રાજકોટની મારવાડી યુનિવર્સિટી આવી ચર્ચામાં! યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનું વાવેતર થતા હોવાની વાત આવી સામે!


  • Published By :
  • Published Date : 2023-04-14 10:21:36

રાજ્યમાંથી ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. અનેક વખત યુનિવર્સિટીઓથી એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગાંજાનો છોડ બોયઝ હોસ્ટેલની બાજુમાંથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસની શરૂઆત કરી હતી. ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

Marijuana recovered from Marwadi University in Rajkot Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ

યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવ્યા ગાંજાના છોડ!

અનેક વખત રાજ્યમાંથી માદક પદાર્થો મળી આવતા હોય છે. માદક પદાર્થ મળી આવતા પોલીસ એક્શનમાં આવી જતી હોય છે. આ વખતે માદક પદાર્થનો છોડ શૈક્ષણિક સંસ્થામાં મળી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોય તેવી વાતો વહેતી થઈ છે. આવા સમાચાર વહેતા થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી! 

મળતી માહિતી અનુસાર કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેમ્પસને અડીને આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી મળી હતી.જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું યુનિવર્સિટીમાં સાચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે છોડને જળમૂળથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલો મોકલી આપવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે હકીકત શું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.