રાજકોટની મારવાડી યુનિવર્સિટી આવી ચર્ચામાં! યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનું વાવેતર થતા હોવાની વાત આવી સામે!


  • Published By :
  • Published Date : 2023-04-14 10:21:36

રાજ્યમાંથી ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. અનેક વખત યુનિવર્સિટીઓથી એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગાંજાનો છોડ બોયઝ હોસ્ટેલની બાજુમાંથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસની શરૂઆત કરી હતી. ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

Marijuana recovered from Marwadi University in Rajkot Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ

યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવ્યા ગાંજાના છોડ!

અનેક વખત રાજ્યમાંથી માદક પદાર્થો મળી આવતા હોય છે. માદક પદાર્થ મળી આવતા પોલીસ એક્શનમાં આવી જતી હોય છે. આ વખતે માદક પદાર્થનો છોડ શૈક્ષણિક સંસ્થામાં મળી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોય તેવી વાતો વહેતી થઈ છે. આવા સમાચાર વહેતા થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી! 

મળતી માહિતી અનુસાર કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેમ્પસને અડીને આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી મળી હતી.જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું યુનિવર્સિટીમાં સાચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે છોડને જળમૂળથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલો મોકલી આપવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે હકીકત શું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.