શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની માતા રડતી રહી, ચેક સોંપવા ગયેલા મંત્રીએ ફોટો પડાવી સંમતિ આપી, રાજકીય પાર્ટીઓએ કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-11-25 17:00:50

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી સાથે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. પાંચ જવાનો શહીદ થતા તેમના પરિવારમાં તો શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે પરંતુ દેશના લોકોમાં આ ઘટનાને લઈ દુખ વ્યાપી ઉઠ્યું છે. દેશે પોતાના પાંચ વીર જવાનો ખોઈ દીધા છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા વ્યવહારને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે વખોડી છે.  

કેબિનેટ મંત્રીનો ચેક આપતો વીડિયો વાયરલ 

આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા છે. શહાદતના સમાચાર સાંભળતા જ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હશે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હશે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા આગ્રાના રહેવાસી કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. શુભમ ગુપ્તાના શહીદ થવાથી આગ્રામાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે. ઘરે આશ્વાસન કરનારાઓનો ધસારો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા.જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શહીદ જવાનની માતા રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું પ્રદર્શન ન કરો, મારે ચેક નથી જોઈતો મારે તો મારો લાલ જોઈએ છે. 

સોશિયલ મીડિયા પર મૂકવા માટે નેતાઓ પડાવે છે ફોટા! 

આજના સમયમાં રાજકીય નાટક કરવા એટલે ફોટા પડાવવા.નેતાઓ પીડિત અને રડતા પરિવારના સભ્યો પાસે જાય છે. અને ચેક અથવા રકમ આપે છે ભલે તે રડતા અને દુઃખી પરિવારના સભ્યો ફોટા પહેલા લેવાના જેથી ખબર પડેને કે અમે ગયા હતા… આ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી નેતાઓ ફાંકાઈ મારતા હોય છે કે જનતા જનાર્દન, જુઓ, અમે જ સૌપ્રથમ હતા, અમે સૌ પ્રથમ કાળજી લીધી, અમે સૌ પ્રથમ સહાયતા આપી. આ બધા વચ્ચે પીડિતના પરિવારની લાગણી કેવી હશે એ સમજવા માટે આ લોકોમાં અંતરાત્મા નથી હોતો આમનો અંતરાત્મા તો મરી પરવાર્યો હોય છે.

શહીદની માતા ધ્રુસકને ધ્રુસકે રડી પડી!

નેતાઓએ શહીદની રડતી માતા સાથે જબરદસ્તી ફોટો પડાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે ગમગીન માહોલમાં ડૂબેલા ઘરના દરવાજે મંત્રીજી ફોટો પડાવવા પહોંચ્યા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શહીદ કેપ્ટનની માતાએ ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માતાના ના પાડ્યા બાદ 50 લાખનો ચેક પિતાને સોંપવામાં આવ્યો હતો. યોગી સરકારની જાહેરાત મુજબ શહીદ શુભમ ગુપ્તાના નામ પર તેમના શાહિદ જવાનના ગામમાં સ્મારક બનાવવામાં આવશે. પરિવારને સાંત્વના આપ્યા બાદ ગૃહની બહાર નીકળ્યા મંત્રી. તેમણે કહ્યું કે તેઓ આગ્રાના લાલની શહાદતને સલામ કરે છે. મંત્રીએ કહ્યું કે આગ્રા મેટ્રો સ્ટેશનનું નામ શહીદના નામ પર રાખવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે.

કોંગ્રેસ,આપ, સમાજવાદી પાર્ટી સહિતના પાર્ટીઓએ આપી પ્રતિક્રિયા  

આ વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ઘટનાની ટીકા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા લખવામાં આવ્યું કંઈ તો શર્મ કરો ભાજપ વાળા... તો કોંગ્રેસે લખ્યું ગિદ્ધ. તે ઉપરાંત સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .