શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાની માતા રડતી રહી, ચેક સોંપવા ગયેલા મંત્રીએ ફોટો પડાવી સંમતિ આપી, રાજકીય પાર્ટીઓએ કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-11-25 17:00:50

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી સાથે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. પાંચ જવાનો શહીદ થતા તેમના પરિવારમાં તો શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે પરંતુ દેશના લોકોમાં આ ઘટનાને લઈ દુખ વ્યાપી ઉઠ્યું છે. દેશે પોતાના પાંચ વીર જવાનો ખોઈ દીધા છે. આગ્રામાં રહેતા શહીદના માતા-પિતાને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પરિવારને 50 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય 25-25 લાખ રૂપિયાના બે ચેક લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન કેપ્ટન શુભમની માતા ખૂબ વિલાપ કરવા લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા વ્યવહારને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે વખોડી છે.  

કેબિનેટ મંત્રીનો ચેક આપતો વીડિયો વાયરલ 

આતંકીઓ સાથેની અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા છે. શહાદતના સમાચાર સાંભળતા જ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હશે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હશે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા આગ્રાના રહેવાસી કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. શુભમ ગુપ્તાના શહીદ થવાથી આગ્રામાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે. ઘરે આશ્વાસન કરનારાઓનો ધસારો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય રાજૌરીમાં શહીદ થયેલા કેપ્ટન શુભમ ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા.જ્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શહીદ જવાનની માતા રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું પ્રદર્શન ન કરો, મારે ચેક નથી જોઈતો મારે તો મારો લાલ જોઈએ છે. 

સોશિયલ મીડિયા પર મૂકવા માટે નેતાઓ પડાવે છે ફોટા! 

આજના સમયમાં રાજકીય નાટક કરવા એટલે ફોટા પડાવવા.નેતાઓ પીડિત અને રડતા પરિવારના સભ્યો પાસે જાય છે. અને ચેક અથવા રકમ આપે છે ભલે તે રડતા અને દુઃખી પરિવારના સભ્યો ફોટા પહેલા લેવાના જેથી ખબર પડેને કે અમે ગયા હતા… આ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી નેતાઓ ફાંકાઈ મારતા હોય છે કે જનતા જનાર્દન, જુઓ, અમે જ સૌપ્રથમ હતા, અમે સૌ પ્રથમ કાળજી લીધી, અમે સૌ પ્રથમ સહાયતા આપી. આ બધા વચ્ચે પીડિતના પરિવારની લાગણી કેવી હશે એ સમજવા માટે આ લોકોમાં અંતરાત્મા નથી હોતો આમનો અંતરાત્મા તો મરી પરવાર્યો હોય છે.

શહીદની માતા ધ્રુસકને ધ્રુસકે રડી પડી!

નેતાઓએ શહીદની રડતી માતા સાથે જબરદસ્તી ફોટો પડાવતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે ગમગીન માહોલમાં ડૂબેલા ઘરના દરવાજે મંત્રીજી ફોટો પડાવવા પહોંચ્યા હતા. આ જોઈને શહીદ શુભમ ગુપ્તાની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શહીદ કેપ્ટનની માતાએ ચેક સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. માતાના ના પાડ્યા બાદ 50 લાખનો ચેક પિતાને સોંપવામાં આવ્યો હતો. યોગી સરકારની જાહેરાત મુજબ શહીદ શુભમ ગુપ્તાના નામ પર તેમના શાહિદ જવાનના ગામમાં સ્મારક બનાવવામાં આવશે. પરિવારને સાંત્વના આપ્યા બાદ ગૃહની બહાર નીકળ્યા મંત્રી. તેમણે કહ્યું કે તેઓ આગ્રાના લાલની શહાદતને સલામ કરે છે. મંત્રીએ કહ્યું કે આગ્રા મેટ્રો સ્ટેશનનું નામ શહીદના નામ પર રાખવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે.

કોંગ્રેસ,આપ, સમાજવાદી પાર્ટી સહિતના પાર્ટીઓએ આપી પ્રતિક્રિયા  

આ વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે ઉપરાંત કોંગ્રેસ તેમજ આમ આદમીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આ ઘટનાની ટીકા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા લખવામાં આવ્યું કંઈ તો શર્મ કરો ભાજપ વાળા... તો કોંગ્રેસે લખ્યું ગિદ્ધ. તે ઉપરાંત સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.