એકલા Tata Groupનું માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્રથી પણ વધુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:04:45

ભારતના સૌથી મોટા બિઝનેશ હાઉસ તાતા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ હવે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાથી પણ મોટું થઈ ગયું છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ (Tata Group Mcap) 365 અબજ ડોલર હતું, જ્યારે IMFએ પાકિસ્તાનની જીડીપી લગભગ 341 અબજ ડોલર જેટલું  હોવાનું અનુમાન લગાવ્યું છે. ટાટા ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો આકાર પાકિસ્તાનના અર્થતંત્રથી લગભગ અડધો છે. TCSનું માર્કેટ કેપ 170 બિલિયન ડોલર છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓનું કેવું રહ્યું છે પર્ફોરમન્સ?

ટાટા મોટર્સ અને ટ્રેન્ટનું રિટર્ન છેલ્લા એક વર્ષમાં ટાઈટન, ટીસીએસ, અને ટાટા પાવરમાં જોવા મળેલી રેલીના પરિણામે ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં વૃધ્ધી થઈ છે. ટાટાની ઓછામાં ઓછી 8 કંપનીઓની પ્રોપર્ટી છેલ્લા એક વર્ષમાં બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓમાં TRF, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા એન્ડ આર્ટસન એન્જિનિયરિંગ સામેલ છે. ત્યાર બાદ, ટાટા કેપિટલ  (Tata Capital),જેને આગામી વર્ષ સુધી તેનો આઈપીઓ લાવવાનો છે. તેનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ રૂપિયા છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .