શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની માતા રડતી રહી, ચેક સોંપવા ગયેલા મંત્રીએ ફોટો પડાવી સંમતિ આપી, રાજકીય પાર્ટીઓએ કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-11-25 17:00:50

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી સાથે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. પાંચ જવાનો શહીદ થતા તેમના પરિવારમાં તો શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે પરંતુ દેશના લોકોમાં આ ઘટનાને લઈ દુખ વ્યાપી ઉઠ્યું છે. દેશે પોતાના પાંચ વીર જવાનો ખોઈ દીધા છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા વ્યવહારને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે વખોડી છે.  

કેબિનેટ મંત્રીનો ચેક આપતો વીડિયો વાયરલ 

આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા છે. શહાદતના સમાચાર સાંભળતા જ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હશે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હશે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા આગ્રાના રહેવાસી કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. શુભમ ગુપ્તાના શહીદ થવાથી આગ્રામાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે. ઘરે આશ્વાસન કરનારાઓનો ધસારો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા.જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શહીદ જવાનની માતા રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું પ્રદર્શન ન કરો, મારે ચેક નથી જોઈતો મારે તો મારો લાલ જોઈએ છે. 

સોશિયલ મીડિયા પર મૂકવા માટે નેતાઓ પડાવે છે ફોટા! 

આજના સમયમાં રાજકીય નાટક કરવા એટલે ફોટા પડાવવા.નેતાઓ પીડિત અને રડતા પરિવારના સભ્યો પાસે જાય છે. અને ચેક અથવા રકમ આપે છે ભલે તે રડતા અને દુઃખી પરિવારના સભ્યો ફોટા પહેલા લેવાના જેથી ખબર પડેને કે અમે ગયા હતા… આ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી નેતાઓ ફાંકાઈ મારતા હોય છે કે જનતા જનાર્દન, જુઓ, અમે જ સૌપ્રથમ હતા, અમે સૌ પ્રથમ કાળજી લીધી, અમે સૌ પ્રથમ સહાયતા આપી. આ બધા વચ્ચે પીડિતના પરિવારની લાગણી કેવી હશે એ સમજવા માટે આ લોકોમાં અંતરાત્મા નથી હોતો આમનો અંતરાત્મા તો મરી પરવાર્યો હોય છે.

શહીદની માતા ધ્રુસકને ધ્રુસકે રડી પડી!

નેતાઓએ શહીદની રડતી માતા સાથે જબરદસ્તી ફોટો પડાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે ગમગીન માહોલમાં ડૂબેલા ઘરના દરવાજે મંત્રીજી ફોટો પડાવવા પહોંચ્યા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શહીદ કેપ્ટનની માતાએ ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માતાના ના પાડ્યા બાદ 50 લાખનો ચેક પિતાને સોંપવામાં આવ્યો હતો. યોગી સરકારની જાહેરાત મુજબ શહીદ શુભમ ગુપ્તાના નામ પર તેમના શાહિદ જવાનના ગામમાં સ્મારક બનાવવામાં આવશે. પરિવારને સાંત્વના આપ્યા બાદ ગૃહની બહાર નીકળ્યા મંત્રી. તેમણે કહ્યું કે તેઓ આગ્રાના લાલની શહાદતને સલામ કરે છે. મંત્રીએ કહ્યું કે આગ્રા મેટ્રો સ્ટેશનનું નામ શહીદના નામ પર રાખવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે.

કોંગ્રેસ,આપ, સમાજવાદી પાર્ટી સહિતના પાર્ટીઓએ આપી પ્રતિક્રિયા  

આ વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ઘટનાની ટીકા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા લખવામાં આવ્યું કંઈ તો શર્મ કરો ભાજપ વાળા... તો કોંગ્રેસે લખ્યું ગિદ્ધ. તે ઉપરાંત સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.