એવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી સમાજની શરમ નડે એટલે માસૂમનો ભોગ લેવાય?


  • Published By :
  • Published Date : 2023-05-30 20:34:32

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરીએ સુરત શહેરની.. સુરતમાં એક તાલુકો છે કામરેજ.. તેના ઘલા ગામમાંથી વ્યભિચારનો એક  એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 2 સંતાનના બાપ એવા પરિણીત હવસખોર ભાઇએ પોતાની જ પિતરાઇ બહેનને પ્રેમજાળમાં ફસાવી અને તેને ગર્ભવતી બનાવી..અને જ્યારે આ વાતની પીડિતાના ઘરમાં ખબર પડે છે ત્યારે સમાજમાં આબરું જવાની બીકે તેના પિતા અને તેની ફોઇ મળીને તેના બાળકને પણ દાટી આવે છે..  

કામરેજના ઘલા ગામમાં ખેતમજૂરીનું કામ કરતા કનુ બારૈયા મૂળ ભાવનગરના છે .. પોતાની પત્ની અને 2 દીકરા અને 1 દીકરી સાથે તેઓ રહે છે.. કનુ બારૈયાના બેન બનેવી પણ આ જ ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતા હતા એટલે પારિવારિક સંબંધોના પગલે એકબીજાના ઘરમાં અવરજવર  રહેતી હતી એક દિવસ કનુભાઇની દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી..તો પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.. દીકરીનું ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે કનુભાઇ અને ઘરના લોકોને એકબાજુ બોલાવીને કહ્યું કે તમારી દીકરીને પેટમાં ગર્ભ છે.. આ વાત સાંભળતા જ  પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ..દીકરીને ઘરે લઇ આવી તેની કડક પૂછપરછ હાથ ધરે છે.. અને પૂછે છે કે બાળકનો બાપ કોણ છે.. અને જવાબ મળે છે કે બાળક તેના પિતરાઇ ભાઇ મુનેશનું છે..પરિવારજનો સ્તબ્ધ થઇ જાય છે.. અને તે પછી ધીમે ધીમે બહાર આવે છે.. ઘટનાની હકીકતો..

કનુભાઇ મુનેશની માતાને જાણ કરે છે.. મુનેશની માતા કનુભાઇના ઘરે દોડી આવે છે.. રાત્રે પીડિતાને વધુ દુખાવો ઉપડે છે અને તેને ડિલિવરી કરાવતા છોકરીનો જન્મ થાય છે.. કોઇ સામાન્ય ઘટનામાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરિવારમાં એક ખુશખુશાલ વાતાવરણ હોય.. આસપાસમાં મીઠાઇ વહેંચી આનંદ  વ્યક્ત કરાતો હોય..પણ આ ઘટનામાં એ વાતોને તો અવકાશ જ  નહોતો..અહીંયા તો અનૈતિક સંબંધોના પરિણામથી જન્મેલા બાળકનો જીવવાનો હક જ  છીનવાઇ જવાનો હતો.. દીકરી સ્વરૂપે જન્મેલા બાળકનું હવે શું કરવું તે અંગે પરિવાર ચિંતામાં હતો..આગળ શું કરવું કોઇને કંઇ સૂઝતું ન હતું..  ત્યાં મુનેશ ઉભો થાય  છે.. અને બાળકીને ઉપાડી કનુભાઇને કહે છે કે આને દાટી દેવી પડશે.. મુનેશની સાથે કનુભાઇ અને મુનેશની માતા એટલે કનુભાઇની બહેન પણ આ કૃત્યમાં જોડાય છે.. ત્રણેય જણા મોડીરાત્રે ગામમાં બહાર નીકળે છે.. અને એક ખુલ્લી અવાવરુ ગૌચરની જમીનમાં જગ્યા શોધી ખાડો ખોધીને ત્યાં જીવતી બાળકીને દાટી દે છે..  તે પછી રાતના 2 વાગ્યાની આસપાસ ઘરે આવે છે..

પીડિતા જે હજુપણ પથારી પર જ છે.. તે પૂછે છે કે ક્યાં છે બાળકી અને તેને જવાબ મળે છે કે અમે તેને દાટી આવ્યા.. જો કે આટલું તો પૂરતું ન હતું.. પુરાવાનો પણ નાશ કરવાનો હતો.. કનુભાઇ પોતાના દીકરાને પુરાવાનો નાશ કરવાનું કામ સોંપે છે પણ તે અવાજ  ઉઠાવે છે.. પીડિતાનો ભાઇ આખરે પોતાની બહેનની વહારે આવે છે.. અને તે પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ  દાખલ કરે છે..પોલીસ પોતે પણ આ ઘટનાની વાતો ભાઇના મોઢેથી સાંભળીને ચોંકી જાય છે.. અને તાત્કાલિક તપાસ કરવા પહોંચે છે.. આરોપી કનુભાઇ અને મુનેશને સાથે રાખી બાળકીને જે જગ્યાએ દાટી રાખી હતી તે સ્થળે મામલતદારને સાથે રાખી તપાસ કરાવે છે.. અને તપાસમાં પોલીસને બાળકીનો મૃતદેહ મળી આવે છે.. અને આ રીતે પીડિતાનો ભાઇ પોતે ફરિયાદી બનીને કનુભાઇ, તેમની બહેન અને મુનેશ, આ ત્રણેયને જેલહવાલે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.. પરંતુ સવાલો એ થાય છે કે શું આટલી વાતથી આ વાર્તા અહી પૂરી થઇ જાય છે.. ?

20 વર્ષની એક યુવતી જે સગપણમાં પોતાની બહેન થાય છે.. તેને જ પ્રેમજાળમાં ફોસલાવીને હવસખોરી આચરવાની? મુનેશ પોતે પણ પરિણીત અને 2 સંતાનોનો બાપ છે તેમ છતા તેણે પોતાની બહેનનો હવસનો ભોગ બનાવી અને ઉપરથી તેની સાથેના સંબંધોથી જન્મેલી બાળકીને જીવતેજીવ દાટી પણ દીધી.. અને આ યુવતી જે કુંવારી માતા બની તે આટલા સમય સુધી તેને પોતાનો ફાયદો કેમ ઉઠાવવા દીધો? આપણી ભારતીય પરંપરાઓમાં તો પરિવારની વ્યાખ્યા એ છે કે જેમાં લોકો એકબીજાનું જતન કરે એકબીજાનું  પતન નહિ, આવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી તેમને સમાજની શરમ નડી જાય છે.. અને એક માસૂમ બાળકીના શ્વાસ છીનવી લેવાય છે.. ? 

પોલીસે કલમ 302 હેઠળ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.. જે સદોષ માનવવધની કલમ છે.. જેમાં આજીવન કેદથી લઇને ફાંસી સુધીની સજા થઇ શકે છે.. હાલ તમામ આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.. આગળ જતા હજુ અનેક ખુલાસાઓ આ ઘટનામાં થશે.. પરંતુ આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે વ્યભિચારમાં જે વ્યક્તિ તમામ હદો પાર કરી નાખે છે.. તે એકના એક દિવસ તેની સજા જરૂર ભોગવે છે..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.