રાજકોટના મિલાપનગરમાં પરિવારનો સામુહિક આપઘાતના પ્રયાસમાં દિકરાનું મોત, પતિ-પત્ની બચ્યાં


  • Published By :
  • Published Date : 2022-11-21 23:04:28

રાજકોટના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા પરિવારે વ્યાજખોરોથી ત્રાસીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની અને પુત્રના સામુહિક આપઘાતમાં પુત્રનું મોત થયું હતું અને પતિ-પત્ની બચી ગયા હતા. 


મૃતક પુત્ર ધવલે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા અને ધવલ પપ્પુ નામના ચાર વ્યાજખોર તેમની ઝેરોક્ષની દુકાને હપ્તો ઉઘરાવવા આવ્યા હતા. મૃતકના પરિવાર પાસે રૂપિયા ના હોવાના કારણે તેમણે મૃતક ધવલના પિતાને ધમકી આપી હતી કે તારા પુત્રને ઉઠાવી જશું.  ફરિયાદમાં ધવલે લખાવ્યું હતું કે તેના પરિવારે સંજયરાજ ઝાલા પાસેથી 10 લાખ, રાજકોટમાં સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી 50 હજાર, ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી 8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી.  વ્યાજખોરો ધવલના પરિવાર પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને હેરાન કરે છે તેવી તેણે ફરિયાદ નોંધાવી હતી.


પાણીમાં જંતુનાશક દવા નાખીને પરિવારનો સામુહિક આપઘાત

ત્યાર બાદ વ્યાજખોરોના ત્રાસથી ધવલના પપ્પા ભાઈ પાસેથી ઉછીના 500 રૂપિયા લઈ જંતુનાશક દવા લઈ આવ્યા હતા. મોડી રાત્રે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જંતુનાશક દવા પાણીમાં નાખીને પી ગયા હતા. સમગ્ર ઘટનામાં ધવલનું મોત થયું હતું જ્યારે તેમના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ધવલ પપ્પુ ભરવાડની ધરપકડ કરી હતી જો કે હજુ પણ બાકીના આરોપી પોલીસ પકડથી દૂર છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.