રાજકોટની મારવાડી યુનિવર્સિટી આવી ચર્ચામાં! યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનું વાવેતર થતા હોવાની વાત આવી સામે!


  • Published By :
  • Published Date : 2023-04-14 10:21:36

રાજ્યમાંથી ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. અનેક વખત યુનિવર્સિટીઓથી એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગાંજાનો છોડ બોયઝ હોસ્ટેલની બાજુમાંથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસની શરૂઆત કરી હતી. ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

Marijuana recovered from Marwadi University in Rajkot Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ

યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવ્યા ગાંજાના છોડ!

અનેક વખત રાજ્યમાંથી માદક પદાર્થો મળી આવતા હોય છે. માદક પદાર્થ મળી આવતા પોલીસ એક્શનમાં આવી જતી હોય છે. આ વખતે માદક પદાર્થનો છોડ શૈક્ષણિક સંસ્થામાં મળી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોય તેવી વાતો વહેતી થઈ છે. આવા સમાચાર વહેતા થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી! 

મળતી માહિતી અનુસાર કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેમ્પસને અડીને આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી મળી હતી.જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું યુનિવર્સિટીમાં સાચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે છોડને જળમૂળથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલો મોકલી આપવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે હકીકત શું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.