એવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી સમાજની શરમ નડે એટલે માસૂમનો ભોગ લેવાય?


  • Published By :
  • Published Date : 2023-05-30 20:34:32

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરીએ સુરત શહેરની.. સુરતમાં એક તાલુકો છે કામરેજ.. તેના ઘલા ગામમાંથી વ્યભિચારનો એક  એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 2 સંતાનના બાપ એવા પરિણીત હવસખોર ભાઇએ પોતાની જ પિતરાઇ બહેનને પ્રેમજાળમાં ફસાવી અને તેને ગર્ભવતી બનાવી..અને જ્યારે આ વાતની પીડિતાના ઘરમાં ખબર પડે છે ત્યારે સમાજમાં આબરું જવાની બીકે તેના પિતા અને તેની ફોઇ મળીને તેના બાળકને પણ દાટી આવે છે..  

કામરેજના ઘલા ગામમાં ખેતમજૂરીનું કામ કરતા કનુ બારૈયા મૂળ ભાવનગરના છે .. પોતાની પત્ની અને 2 દીકરા અને 1 દીકરી સાથે તેઓ રહે છે.. કનુ બારૈયાના બેન બનેવી પણ આ જ ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતા હતા એટલે પારિવારિક સંબંધોના પગલે એકબીજાના ઘરમાં અવરજવર  રહેતી હતી એક દિવસ કનુભાઇની દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી..તો પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.. દીકરીનું ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે કનુભાઇ અને ઘરના લોકોને એકબાજુ બોલાવીને કહ્યું કે તમારી દીકરીને પેટમાં ગર્ભ છે.. આ વાત સાંભળતા જ  પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ..દીકરીને ઘરે લઇ આવી તેની કડક પૂછપરછ હાથ ધરે છે.. અને પૂછે છે કે બાળકનો બાપ કોણ છે.. અને જવાબ મળે છે કે બાળક તેના પિતરાઇ ભાઇ મુનેશનું છે..પરિવારજનો સ્તબ્ધ થઇ જાય છે.. અને તે પછી ધીમે ધીમે બહાર આવે છે.. ઘટનાની હકીકતો..

કનુભાઇ મુનેશની માતાને જાણ કરે છે.. મુનેશની માતા કનુભાઇના ઘરે દોડી આવે છે.. રાત્રે પીડિતાને વધુ દુખાવો ઉપડે છે અને તેને ડિલિવરી કરાવતા છોકરીનો જન્મ થાય છે.. કોઇ સામાન્ય ઘટનામાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરિવારમાં એક ખુશખુશાલ વાતાવરણ હોય.. આસપાસમાં મીઠાઇ વહેંચી આનંદ  વ્યક્ત કરાતો હોય..પણ આ ઘટનામાં એ વાતોને તો અવકાશ જ  નહોતો..અહીંયા તો અનૈતિક સંબંધોના પરિણામથી જન્મેલા બાળકનો જીવવાનો હક જ  છીનવાઇ જવાનો હતો.. દીકરી સ્વરૂપે જન્મેલા બાળકનું હવે શું કરવું તે અંગે પરિવાર ચિંતામાં હતો..આગળ શું કરવું કોઇને કંઇ સૂઝતું ન હતું..  ત્યાં મુનેશ ઉભો થાય  છે.. અને બાળકીને ઉપાડી કનુભાઇને કહે છે કે આને દાટી દેવી પડશે.. મુનેશની સાથે કનુભાઇ અને મુનેશની માતા એટલે કનુભાઇની બહેન પણ આ કૃત્યમાં જોડાય છે.. ત્રણેય જણા મોડીરાત્રે ગામમાં બહાર નીકળે છે.. અને એક ખુલ્લી અવાવરુ ગૌચરની જમીનમાં જગ્યા શોધી ખાડો ખોધીને ત્યાં જીવતી બાળકીને દાટી દે છે..  તે પછી રાતના 2 વાગ્યાની આસપાસ ઘરે આવે છે..

પીડિતા જે હજુપણ પથારી પર જ છે.. તે પૂછે છે કે ક્યાં છે બાળકી અને તેને જવાબ મળે છે કે અમે તેને દાટી આવ્યા.. જો કે આટલું તો પૂરતું ન હતું.. પુરાવાનો પણ નાશ કરવાનો હતો.. કનુભાઇ પોતાના દીકરાને પુરાવાનો નાશ કરવાનું કામ સોંપે છે પણ તે અવાજ  ઉઠાવે છે.. પીડિતાનો ભાઇ આખરે પોતાની બહેનની વહારે આવે છે.. અને તે પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ  દાખલ કરે છે..પોલીસ પોતે પણ આ ઘટનાની વાતો ભાઇના મોઢેથી સાંભળીને ચોંકી જાય છે.. અને તાત્કાલિક તપાસ કરવા પહોંચે છે.. આરોપી કનુભાઇ અને મુનેશને સાથે રાખી બાળકીને જે જગ્યાએ દાટી રાખી હતી તે સ્થળે મામલતદારને સાથે રાખી તપાસ કરાવે છે.. અને તપાસમાં પોલીસને બાળકીનો મૃતદેહ મળી આવે છે.. અને આ રીતે પીડિતાનો ભાઇ પોતે ફરિયાદી બનીને કનુભાઇ, તેમની બહેન અને મુનેશ, આ ત્રણેયને જેલહવાલે કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.. પરંતુ સવાલો એ થાય છે કે શું આટલી વાતથી આ વાર્તા અહી પૂરી થઇ જાય છે.. ?

20 વર્ષની એક યુવતી જે સગપણમાં પોતાની બહેન થાય છે.. તેને જ પ્રેમજાળમાં ફોસલાવીને હવસખોરી આચરવાની? મુનેશ પોતે પણ પરિણીત અને 2 સંતાનોનો બાપ છે તેમ છતા તેણે પોતાની બહેનનો હવસનો ભોગ બનાવી અને ઉપરથી તેની સાથેના સંબંધોથી જન્મેલી બાળકીને જીવતેજીવ દાટી પણ દીધી.. અને આ યુવતી જે કુંવારી માતા બની તે આટલા સમય સુધી તેને પોતાનો ફાયદો કેમ ઉઠાવવા દીધો? આપણી ભારતીય પરંપરાઓમાં તો પરિવારની વ્યાખ્યા એ છે કે જેમાં લોકો એકબીજાનું જતન કરે એકબીજાનું  પતન નહિ, આવો કેવો આ પરિવાર કે જ્યાં આટલી હદે વ્યભિચારનો ફેલાવો અને તે પછી તેમને સમાજની શરમ નડી જાય છે.. અને એક માસૂમ બાળકીના શ્વાસ છીનવી લેવાય છે.. ? 

પોલીસે કલમ 302 હેઠળ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.. જે સદોષ માનવવધની કલમ છે.. જેમાં આજીવન કેદથી લઇને ફાંસી સુધીની સજા થઇ શકે છે.. હાલ તમામ આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.. આગળ જતા હજુ અનેક ખુલાસાઓ આ ઘટનામાં થશે.. પરંતુ આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે વ્યભિચારમાં જે વ્યક્તિ તમામ હદો પાર કરી નાખે છે.. તે એકના એક દિવસ તેની સજા જરૂર ભોગવે છે..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.