રાજકોટના મિલાપનગરમાં પરિવારનો સામુહિક આપઘાતના પ્રયાસમાં દિકરાનું મોત, પતિ-પત્ની બચ્યાં


  • Published By :
  • Published Date : 2022-11-21 23:04:28

રાજકોટના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા પરિવારે વ્યાજખોરોથી ત્રાસીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ-પત્ની અને પુત્રના સામુહિક આપઘાતમાં પુત્રનું મોત થયું હતું અને પતિ-પત્ની બચી ગયા હતા. 


મૃતક પુત્ર ધવલે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા અને ધવલ પપ્પુ નામના ચાર વ્યાજખોર તેમની ઝેરોક્ષની દુકાને હપ્તો ઉઘરાવવા આવ્યા હતા. મૃતકના પરિવાર પાસે રૂપિયા ના હોવાના કારણે તેમણે મૃતક ધવલના પિતાને ધમકી આપી હતી કે તારા પુત્રને ઉઠાવી જશું.  ફરિયાદમાં ધવલે લખાવ્યું હતું કે તેના પરિવારે સંજયરાજ ઝાલા પાસેથી 10 લાખ, રાજકોટમાં સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી 50 હજાર, ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી 8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી.  વ્યાજખોરો ધવલના પરિવાર પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે અને હેરાન કરે છે તેવી તેણે ફરિયાદ નોંધાવી હતી.


પાણીમાં જંતુનાશક દવા નાખીને પરિવારનો સામુહિક આપઘાત

ત્યાર બાદ વ્યાજખોરોના ત્રાસથી ધવલના પપ્પા ભાઈ પાસેથી ઉછીના 500 રૂપિયા લઈ જંતુનાશક દવા લઈ આવ્યા હતા. મોડી રાત્રે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જંતુનાશક દવા પાણીમાં નાખીને પી ગયા હતા. સમગ્ર ઘટનામાં ધવલનું મોત થયું હતું જ્યારે તેમના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ધવલ પપ્પુ ભરવાડની ધરપકડ કરી હતી જો કે હજુ પણ બાકીના આરોપી પોલીસ પકડથી દૂર છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.