ટનું રિટર્ન છેલ્લા એક વર્ષમાં ટાઈટન, ટીસીએસ, અને ટાટા પાવરમાં જોવા મળેલી રેલીના પરિણામે ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં વૃધ્ધી થઈ છે. ટાટાની ઓછામાં ઓછી 8 કંપનીઓની પ્રોપર્ટી છેલ્લા એક વર્ષમાં બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓમાં TRF, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા એન્ડ આર્ટસન એન્જિનિયરિંગ સામેલ છે. ત્યાર બાદ, ટાટા કેપિટલ  (Tata Capital),જેને આગામી વર્ષ સુધી તેનો આઈપીઓ લાવવાનો છે. તેનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ રૂપિયા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે