રાજકોટના મિલાપનગરમાં પરિવારનો સામુહિક આપઘાતના પ્રયાસમાં દિકરાનું મોત, પતિ-પત્ની બચ્યાં


  • Published By :
  • Published Date : 2022-11-21 23:04:28

રાજકોટના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા પરિવારે વ્યાજખોરોથી ત્રાસીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની અને પુત્રના સામુહિક આપઘાતમાં પુત્રનું મોત થયું હતું અને પતિ-પત્ની બચી ગયા હતા. 


મૃતક પુત્ર ધવલે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા અને ધવલ પપ્પુ નામના ચાર વ્યાજખોર તેમની ઝેરોક્ષની દુકાને હપ્તો ઉઘરાવવા આવ્યા હતા. મૃતકના પરિવાર પાસે રૂપિયા ના હોવાના કારણે તેમણે મૃતક ધવલના પિતાને ધમકી આપી હતી કે તારા પુત્રને ઉઠાવી જશું.  ફરિયાદમાં ધવલે લખાવ્યું હતું કે તેના પરિવારે સંજયરાજ ઝાલા પાસેથી 10 લાખ, રાજકોટમાં સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી 50 હજાર, ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી 8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી.  વ્યાજખોરો ધવલના પરિવાર પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને હેરાન કરે છે તેવી તેણે ફરિયાદ નોંધાવી હતી.


પાણીમાં જંતુનાશક દવા નાખીને પરિવારનો સામુહિક આપઘાત

ત્યાર બાદ વ્યાજખોરોના ત્રાસથી ધવલના પપ્પા ભાઈ પાસેથી ઉછીના 500 રૂપિયા લઈ જંતુનાશક દવા લઈ આવ્યા હતા. મોડી રાત્રે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જંતુનાશક દવા પાણીમાં નાખીને પી ગયા હતા. સમગ્ર ઘટનામાં ધવલનું મોત થયું હતું જ્યારે તેમના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ધવલ પપ્પુ ભરવાડની ધરપકડ કરી હતી જો કે હજુ પણ બાકીના આરોપી પોલીસ પકડથી દૂર છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.