એકલા Tata Groupનું માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્રથી પણ વધુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:04:45

ભારતના સૌથી મોટા બિઝનેશ હાઉસ તાતા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ હવે પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થાથી પણ મોટું થઈ ગયું છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ (Tata Group Mcap) 365 અબજ ડોલર હતું, જ્યારે IMFએ પાકિસ્તાનની જીડીપી લગભગ 341 અબજ ડોલર જેટલું  હોવાનું અનુમાન લગાવ્યું છે. ટાટા ગ્રૂપની બીજી સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો આકાર પાકિસ્તાનના અર્થતંત્રથી લગભગ અડધો છે. TCSનું માર્કેટ કેપ 170 બિલિયન ડોલર છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓનું કેવું રહ્યું છે પર્ફોરમન્સ?

ટાટા મોટર્સ અને ટ્રેન્ટનું રિટર્ન છેલ્લા એક વર્ષમાં ટાઈટન, ટીસીએસ, અને ટાટા પાવરમાં જોવા મળેલી રેલીના પરિણામે ટાટા ગ્રૂપના માર્કેટ કેપમાં વૃધ્ધી થઈ છે. ટાટાની ઓછામાં ઓછી 8 કંપનીઓની પ્રોપર્ટી છેલ્લા એક વર્ષમાં બેગણાથી પણ વધુ થઈ ગઈ છે. 


ટાટા ગ્રૂપની કંપનીઓમાં TRF, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા એન્ડ આર્ટસન એન્જિનિયરિંગ સામેલ છે. ત્યાર બાદ, ટાટા કેપિટલ  (Tata Capital),જેને આગામી વર્ષ સુધી તેનો આઈપીઓ લાવવાનો છે. તેનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ રૂપિયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.