એકલા Tata Groupનું માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્રથી પણ વધુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:04:45

ભારતના સૌથી મોટા બિઝનેશ હાઉસ તાતા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ હવે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાથી પણ મોટું થઈ ગયું છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ (Tata Group Mcap) 365 અબજ ડોલર હતું, જ્યારે IMFએ પાકિસ્તાનની જીડીપી લગભગ 341 અબજ ડોલર જેટલું  હોવાનું અનુમાન લગાવ્યું છે. ટાટા ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો આકાર પાકિસ્તાનના અર્થતંત્રથી લગભગ અડધો છે. TCSનું માર્કેટ કેપ 170 બિલિયન ડોલર છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓનું કેવું રહ્યું છે પર્ફોરમન્સ?

ટાટા મોટર્સ અને ટ્રેન્ટનું રિટર્ન છેલ્લા એક વર્ષમાં ટાઈટન, ટીસીએસ, અને ટાટા પાવરમાં જોવા મળેલી રેલીના પરિણામે ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં વૃધ્ધી થઈ છે. ટાટાની ઓછામાં ઓછી 8 કંપનીઓની પ્રોપર્ટી છેલ્લા એક વર્ષમાં બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓમાં TRF, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા એન્ડ આર્ટસન એન્જિનિયરિંગ સામેલ છે. ત્યાર બાદ, ટાટા કેપિટલ  (Tata Capital),જેને આગામી વર્ષ સુધી તેનો આઈપીઓ લાવવાનો છે. તેનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ રૂપિયા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.