ડીસાના ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18 લોકોના મોત, મધ્યપ્રદેશથી આવ્યા હતા શ્રમિકો


  • Published By : Admin
  • Published Date : 2025-04-01 15:25:49

રાજ્યમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને ત્યારે સવાલ થાય કે આગ લાગી એ ફેક્ટરી કે જગ્યા કાયદેસર હતી. એની પાસે ડોક્યુમેન્ટ હતા કે કેમ પણ સવાલો પછી જવાબો મળતા નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી અને અનેક લોકો એ આગમાં ભડથુ થઈ ગયા. ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું. 

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 18 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મજુરી કામ માટે ગુજરાત આવ્યા હતા. ફટકડા બનાવવાનું કામ કરતા હતા એમને ક્યાં ખબર હતી કે અહીંયા જિંદગી આસાન કરવા નહીં પણ જિંદગીને હોમવા આવી રહ્યાં છે. ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. હાલ તો મૃતકોની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે. 

જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ફટકડા બનાવવાની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને બાજુમાં આવેલુ ગોડાઉન ધરાશાયી થઈ ગયું. ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયેલો હતો. અને મજુરોના માનવ અંગો પણ દુર સુધી ફેંકાયા હતા. 

દીપક ટ્રેડર્સ  નામની જે કંપનીમાં આ દુર્ઘટના બની તે કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે. જે ફટાકડાનો હોલસેલનો વેપારી છે. અત્યાર સુધી એ પોતે તમિલનાડુના શિવકાશીની ફટાકડાની ફેક્ટરીઓમાંથી ફટાકડા લાવતો હતો અને અહીંયા વેચાણ કરતો હતો. હવે પોતે ડીસામાં ફટાકડા બનાવવાનું શરુ કર્યું. અને કંપનીના માલિકે માત્ર ફટાકડા વેંચવાની મંજૂરી જ મેળવી હતી. તેની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હાલ તો તપાસ કરી રહ્યું છે.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .